SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ -- સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – ચાહ વિના ન ચાલે માટે ચાહનો ત્યાગ કરવો, એને આપણે સ્વાતંત્ર્ય કહીએ છીએ. આ શાસ્ત્ર અને સ્વાતંત્ર્ય કહે છે કે-જે મોહક ચીજ વિના ન ચાલે એનો ત્યાગ કરવો. રોગ આવે તો “ભલે આવ્યો” એમ કહેવું એ સ્વાતંત્ર્ય પણ “ઓ બાપ રે' એમ કરવું, એ સ્વાતંત્ર્ય નથી. રૂપ તરફ આંખ ખેંચાય તો પાછી ખેંચી લેવી, એને આ શાસ્ત્ર સ્વાતંત્ર કહે છે. આ શાસ્ત્ર ઇંદ્રિયોને આધીન થવા ના પાડે છે. આ શાસ્ત્ર કહે છે કે - “મન વશ કરો, ઇંદ્રિયોને કાબૂમાં રાખો, સ્વાભાવિક રીતે એ ન બને તો અભ્યાસ કરો, તપ કરો. છતાં ન બને તો સંયમને ખૂબ કેળવો.” પાપની છૂટ આ શાસનમાં નથી, પૈસા ના મળે તો લૂંટફાટ કરવાની આ શાસ્ત્ર ના પાડે છે. આજના ઉચ્છંખલો, સ્વતંત્રતાના નામે જેમ મન ફાવે તેમ વર્તવાનું કહે છે, તેમ મનફાવતી રીતે વર્તવાનો જો કાયદો થાય, તો ઘેર ઘેર મડદાં પડશે. કારણ કે-અર્થ-કામની લાલચ ભયંકર છે. વિધવાઓ પોતે ના કહેવા છતાં, એમને પાપમાં ઉતારવા વગર કહે વકીલ બની જેઓ આજે સમાજમાં યથેચ્છ પ્રયત્ન કરે છે, તેઓને જો ચાર દિવસ મરજી મુજબ વર્તવાન છૂટ મળે, તો જુલમ વર્તાવે. સતીપણાના રક્ષણની વાત કરનારા એક પણ સજ્જનને જીવવા ન દે. વાઘની જેમ તેની ઉપર તૂટી પડે. આવા લોકોથી આઘા રહેવામાં જ આત્માનું શ્રેય છે. શ્રી સંઘરૂપ કમળ શ્રતરત્નરૂપી નાળને વળગી જ રહેવું જોઈએ. શ્રતરૂપ નાળથી દૂર થવા જેવી સ્વચ્છંદતાનું અવલંબન પ્રાણાંતે પણ ન જ સ્વીકારવું જોઈએ. અસ્તુ.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy