SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા. ૨ કઠ 128 અને માંડૂકય 710 પણ વિજ્ઞાનના વિષય તરીકે આત્માને જણાવે છે. મુંડક 1.2.12-13 માં વિજ્ઞાનના વિષય તરીકે અક્ષર પુરુષનો નિર્દેશ છે.11 અહીં શંકર “તવિજ્ઞાનાર્થ” પદને સમજાવતાં લખે છે કે સમયે શિવમ્ અવૃત નિત્યં પર્વ ય દિશાનાર્થમ્ | તૈત્તિરીય ઉપનિષદ 3.2માં બ્રહ્મ વિજ્ઞાનનો વિષય છે.12 અને શ્વેતાશ્વર ઉપનિષદ 5.9માં જીવ વિજ્ઞાનનો વિષય છે,ી પ્રશ્રોપનિષદ 3.12 અનુસાર વિજ્ઞાનનો વિષય છે પ્રાણની ઉત્પત્તિ-આગમન-સ્થિતિ, તેનું પંચધા વિભુત્વ અને અધ્યાત્મસ્વરૂપ. આમ, વિજ્ઞાનનો વિષય પણ પ્રાયઃ અક્ષર પુરુષ, આત્મા, જીવ અને બ્રહ્મ જ છે. આમ જ્ઞાન અને વિજ્ઞાનનો વિષય એક જ છે, ભિન્ન નથી. જે જ્ઞાનનો વિષય છે તે વિજ્ઞાનનો વિષય છે. જ્ઞાનનાં સાધન કઠોપનિષદ 1.2.7માં જ્ઞાનના સાધન તરીકે કુશલ આચાર્યને ગણાવવામાં આવેલ છે. વ્યાખ્યામાં શંકર કહે છે કે નિપુણ આચાર્યના ઉપદેશ દ્વારા આત્માનું જ્ઞાન થાય છે. કઠ 2.3.8ના “જ્ઞાત્વા” પદની સમજૂતી આપતાં શંકર કહે છે જ્ઞાત્વા નાવાર્યતઃ શાશ્વત 1 કેવલ્ય ઉપનિષદ ૨૮માં શતરુદ્રિયના જાપને પણ જ્ઞાનનું સાધન ગણ્યું છે.' વિજ્ઞાનનાં સાધન તેત્તિરીય ઉપનિષદ 3.2માં તપને વિજ્ઞાનનું સાધન ગણવામાં આવ્યું છે.17 શંકર પોતાની ટીકામાં લખે છે કે વાદ્યાન્ત રાસમાંથાનનાં પરમં તા: સાધનનુતિ કરાઈઃ કઠોપનિષદ 1.2.8 અનુસાર આત્માનું વિજ્ઞાન અનન્ય રીતે તેના વિશે કહેવામાં આવતાં થાય છે. શંકર આની વ્યાખ્યામાં જણાવે છે કે પુર્વ સુવિય માત્મા આવતા માવાયેંગ અનન્યતા પ્રોવતઃ | મુંડક 1.2.12 સ્પષ્ટપણે જણાવે છે કે ગુરુ જે અક્ષર પુરુષના વિજ્ઞાનનું સાધન છે.18 આની શંકરની વ્યાખ્યા નોંધપાત્ર છે. તે લખે છે : મર્થ શિવમવૃત્ત નિત્ય पदं यत् तद्विज्ञानार्थं विशेषेण अधिगमार्थं स निर्विण्णो ब्राह्मणो गुरुमेवाचार्य शमदमादिसम्पन्नमभिगच्छेत् । शास्त्रज्ञोऽपि स्वातन्त्र्येण ब्रह्मज्ञानान्वेषणं न कृर्यादित्येतत् गुरुमेवेत्यवधारणफलम् । - મુંડક 2.2.7ની વ્યાખ્યામાં પણ શંકર આચાર્યોપદેશને વિજ્ઞાનનું કારણ ગણે છે. વિજ્ઞાન વિશિષ્ટ શાસ્ત્રીવાર્યોદ્દેશનલેન જ્ઞાનેના એવી વિજ્ઞાનની સમજૂતી તે આપે છે. છાંદોગ્ય 7.7.1માં ધ્યાન કરતાં વિજ્ઞાન ચઢિયાતું છે એમ કહેવામાં આવ્યું છે. તેની સમજૂતીમાં શંકર જણાવે છે કે વિજ્ઞાનં શાસ્ત્રાર્થવિષય જ્ઞાન, તસ્ય ધ્યાનરખત્વાન્ ધ્યાનાર્ પૂર્વમ્ ! વિજ્ઞાનનું કારણ ધ્યાન હોઈ ધ્યાન
SR No.005851
Book TitleJain Darshan ane Sankhya Yogma Gyan Darshan Vicharna
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherSanskrit Sanskriti Granthmala
Publication Year1994
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy