SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ : સંખ્યાબળના નામે શંભુમેળો ન ખપે : વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, માગસર વદ-૧૧, ગુરુવાર, તા. ૨૬-૧૨-૧૯૨૯ ♦ આગમને આધારે જ શ્રી જૈનશાસન છે : • સાધુઓનો વિરોધ શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ સામે છે : • આ તે સુધારો કે–સત્યવસ્તુનો નાશ ? ♦ નિર્બળતા એ શ્રી જૈનશાસનનું સર્જન નથી : ♦ નિર્બળતાનું કારણ સંસારની આસક્તિ છે : ♦ સંખ્યાબળના નામે શંભુમેળો ન જોઈએ : ♦ લજ્જાથી શીલ પાળનારા પણ તરી જાય છે : આપણા સુધારાઓ જૈન સિદ્ધાંતને અનુસરતા હોવા જોઈએ : 12 આગમને આધારે જ શ્રી જૈનશાસન છે સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજ્ય માની-તેને સમગ્ર શાસનનો આધારભૂત માની શ્રીસંઘની સ્તુતિ કરે છે. આપણે જોઈ ગયા કે-સૂત્રકાર મહર્ષિએ શ્રીસંઘને નગર વિગેરેની ઉપમા આપી છે. તેમાં આપણે નગરનું, ચક્રનું, રથનું રૂપક વિચારી ગયા અને કમળનું રૂપક ચાલે છે. ધર્માત્માને આશ્રયસ્થાન શ્રીસંઘ નગરરૂપ છે. સંસાર છેદવા માટે ધર્મીને સહાય કરનાર શ્રીસંઘ ચક્રરૂપ છે. સંસારરૂપ અરણ્યની આપત્તિમાંથી ઉદ્ધરી શાંતિથી મોક્ષે પહોંચાડનાર શ્રીસંઘ એ રથરૂપ છે. કમળની ઉત્પત્તિ કાદવમાં અને વધે પાણીથી, પણ બહાર આવીને ઊભું રહે તો તે કમળ. કમળને ફરતી કર્ણિકા અને કેસરા હોય, પત્રો પણ હોય અને એની ચોમેર ભમરા પણ હોય. કમળ સૂર્યનાં કિરણોથી ખીલે અને સૂર્યાસ્તથી બિડાય. કમળરૂપ શ્રીસંઘની ઉત્પત્તિ પણ કર્મરૂપી કાદવમાં થાય અને ભોગરૂપ જળમાં તેની વૃદ્ધિ થાય, પણ રહે-બેયથી અલગ. એ બેયને છોડીને ઊંચે રહે, તે શ્રીસંઘ કમળ રૂપ છે. શ્રીસંઘમાં મુખ્યપદે આચાર્ય છે, તેઓની ઉત્પત્તિ કર્મથી થાય, વૃદ્ધિ ભોગથી થાય, પણ ૨હે એ બેયથી આઘા. નાળ તૂટી જાય અને પાણીમાં પડે, તો એ કમળ ઉપભોગમાં ન આવે. કાદવ તો કાદવ તરીકે પણ કામ આવે, પરંતુ. કમળ તો
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy