________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા ૩૮ કહેવાય.” આમ, પુરુષમાં દ્રષ્ટાપણા અને સાક્ષીપણાનો સ્વભાવ છે.
પુરુષ ત્રિગુણાતીત છે અર્થાત્ પુરુષ કેવલ્યયુક્ત છે. કેવલ્યનો અર્થ છે મુક્તિ કે ત્રણેય પ્રકારના દુઃખનો આત્યંતિક અભાવ. પુરુષ ત્રિગુણાત્મક હોય તો દુઃખ તેનો સ્વભાવ બની જાય, કારણ કે રજસ્ ગુણ દુઃખાત્મક છે. વસ્તુને ક્યારેય પોતાના સ્વભાવથી વિખૂટી પાડી શકાતી નથી એ ન્યાયાનુસાર પુરુષની દુઃખમુક્તિ અસંભવ બની જાય. પુરુષ ત્રિગુણાત્મક ન હોવાથી દુઃખ તેનો સ્વાભાવિક ધર્મ નથી પણ આરોપિત ધર્મ છે. પરિણામે મુક્તિ અસંભવ બનતી નથી.’ પુરુષ સુખ-દુઃખ રહિત હોવાથી તેને મધ્યસ્થ યા ઉદાસીન કહ્યો છે. દુઃખમાં દ્વેષ અને સુખમાં રાગ તેનો સ્વાભાવિક ધર્મ નથી. સુખ અને દુઃખની સાથે પુરુષનો તાત્ત્વિક સંબંધ નથી. નિઃસંબંધ વસ્તુ ઉપર રાગ કે દ્વેષ થાય નહીં.5 પુરુષનું અપરિણામિપણું
પુરુષ અપરિણામી છે. તે કોઈનું કાર્ય પણ નથી અને કારણેય નથી. તેનું અપરિણામિપણું નીચે પ્રમાણે સાબિત કરવામાં આવે છે. ચિત્તનો વિષય છે બાહ્ય પદાર્થ અને પુરુષનો વિષય છે બાહ્ય પદાર્થના આકારવાળું ચિત્ત. ચિત્ત
જ્યારે બાહ્ય પદાર્થને જાણે છે ત્યારે તે તે પદાર્થના આકારે પરિણમે છે. અને પુરુષ જ્યારે પદાર્થના ચિત્તગત આકારને જાણે છે ત્યારે તે ચિત્તગત આકારરૂપે પરિણમતો નથી પણ તેને પ્રકાશિત કરે છે. ચિત્ત હંમેશાં પુરુષના ચેતનાપ્રકાશથી પ્રકાશિત હોય છે. જો પુરુષને ચિત્તવૃત્તિરૂપે પરિણમવું એ ચિત્તવૃત્તિને જાણવા માટે જરૂરી હોત તો કેટલીક ચિત્તવૃત્તિઓ પુરુષને અજ્ઞાત રહેત, કારણ કે પુરુષ જે ચિત્તવૃત્તિરૂપે પરિણમત તે ચિત્તવૃત્તિ તેને જ્ઞાત થાત અને બાકીની અજ્ઞાત રહેત%િ જો અજ્ઞાત ચિત્તવૃત્તિની સત્તા સ્વીકારવામાં આવે તો “હું સુખી છું કે નહીં”, “હું દુઃખી છું કે નહીં” વગેરે પ્રકારના સંશયો થતા રહે, પરંતુ આવા સંશયો કોઈનેય થતા નથી. વળી ચિત્તવૃત્તિનું અજ્ઞાત રહેવું સંભવતું હોત ... તો અહીં અમુક પદાર્થ નથી એવો નિશ્ચય થઈ શકશે નહીં. અહીં અમુક પદાર્થ નથી એવો નિશ્ચય થવાનું કારણ એ છે કે તે પદાર્થ પ્રત્યક્ષ થવાને યોગ્ય હોવા છતાં આપણને તેનું જ્ઞાન તે પ્રદેશમાં થતું નથી. ચિત્તવૃત્તિનું અજ્ઞાત રહેવું સંભવિત માનતાં એવું પણ બને કે પદાર્થ ત્યાં હોય અને આપણું ચિત્ત તદાકાર પરિણામને પામેલું હોવા છતાં તે પરિણામ અર્થાત્ વૃત્તિ અજ્ઞાત રહેવાને કારણે તે પદાર્થનું જ્ઞાન આપણને થાય નહિ. આમ અમુક વસ્તુ અમુક સ્થળે નથી એવો અભાવનિશ્ચય કદાપિ ન થવાની આપત્તિ આવે, એટલે ચિત્તની અર્થાકાર પરિણમેલી વૃત્તિ તેમજ સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષરૂપ વૃત્તિઓ પુરુષને સદા જ્ઞાત જ હોય છે એમ