SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા 1 ૩૬ દર્શનોની યુગપદ્ ઉત્પત્તિ દર્શનનો અર્થ નિર્વિકલ્પક જ્ઞાન કરતાં ઈન્દ્રિયો દ્વારા થતાં છ દર્શનોની યુગપદ્ ઉત્પત્તિ સંભવે છે કે નહીં એ પ્રશ્ન ઊઠે છે. જૈનોને મતે આ છમાંથી કોઈપણ બે દર્શન એકસાથે સંભવી શકતાં નથી. આ બાબતે તેઓ બૌદ્ધોથી જુદા પડે છે અને વૈશેષિકો સાથે સંમત થાય છે. વૈશેષિકો આ છ દર્શનોને સાથે થતાં માની શકતા નથી કારણ કે આ છ દર્શનોને માટે પણ ઈન્દ્રિય સાથે મનનો સન્નિકર્ષ તેઓ જરૂરી માને છે અને મન અણુ હોઈ તેનો બે ઈન્દ્રિય સાથે યુગપદ્ સંબંધ ઘટી શકતો નથી.78 પરંતુ જૈનને આ છ દર્શનો સાથે ઉત્પન્ન થવામાં શું બાધક છે ? જૈનોને મતે મન શરીરવ્યાપી છે, અણુ નથી.78અ વળી, આ દર્શનોને ઉત્પન્ન થવામાં મનનો વ્યાપાર જરૂરી માનવા માટે જૈનોને કઈ બાબત ફરજ પાડે છે ? અમને લાગે છે કે તેમને કોઈ બાબત ફરજ પાડતી નથી. તો પછી શા માટે આ છ દર્શનો યુગપદ્ ન સંભવી શકે ? આના ઉત્તરમાં જૈનો કહે છે કે આગમોમાં એવો નિયમ છે કે બે ઉપયોગ યુગપદ્ ઉત્પન્ન ન થાય. ઉપયોગ શબ્દના એકથી વધારે અર્થો થઈ શકે છે ઃ (૧) ચિત્ત અર્થાત્ આત્માની પ્રકાશરૂપતા, (૨) દર્શનશક્તિ, (૩) જ્ઞાનશક્તિ, (૪) દર્શનશક્તિના પ્રાદુર્ભાવો ( manifestations - પર્યાયો) (૫) જ્ઞાનશક્તિના પ્રાદુર્ભાવો. (૬) મનનું અવધાન (mental attention). આ સંદર્ભમાં જેઓ ઉપયોગનો અર્થ દર્શનના પ્રાદુર્ભાવો એવો કરે છે તેઓ બરાબર નથી કરતા એમ લાગે છે. આ સંદર્ભમાં તો ઉપયોગનો અર્થ મનનું અવધાન (mental attention) એવો સમજવો જોઈએ. જો કે મન શરીરવ્યાપી છે તેમ છતાં તે એક જ વખતે એક જ વસ્તુનું અવધાન કરી શકે. તે એક સાથે બે વસ્તુઓનું અવધાન ન કરી શકે. પરંતુ એનો અર્થ એ નહીં કે બે દર્શનો એકસાથે ન થઈ શકે. છ ઈન્દ્રિયનાં છ દર્શનો એકસાથે થઈ શકે. કારણ કે તેમાં મનનું અવધાન જરૂરી નથી, પરંતુ જૈનોએ આ સ્વીકાર્ય નથી.” આ બાબતે બૌદ્ધોનું દૃષ્ટિબિંદુ સાચું -જણાય છે.80 નિર્વિકલ્પક પ્રત્યક્ષની ઉત્પત્તિની વૈશેષિકની પ્રક્રિયા એવી છે કે તેઓ બે નિર્વિકલ્પક પ્રત્યક્ષોને એકસાથે ઉત્પન્ન થતા સ્વીકારી ન શકે. અહીં એ નોંધપાત્ર છે કે ઉત્તરકાલીન જૈન તાર્કિકોને એવું લાગ્યું છે કે જૈનો આ છ દર્શનોની યુગપદ્ ઉત્પત્તિ સ્વીકારી શકે અને તેથી જૈન તર્કગ્રંથોમાં તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જૈન તાર્કિકોએ આ છ નિર્વિકલ્પક જ્ઞાનોની યુગપદ્ ઉત્પત્તિ ન સ્વીકારનાર નૈયાયિકોનું ખંડન કર્યું છે અને કડક જલેબીના ભક્ષણનું દૃષ્ટાંત આપી તે ખાતી વખતે પાંચે ઈન્દ્રિયો દ્વારા પાંચ નિર્વિકલ્પક જ્ઞાનો યુગપદ્
SR No.005851
Book TitleJain Darshan ane Sankhya Yogma Gyan Darshan Vicharna
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherSanskrit Sanskriti Granthmala
Publication Year1994
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy