SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ : સંઘ અને સાધુનું પરીક્ષક તત્ત્વ -10 હૈયામાં રાખે અને એની આજ્ઞાનુસાર ધર્મ ફેલાવે. શ્રાવક તે કહેવાય, કે જે શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર, શ્રી જિનાગમ તથા સાધુને હૈયામાં રાખે અને આગમે કહેલો ધર્મ ફેલાવવામાં સાધુને સહાય કરે. સંયમના પાલક અને પ્રચારક મુનિ છે અને સંયમના અર્થી તથા સહાયક શ્રાવક છે. 119 ૧૧૯ સંયમનું પાલન તથા પ્રચારકપણું મુનિમાં છે અને અર્થીપણું ને સહાયકપણું શ્રાવકમાં છે; પણ જેઓએ અર્થીપણું વેચી ખાધું હોય, તેઓને સહાય કરવાની પરવા ક્યાંથી ૨હે ? પાઘડી તથા ઘરબારમાંથી ૫૨વા૨ે તો ને ? ‘સાધુને ધર્મની ગરજ, બાકી અમારે તો જાતમાંથી, ઘરબારમાંથી, પેઢીમાંથી ફુરસદ મળે તો ધર્મ કરવાનો' - આ માન્યતા હોય ત્યાં શું થાય ? ચોવીસે કલાક ઘર, કુટુંબ પરિવારને માટે નિયત હોય ત્યાં ધર્મ થાય શી રીતે ? ધર્મક્રિયા તો શાસ્ત્ર એવી નિયત કરી છે કે - જેથી આત્મા એમાં રક્ત બને અને સંસારમાં વધુ રંગાય જ નહિ ! પણ જ્યાં જુદું જ માનસ હોય ત્યાં થાય શું ? ન ખાવામાં પણ વિવેક ન મળે. રાત્રે ખાય, કંદમૂળ ખાય. વાસી ખાય, દ્વિદળ ખાય, બજારમાં ખાય, હોટલમાં ખાય, જીવવાળુંય ખાય અને જીવ વિનાનુંય ખાય. જે આવે તે બધું જ ખાય, અર્થાત્-ન તો ખાવાપીવાનું ભાન, કે ન તો બોલવા-ચાલવાનું ભાન અને ન કોઈ વસ્તુની ગતાગમ, એવાઓ દીક્ષાનો વિરોધ કરે કઈ રીતે ? માટે કહેવું પડે છે કે-જો શ્રીસંઘમાં ગણાવું હોય, તો જૈન તરીકેની ધર્મી તરીકેની, અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા એ તરીકેની ફરજ સમજો ! જે‘આત્માઓ પોતાની એટલી પણ ફરજ સમજતા નથી, તે આત્માઓ પોતાની જાતને ભલે સંઘમાં હોવાનું મનાવ્યા કરે, પરન્તુ વિવેકીજનોની દૃષ્ટિએ તો તેઓ સ્વયમેવ સંઘબાહ્ય બની જાય છે ! પાપી પણ એક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે છે ! હવે તો વળી કેટલાક નવું શીખ્યા. કહે છે કે-‘અમે નથી કરી શકતા, તો આટલાં નાનાં બચ્ચાં શી રીતે કરે ? થતું હોત તો અમે ન કરત !' આ તેમની બુદ્ધિ ! એમાં જો સાબિત થાય અને કોઈ કહે કે-‘એ નાનું બાળક તો પાળે એવું છે’-તો કહે કે-‘પહેલાં એ આવો હતો અને તેવો હતો !' વળી હવે તો સંયમી આત્માઓના ભૂતકાળના જીવનના ઇતિહાસ પણ શોધાય છે, પરન્તુ કાંઈ ન મળે એટલે તદ્દન બનાવટી રીતે પણ કહેવાય છે કે-એ ગઈકાલે આવા હતા અને તેવા હતા માટે ચેતો !’ રોહિણીયા ચોર વિગેરે, કે જેઓ પાછળથી મહર્ષિ બની કેવળ જ્ઞાન પામી નિષદે ગયા, તેવા મહાપુરુષો માટે પૂર્વાવસ્થાની વાત લઈ, તેઓની
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy