SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ : સંઘ અને સાધુનું પરીક્ષક તત્ત્વ વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૬, માગસર વદ-૮, મંગળવાર, તા. ૨૪-૧૨-૧૯૨૯ ♦ શ્રીસંઘના સ્થાપકનું અપમાન કરે એવા સંઘને ન માનો : ♦ પાપીને ધર્મી થવામાં સહાય કરે તે જ શ્રીસંઘ ! ♦ શ્રી દઢપ્રહારી અને ખેડૂતનું દૃષ્ટાંત : ♦ ધર્મ પ્રત્યેની દુર્ભાવનાનું કારણ સાંસારિક લાલસા છે : ♦ મંદિર અને ઉપાશ્રયના ટ્રસ્ટીઓની ફરજ : ♦ શ્રાવકને સાધુપણું સંભળાવવાનું શું કારણ ? ♦ પડવાની ભાવનાવાળા પણ ચર્ડ ક્યારે ? ♦ સંઘ અને સાધુની પરીક્ષા કરતાં શીખો ! ♦ અમારી અને તમારી જોખમદારી સમજો ! ♦ પાપી પણ એક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે છે ! ♦ સ્યાદ્વાદ એટલે હેય અને ઉપાદેય બંને સરખાં નહિ ! ♦ રાગી રૂવે.એમાં વિરાગીઓનો ઉપાય જ નથી : શ્રીસંઘના સ્થાપકનું અપમાન કરે એવા,સંઘને ન માનો ! ન 10 સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજ્ય કોટિમાં આવતા શ્રીસંઘના સ્વરૂપને દર્શાવનાી ગાથાઓથી, શ્રીસંઘની સ્તવના કરે છે. એ ગાથાઓ દ્વારા સમજાવવામાં આવતું શ્રીસંઘનું સ્વરૂપ સમજવાની બહુ જ અગત્ય છે. જે સમયે ‘તીર્થંકર પછી શ્રીસંઘ પૂજ્ય છે, ચોવીસ તીર્થંકર થયા અને પચીસમો તીર્થંકર શ્રીસંઘ છે, માટે એની આજ્ઞા દરેકે માનવી જ જોઈએ.' – એમ કહીને ગમે તેવી માન્યતાં ફેલાવવાની આજે છૂટ લેવામાં આવે છે, તે સમયે એ સમજી લેવું જોઈએ કે-‘પચીસમા તીર્થંકરસ્વરૂપ સંઘ કેવો હોઈ શકે ?' જો ગમે તેવી માન્યતા ફેલાવનારનું પણ શ્રીસંઘ તરીકે બહુમાન સાચવીએ, તો શ્રી તીર્થંકરદેવનું અપમાન થાય છે. આપણે એવું બહુમાન કરવા નથી માગતા, કે જેથી શ્રીસંઘના સ્થાપકનું જ અપમાન થાય. - જે શ્રીસંઘ પોતાને તીર્થંકરવત્ મનાવવા માગે છે, તેણે પોતાની સ્થાપના શા માટે છે તથા પોતાની ફરજો શી શી છે, તે જાણવું જોઈએ. જો એ ન જણાય,
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy