________________
ભાવરૂપ અવિદ્યાનું સાધક પ્રથમ પ્રકારનું સાસ્પ્રિત્યક્ષ
ર
પ્રમેયત્વ ધર્મ વ્યર્થવિશેષણતાદોષરહિત છે તેમ જ વ્યભિચારી વસ્તુમાં અવૃત્તિ છે. શુદ્ધ પ્રમેયત્વ ગગનાદિ નિત્ય દ્રવ્યમાં છે અને ગગનાદિ નિત્ય દ્રવ્ય વ્યભિચારી નથી એ અગાઉ વિાદ રીતે જણાવી ગયા છીએ. તેથી શુદ્ધ પ્રમેયત્વ પ્રદર્શિત વ્યાપ્યતાનો અવચ્છેદક બને તો કોઈ પણ દોષ નથી. એટલે શુદ્ધ પ્રમેયત્વ જ ઉક્ત વ્યાપ્તિનો અવચ્છેદક છે. તેથી જેમ વસ્તુતઃ વૃત્તિમ પ્રમેયગત વ્યાપ્તિ શુદ્ધ પ્રમેયત્વ દ્વારા જ ગૃહીત થાય છે તેમ વસ્તુતઃ તત્તત્રીલાદિવ્યક્તિગત પ્રતિયોગિતા પણ નીલત્યાદિ સાધારણધર્મરૂપે જ ગૃહીત થાય છે. જેમ વસ્તુતઃ વ્યાપ્યતાનવચ્છેદક ધર્મ દ્વારા વ્યાપ્યતા ગૃહીત થાય છે તેમ વસ્તુતઃ પ્રતિયોગિતાનવચ્છેદક ધર્મ દ્વારા પ્રતિયોગિતા ગૃહીત થાય છે. તેથી અદ્વૈતસિદ્ધિકારે જે કહ્યું કે ‘પ્રતિયોગિતાના અનવચ્છેદક ધર્મ દ્વારા પ્રતિયોગિતા કેવી રીતે ગૃહીત થાય ?’, તે સંગત નથી. ‘દ પાસે ની ઘટો નાસ્તિ (અહીં કાલમાં અત્યારે ઘટ નથી) ’ આ રીતે થતા તદ્ઘદ્રવ્યક્તિના પ્રાગભાવને વિષય કનાર જ્ઞાનનો વિષય છે પ્રાગભાવ અને તે પ્રાગભાવનો પ્રતિયોગી છે તઘટવ્યક્તિ. આ પ્રતિયોગી તદ્ઘદ્રવ્યક્તિમાં જે પ્રતિયોગિતા ધર્મ છે તેનો અવચ્છેદક વસ્તુતઃ તઘટવ્યક્તિત્વ છે છતાં શુદ્ઘ ઘટત્વથી વચ્છિન્ન પ્રતિયોગિતા ઉક્ત જ્ઞાનનો વિષય બને છે. તઘટવ્યક્તિનો પ્રાગભાવ જ ‘રૂદ પાતે ાની થટો નાસ્તિ’ એ જ્ઞાનનો વિષય છે, તદ્ઘટના ઉપાદાન તત્કપાલમાં તદ્ઘટનો પ્રાગભાવ જ ઉક્ત જ્ઞાનનો વિષય છે. અને એવું જ્ઞાન તો થતું નથી કે ‘જ્ઞ પાને તઘટો મવિષ્યતિ'. પ્રાગભાવજ્ઞાનકાળે પ્રતિયોગી ઉત્પન્ન જ થયો ન હોવાથી તવ્યક્તિત્વરૂપે પ્રતિયોગીનું જ્ઞાન સંભવતું જ નથી. તેથી શુદ્ધ ત્વરૂપે પ્રતિયોગી ભાસે છે. એ જ રીતે, “ય જ્ઞાન નાસ્તિ' એવું જ્ઞાન પણ પ્રમાતૃપુરુષગત જ્ઞાનવિરોષપ્રાગભાવવિષયક હોય છે. અહીં જેનો પ્રતિયોગી જ્ઞાનવિરોષ શુદ્ધ જ્ઞાનત્વરૂપે ગૃહીત થયો છે તે પ્રાગભાવનું (જ્ઞાનવિરોષપ્રાગભાવનું) જ્ઞાન થાય છે. તેથી અદ્વૈતસિદ્ધિકારે દર્શાવેલ દોષ અસંગત છે. ૬૦
આની સામે અદ્વૈતસિદ્ધિકારનો ઉત્તર નીચે પ્રમાણે છે. દ્વૈતવાદીનું ઉપર્યુક્ત સમાધાન અયોગ્ય છે. અભાવત્વરૂપે અભાવનું જ્ઞાન નિયત પ્રતિયોગીથી વિરોષિત હોય છે. અભાવાનમાં પ્રતિયોગ્યો પ્રકારીભૂત બની ભાસતો ધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદક બને છે. ‘ઘટનો અભાવ, પટનો અભાવ’ આવું અભાવનું જ્ઞાન થાય છે. પ્રતિયોગીથી અવિશેષિત કોઈ પણ અભાવનું જ્ઞાન થઈ રાકે જ નહિ. કેવળ અભાવ કહેતાં પણ સામાન્યભાવે પ્રતિયોગી અવસ્ય ભાસે છે, જેમ પુત્ર કહેતાં ‘કોઈકનો પુત્ર’ એવું અનિર્દિષ્ટભાવે જ્ઞાન થાય છે – સર્વથા પિતૃનિરપેક્ષ પુત્ર વસ્તુ જ હોઈ શકે નહિ. અભાવજ્ઞાન બાબતે પણ આવું જ સમજવું, અભાવવસ્તુ પણ 'નિયતસંબન્ધિક છે. તેથી તે નિયતસપ્રતિયોગિક છે. નિષ્રતિયોગિક અભાવ હોતો જ નથી. નિપ્રતિયોગિક અભાવ ભાવવિલક્ષણ હોય જ નહિ. ખાસ તો એ કે વિસેષપ્રતિયોગીનો અભાવ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક હોઈ શકે જ નહિ. જો હોઈ શકે તો વિદ્ભૂતલમાં થતું ‘નિર્દેષ્ટ મૂતત્વમ્ ( ભૂતળ ઘટરહિત છે)’ એવું જ્ઞાન પ્રમા બની જવાની આપત્તિ આવે. વળી, ઘટજ્ઞાનવાન્ પુરુષની બાબતમાં કોઈને થતું ‘તે પુરુષમાં ઘટજ્ઞાન નથી’ એવું જ્ઞાન પ્રમા બની જવાની આપત્તિ આવે. ઘટવિષયક કોઈક જ્ઞાન હોવા છતાં ઘટવિષયક અન્ય જ્ઞાનનો અભાવ સંભવે છે. ઉદાહરણાર્થ, જ્યારે ઘટનું પ્રત્યક્ષ હોય છે ત્યારે ઘટની અનુમિતિ કે સ્મૃતિ હોતી નથી. આ પ્રસંગે ઘટવિષયક પ્રત્યક્ષજ્ઞાનથી વિશિષ્ટ વ્યક્તિની બાબતમાં “તેનામાં ઘટાનુમિતિ નથી, તેનામાં ઘટસ્મૃતિ નથી’ એવું જ્ઞાનવિરોષીભાવનું જ્ઞાન થઈ રાકે, પરંતુ “તેનામાં ઘજ્ઞાન નથી’ એવું