SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવરૂપ અવિદ્યાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ ૧૯ (અર્થાત્ વિરોષધર્મરૂપે) ભાસતો નથી પણ ઘટત્વરૂપે (અર્થાત્ સામાન્યધર્મરૂપે) જ ભાસે છે. ‘7 જ્ઞાનામિ’ એ જ્ઞાનનો વિષય છે જ્ઞાનવિશેષાભાવ, અને આ જ્ઞાનવિરોષાભાવના જ્ઞાનમાં પ્રતિયોગી જ્ઞાનવિશેષ પણ જ્ઞાનત્વસામાન્યધર્મરૂપે ભાસે છે. ‘ન જ્ઞાનામિ’ એ જ્ઞાનનો વિષય સઘળાં વિરોધજ્ઞાનોનો અભાવ (યાવદ્વિશેષજ્ઞાનાભાવ) નથી. જો હોય તો ધર્મી અને પ્રતિયોગીનું જ્ઞાન પૂર્વે અપેક્ષિત હોઈ વિરોષજ્ઞાન થતાં યાવદ્વિરોષજ્ઞાનાભાવનું જ્ઞાન કદી સંભવે જ નહિ. તેથી ‘ન જ્ઞાનામિ’ એ જ્ઞાનનો વિષય યાત્રક્રિરોષજ્ઞાનાભાવ નથી પરંતુ અમુક વિશેષજ્ઞાનનો અભાવ છે – બ્રહ્મજ્ઞાનનો અભાવ છે. આ જ્ઞાનાભાવનું પ્રતિયોગી વિશેષજ્ઞાન સામાન્યજ્ઞાનત્વધર્મરૂપે ભાસે છે. તેથી કોઈ જ્ઞાન હોવા છતાં કોઈ જ્ઞાનનો અભાવ પ્રત્યક્ષ થવામાં કોઈ જ બાધા નથી. આવો નિયમ ન સ્વીકારીએ તો કોઈ પણ પ્રાગભાવનું પ્રત્યક્ષ અસંભવ બની જાય. પરંતુ પ્રતિયોગીના સમવાયી કારણમાં ભાવવસ્તુનો પ્રાગભાવ પ્રમાણસિદ્ધ છે. પ્રતિયોગીની ઉત્પત્તિ પહેલાં પ્રતિયોગીના સમવાયી કારણમાં પ્રાગભાવનું પ્રત્યક્ષ થાય છે. પરંતુ પ્રતિયોગીની ઉત્પત્તિ પહેલાં પ્રતિયોગીનું વિરોષભાવે જ્ઞાન થઈ શકે નહિ. તેથી પ્રાગભાવના પ્રત્યક્ષમાં પ્રતિયોગીનું જ્ઞાન અપેક્ષિત હોવા છતાં સામાન્યભાવે જ પ્રતિયોગીવિશેષનું જ્ઞાન થાય છે. અને સામાન્યભાવે થતા પ્રતિયોગીવિરોષના જ્ઞાનને જ પ્રાગભાવના પ્રત્યક્ષમાં કારણ તરીકે સ્વીકારવું જોઈએ. વિશેષરૂપે પ્રતિયોગીવિરોષનું જ્ઞાન પ્રાગભાવના પ્રત્યક્ષમાં કારણ તરીકે અપેક્ષિત હોય તો પ્રાગભાવનું પ્રત્યક્ષ કદી થઈ શકે જ નહિ, તેથી પ્રાગભાવના પ્રત્યક્ષના અનુરોધે અદ્વૈતવેદાન્તીએ પણ આ સ્વીકારવું જોઈએ કે સામાન્યધર્મરૂપે પ્રતિયોગીવિશેષનું જ્ઞાન થતાં પ્રતિયોગીવિરોષના અભાવનું પ્રત્યક્ષ થઈ શકે છે, અને ‘મયિ જ્ઞાનં નાસ્તિ’ એ પ્રત્યક્ષજ્ઞાનનો વિષય જ્ઞાનવિરોષનો અભાવ બની શકે છે. ૫૯ આની સામે અદ્વૈતસિદ્ધિકારનો ઉત્તર નીચે મુજબ છે. ન્યાયામૃતકારની વાત અસંગત છે, · કારણ કે ‘મારામાં જ્ઞાન નથી’ એ જ્ઞાનાભાવજ્ઞાનનો વિષય જો વિશેષજ્ઞાનનો અભાવ હોય તો પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ વિરોષજ્ઞાનત્વ જ હોય, શુદ્ધજ્ઞાનત્વ હોઈ શકે જ નહિ. વિશેષજ્ઞાનત્વાવચ્છિન્ન વસ્તુ પ્રતિયોગી હોય તો એ પ્રતિયોગીનું જ્ઞાન વિશેષજ્ઞાનના અભાવના જ્ઞાનમાં રણ બને. પરિણામે, વિરોષજ્ઞાનના અભાવના જ્ઞાન પહેલાં વિરોષજ્ઞાન જ જ્ઞાત થઈ જાય અને વિરોષજ્ઞાન જ્ઞાત થતાં વિરોષ પણ જ્ઞાત થઈ જાય. વિશેષનું જ્ઞાન હોતાં વિશેષજ્ઞાનનો અભાવ હોય જ કેવી રીતે ? વિરોષજ્ઞાન હોય તે જ વખતે વિરોષજ્ઞાનનો અભાવ સંભવતો નથી. તેથી પૂર્વે જણાવેલ વ્યાઘાતદોષ રહે છે જ. વિરોષનો અભાવ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક નથી એ પહેલાં વિરોષરૂપે કહેવાઈ ગયું છે. પ્રાગભાવના પ્રતિયોગીનું જ્ઞાન પ્રતિયોગિતાવચ્છેદક ધર્મરૂપે સંભવિત ન હોવાથી પ્રાગભાવજ્ઞાન અસિદ્ધ જ રહે છે. પ્રાગભાવનો પ્રતિયોગી તક્તિ છે. તવ્યક્તિની ઉત્પત્તિ પહેલાં તવ્યક્તિત્વરૂપે તવ્યક્તિનું જ્ઞાન સંભવતું ન હોવાથી તક્તિના પ્રાગભાવનું જ્ઞાન અસિદ્ધ જ રહે. ૬૦ અહીં ઉત્તરમાં દ્વૈતવાદી એક નવીન યુક્તિ આપે છે. તે ઉત્તર નીચે પ્રમાણે છે. અભાવજ્ઞાનમાં પ્રતિયોગી જે ધર્મરૂપે ભાસે તે ધર્મને પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ કહેવામાં આવે છે. ઉદાહરણાર્થ, ઘટાભાવજ્ઞાનમાં ઘટરૂપ પ્રતિયોગી ઘટત્વરૂપે ભાસે છે, તેથી ઘટત્વધર્મ જ ઘટાભાવીય પ્રતિયોગિતાનો અવચ્છેદક છે. આ પ્રતિયોગિતાવચ્છેકધર્મપ્રકારક જ્ઞાન અભાવજ્ઞાનનું કારણ નથી. અભાવજ્ઞાનમાં પ્રતિયોગિતાવચ્છેદધર્મપ્રકારક જ્ઞાનની અપેક્ષા નથી. પરંતુ
SR No.005850
Book TitleAvidyavichar
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherSanskrit Sanskriti Granthmala
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy