________________
( ૧૪૨
-
- સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧
-
142
અને શક્તિ વાપરીને રક્ષણ કરશે, શાસન ઉપરના આક્ષેપવિક્ષેપની સામે ઊભા રહેશે, પણ એમ નહોતું ધાર્યું કે-આદિનાથે પણ વિધવાવિવાહ કર્યો હતો... - એવું એવું કલ્પિત બોલવાની મૂર્ખાઈ કરી, સમાજના સદાચારરૂપ ધનની લૂંટ ચલાવવાની પ્રવૃત્તિ આદરશે. આવાઓ, ખરેખર પોતાની જાતને કૃતધ્વની કોટિમાં જ મૂકે છે ! અને એવા કૃતની ટોળાંને શ્રીસંઘ કેમ જ કહેવાય ? . નિર્બળતા, એ શ્રી જૈનશાસનનું સર્જન નથી !
આજના કેટલાક સુધારકોની ફરિયાદ એ છે કે-“સાધુઓ દુનિયાના જીવોને દુનિયાની સાધનસામગ્રીથી ખસેડે છે, એથી ઇતર સમાજો વીજળીના વેગે વધે છે, પણ જૈન સમાજ પાછો પડે છે.” પણ આગળ વધવું અને પાછળ પડવું કોને કહેવાય ?, એ હજી એમને ખબર નથી. એ જો એમને પૂછીએ તો એનો ઉત્તર નહિ આપે. શ્રીમંતાઈમાં વધવું, ખાવુંપીવું, મોજશોખમાં વધવું, સાહ્યબીમાં વધવું, એ કાંઈ શ્રી જૈનશાસનની દૃષ્ટિએ આગળ વધવું નથી. વળી: “સાધુઓએ નિર્બળતા પ્રેરી' એમ કહે છે, પણ શ્રી જૈનશાસનને અખંડપણે પાલન કરનાર તો એવા સબળ હતા કે-એવા આજે કોઈ દેખાતા નથી
મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળ, મંત્રીશ્વર વિમળશા અને મહારાજા કુમારપાળ-એ બધા શ્રી જૈનશાસનની મર્યાદા નહોતા પાળતા ? *ઘેબર ખાતી વખતે પૂર્વના માંસાહારનું સ્મરણ થતાં, પોતાના ગુરુદેવ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજને પૂછી પ્રાયશ્ચિત્ત લીધું અને ઘેબરે સદાને માટે છોડ્યું. હેમચંદ્રસૂરિ મહારાજે એમને માટે ઘેબર પણ અભક્ષ્ય કહ્યું. ભાજીપાંઉનું સત્ત્વ ઘટે છે, એમ કહેનારા એ નહોતા. કંદમૂળ ખાવાથી શરીર મજબૂત થાય છે, એમ આજનાઓ કહે છે. શ્રી કુમારપાળ વિગેરે જેવા બળવાન આજે છે ? એ બળ અભક્ષ્યના ભક્ષણથી આવ્યું હતું ? નહિ, એમને મરવાની ભીતિ નહોતી. મરવાની ભીતિ પાપીને ન હોય કે પુણ્યવાનને ? + સરખાવો – અથાડા મોનનું સુર્વતો રાતે ઘેવરમૂવો વિશ્વ વિવિ વૃત્તસાદારपरिहारः पवित्रीभूय, इति प्रभुं पप्रच्छ भगवन् ! घेबरा किं भक्ष्या वाऽभक्ष्याः । श्री गुरुभिरुक्तम्, राजन् ! भक्ष्या अभक्ष्याश्चेति भणितम् । पुनर्भगवन् ! भक्ष्याश्चेत्त अभक्ष्याः कथम् ? अभक्ष्याश्चेत्त भक्ष्याः कथम् ? श्रीगुरुभिरभाणि-'राजन् ! ये क्षत्रियादयः पूर्वज्ञातमांसास्वादास्तेषामभक्ष्या ये तु वणिग् ब्राह्मणादयोऽज्ञातमांसास्वादास्तेषां भक्ष्याः' इत्याकर्ण्य प्रमदितः । अहो ! प्रभूणां युक्ता कलिकाल-सर्वज्ञता मानसिकपरिणामोऽपि येषां प्रत्यक्षः । . ततो राजा दंतपातनसोद्यतः श्रीगुरुभिर्निषिद्धः । कृतघेबरभक्षणनियमः प्रायश्चित्तपदे द्वात्रिंशत्प्रासादानेकस्मिन्पीठबन्धेऽकारयत् । द्वात्रिंशत् प्रकाशान् प्रत्यहं गुणयति प्रत्यूषे ।