________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શાનદર્શનવિચારણા ૪૮ પર આત્મા યા પુરુષતત્ત્વ સ્વીકારે છે તેમ જૈનો ચિત્તથી પર આત્મા યા પુરુષતત્ત્વ સ્વીકારતા નથી. તે સ્વીકારવાનું તેમને કોઈ પ્રયોજન નથી, કારણ કે તેમને મતે ચિત્તને જ જ્ઞાન અને દર્શન બને છે. અહીં એક વસ્તુ નોંધવી જોઈએ કે પ્રાચીન સાંખ્યની એક પરંપરા કેવળ ૨૪ તત્ત્વોને જ સ્વીકારતી હતી અને પુરુષને સ્વીકારતી ન હતી.141 બૌદ્ધો પણ ચિત્ત ઉપરાંત આત્મતત્ત્વને સ્વીકારતા નથી. આમ, જૈન, બૌદ્ધ અને ૨૪ તત્ત્વોવાળું સાંખ્ય એક જૂથ બનાવે છે, જે ચિત્ત-અચિત્ત એવો પરસ્પર વ્યવચ્છિન્ન વિભાગ સ્વીકારે છે. ઉત્તરકાલીન સાંખ્યયોગે પુરુષનો ચિત્તથી પર તત્ત્વ તરીકે સ્વીકાર કરી આત્મ-અનાત્મનો (પુરુષ-પ્રકૃતિનો) પરસ્પર વ્યવચ્છિન્નવિભાગ કર્યો અને પરિણામે તેમને ચિત્તને અનાત્મસ્વરૂપ માનવું પડ્યું. પરંતુ આ ઉત્તરકાલીન સાંખ્યયોગની દાર્શનિક અને યૌગિક પ્રક્રિયામાં પુરુષનું કોઈ ખાસ મહત્વ નથી. તેને દૂર કરવામાં આવતાં તે પ્રક્રિયાઓમાં કોઈ ખાસ ફેર પડતો નથી. આથી પુરુષ સાંખ્યયોગ દર્શનમાં એક બિનજરૂરી ઉમેરા જેવો લાગે છે.
* ટિપ્પણ 1 બાવા, મહાવીર જૈન વિદ્યાલય સંસ્કરણગત શબ્દસૂચી જુઓ. 2. Doctrine of the Jainas, p. 152. 3. નૈન ટર્શન છે. આદિવાલ, પૃ. 16
કેટલાક ચાર્વાકો સ્વતંત્ર આત્મતત્ત્વ સ્વીકારતા હતા.આમાં પરમલોકાયતિક ભટ્ટોલ્કટનો સમાવેશ થાય છે. જયન્તની ન્યાયમંજરીની ટીકા ન્યાયમંજરીગ્રંથિભંગના કર્તા ચક્રધંરના કહેવા મુજબ જયન્ત ચાર્વાક ભટ્ટોભટના મતનો ઉલ્લેખ કરે છે. આ ભટ્ટોલ્સટે લોકાયતસૂત્ર ઉપર તત્ત્વવૃત્તિ નામની ટીકા લખી છે અને સ્યાદ્વાદરત્નાકરમાં આ ટીકામાંથી ઉદ્ધરણો આપેલાં છે. આ ભટ્ટોદ્ભટે ૮મી શતાબ્દીમાં થઈ ગયેલા લાગે છે. તેમણે લોકાયતસૂત્ર “ભૂતેશ્ચત ” નો અર્થ “બૂતાઈ વૈતામ” એવો કર્યો છે. સુશિક્ષિતવા દરિયા રાયમરીચિ, પૃ. 19 ટેન તુ “ભૂતેગ: " રૂતિ પ વતુર્થ્યન્તતયા ચાધ્યાત, भूतेभ्यश्चैतन्यं भूतार्थ चैतन्यं स्वतन्त्रमेव शरीरारम्भकभूतोपकारकमित्यर्थः।
ચાયમરીન્થિમ, પૃ. 197 5. પંવષ્ય સંનો મv[ri વેપITળો |
पंचिदियठाणाणं ण अण्णमुणियं मुणइ अण्णो ॥
- સૂત્રતા નિતિ 1.1.1.8 6. વિશેષાવાળું, 1556