________________
ભાવરૂપ અવિદ્યાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
૮૧
જ ઉત્પન્ન કરી શકાય. અનુત્પન્ન ઘટવિષયક ઇચ્છા અને કૃતિ દ્વારા જ કુંભાર ઘટને ઉત્પન્ન કરે છે. કુંભારને અનુત્પન્ન ઘટવિષયક ઇચ્છા અને કૃતિ હોય છે એમ અવશ્ય સ્વીકારવું જોઈએ. જે કાર્ય વિશે જેને ચિકીર્ષા કે કૃતિ નથી તે કાર્યને તે કરતો નથી. અને ચિકીર્ષા અને કૃતિનું કારણ છે જ્ઞાન. અજ્ઞાત વિષયમાં ચિકીર્ષા કે કૃતિ થતી નથી. તેથી અનુત્પન્ન ઘટને વિષય કરનારું જ્ઞાન ઘટોત્પત્તિ પહેલાં કુંભારને હોવું જોઈએ. અનુત્પન્ન ઘટને જાણીને ઇચ્છા કરીને કૃતિ દ્વારા કુંભાર તેને ઉત્પન્ન કરે છે. પરંતુ અનુત્પન્ન તઘટ વ્યક્તિને તઘટવ્યક્તિત્વરૂપે જાણવાનો કોઈ ઉપાય નથી. તેથી બધાએ ન છૂટકે એ સ્વીકારવું જોઈએ કે ઇચ્છા અને કૃતિની વિષયભૂત અસિદ્ધ જે 'ઘટાદિ વસ્તુઓ છે તવૃત્તિધર્મપ્રકારક જ્ઞાન જ અસિદ્ધવિષયક ઇચ્છા અને કૃતિનું કારણ છે. ઇવૃત્તિધર્મપ્રકારક જ્ઞાનને જ અસિદ્ધવિષયક ઇચ્છા અને કૃતિનું કારણ ગણવામાં આવે છે. પરંતુ ઇષ્ટવિષયક જ્ઞાનને અસિદ્ધવિષયક ઇચ્છા અને કૃતિનું કારણ ગણાય નહિ. સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિ ન સ્વીકારીએ તો ઇવૃત્તિધર્મના આશ્રયભૂત ઇષ્ટ વસ્તુને જાણવાનો કોઈ જ ઉપાય નથી. તેથી જેઓ સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિ સ્વીકારતા નથી તેઓ ઇવૃત્તિધર્મપ્રકારક જ્ઞાનને જ અસિદ્ધવિષયક ઇચ્છા અને કૃતિનું કારણ કહે છે. આ રીતે અસિદ્ધ પ્રતિયોગીના પ્રાગભાવનું જ્ઞાન પણ પ્રતિયોગિવૃત્તિધર્મપ્રકારક જ્ઞાન દ્વારા જ ઉત્પન્ન થાય છે. પ્રતિયોગિતાવચ્છેદક ધર્મપ્રકારક જ્ઞાન પ્રાગભાવપ્રત્યક્ષમાં અપેક્ષિત નથી.૬૨
આની સામે અદ્વૈતસિદ્ધિકાર નીચે પ્રમાણે આપત્તિ આપે છે. જે ધર્મ પ્રતિયોગીમાં રહેતો (પ્રતિયોગિવૃત્તિ) હોવા છતાં પ્રતિયોગિતાનો અનવચ્છેદક છે તે ધર્મ દ્વારા પ્રતિયોગિતા ગૃહીત થાય કેવી રીતે ? પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ પ્રતિયોગિતાનો વ્યાપ્ય હોઈ તે વ્યાપ્ય ધર્મ દ્વારા વ્યાપક પ્રતિયોગિતાનું જ્ઞાન સંભવે છે. પરંતુ માત્ર પ્રતિયોગીમાં રહેતો (પ્રતિયોગિવૃત્તિમાત્ર) ધર્મ પ્રતિયોગિતાનો વ્યાપ્ય નથી, તો પછી પ્રતિયોગિતાના અવ્યાપ્ય ધર્મ દ્વારા પ્રતિયોગિતાનું જ્ઞાન થાય કેવી રીતે ? પ્રતિયોગિતતાના અનવચ્છેદક ધર્મ દ્વારા પણ જો પ્રતિયોગિતા ગૃહીત થઈ શકતી હોય તો પ્રતિયોગિતાવચ્છેદક ધર્મનું અનુસરણ વૃથા બની જાય. પ્રતિયોગિતાના જ્ઞાનને માટે જ પ્રતિયોગિતાવચ્છેદક ધર્મનું અનુસરણ કરવામાં આવે છે. પ્રતિયોગિતાવદક ધર્મને જાણ્યા વિના પ્રતિયોગિતાને જાણી શકાય જ નહિ. પ્રતિયોગિતાવચ્છેદક ધર્મને જાણ્યા પછી જ પ્રતિયોગિતાને જાણી શકાય છે. પ્રતિયોગિતાના અનવચ્છેદક ધર્મ દ્વારા પ્રતિયોગિતાનું જ્ઞાન થઈ ‘શકે જ નહિ. ૬૪
આનો ઉત્તર આપતાં દ્વૈતવાદી નીચે પ્રમાણે કહે છે. અદ્વૈતસિદ્ધિકારે જે કહ્યુ તે યોગ્ય નથી • કારણ કે વિરોષધર્માવચ્છિન્ન વ્યાપ્તિ પણ સામાન્ય ધર્મ દ્વારા જ ગૃહીત થાય છે, વ્યાપ્યતાવચ્છેદક ધર્મ દ્વારા જ વ્યાપ્યવૃત્તિ વ્યાપ્યતા અર્થાત્ વ્યાપ્તિ ગૃહીત થાય છે, સામાન્યપણે વ્યાપ્યતાના અનવચ્છેદક ધર્મ દ્વારા વ્યાપ્યતાનું જ્ઞાન થતું નથી પરંતુ કેટલેક સ્થાને વિશેષધર્માવચ્છિન્ન વ્યાપ્તિ પણ સામાન્ય ધર્મ દ્વારા ગૃહીત થાય છે. વૈશેષિકદર્શન અનુસાર અભિધેયત્વ, પ્રમેયત્વ વગેરે ધર્મો તન્મતસિદ્ધ સાતે સાત પદાર્થોમાં છે - અર્થાત્ એવો કોઈ પદાર્થ નથી જેમાં આ ધર્મો ન હોય. તેથી અભિધેયત્વ, પ્રમેયત્વ વગેરે ધર્મો કેવલાન્વયી છે. અભિધેયત્વ વગેરે ધર્મોનો અભાવ ક્યાંય નથી. આ અભિધેયત્વ વગેરે ધર્મોના કેવલાન્વયિત્વની રક્ષા કરવા માટે અભિધેયત્વાદિ ધર્મમાં પણ અભિધેયત્વાદિ ધર્મ સ્વીકારવામાં આવેલ છે. એક જ વસ્તુમાં આધારાધેયભાવ વિરુદ્ધ હોવા છતાં અર્થાત્ એક વસ્તુ પોતે જ આધેય અને એ આધેયનો આધાર પણ પોતે એમ માનવું વિરુદ્ધ