SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવરૂપ અવિદ્યાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ ७७ એ સ્પષ્ટ છે. કે વિશિષ્ટવૈશિષ્ટયગ્રાહી ખોધના સમાન આકારવાળા સઘળા બોધને વિરાભેણતાવચ્છેદકપ્રકારક નિશ્ચયની અપેક્ષા નથી – અર્થાત્ કેટલાકને અપેક્ષા છે અને કેટલાકને અપેક્ષા નથી. ઈશ્વરનું જ્ઞાન નિત્ય હોઈ તેનો વિશિષ્ટવૈશિષ્ટ્યગ્રાહી ખોધ વિશેષણતાવચ્છેદકપ્રકારક નિશ્ચયથી જન્ય ન હોવા છતાં બીજા પુરુષોની બાબતમાં એ નિયમ છે કે તેમનો વિશિષ્ટવૈશિષ્ટ્યગ્રાહી બોધ અવશ્યપણે વિશેષણતાવછેઠકપ્રકારક નિશ્ચયથી જન્ય છે – આમ કહેવું ન જોઈએ. એવો કોઈ નિયમ નથી કે ઈશ્વરાતિરિક્ત પુરુષોની બાબતમાં તેમનો વિશિષ્ટવૈશિષ્ટ્યગ્રાહી બોધ અવશ્યપણે વિશેષણતાવચ્છેદકપ્રકારક નિશ્ચયથી જન્ય હોવો જોઈએ. જો એવો નિયમ સ્વીકારામાં આવે કે ઈશ્વરાતિરિક્ત પુરુષોનો વિશિષ્ટવૈશિષ્ટ્યાવગાહી બોધ અવશ્યપણે વિરોષણતાવચ્છેદકપ્રકારક નિશ્ચયથી જન્ય હોવો જ જોઈએ તો જે અભ્રાન્ત પુરુષોને ભ્રાન્તિનું જ્ઞાન થાય તે પુરુષો સ્વયં ભ્રાન્ત થઈ પડે.પપ અહીં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે ‘પ્રજ્ઞળસામથ્રીતુન્યત્વે પ્રવૃત્તેઽપિ સમમ્'. લઘુચંદ્રિકાકાર જણાવે છે કે એનો અર્થ એવો છે કે ગ્રહણાકારનું તુલ્યત્વ હોય છે અર્થાત્ જ્ઞાનોના આકારો તુલ્ય હોય છે. પરંતુ એનો અર્થ એવો નથી સમજવાનો કે જ્ઞાનોનાં કારણો તુલ્ય હોય છે, કારણકે ઈશ્વરનું જ્ઞાન નિત્ય હોઈ તૈયાયિકો આગળ ઉભયવિધ જ્ઞાનનું કારણ તુલ્ય છે એમ કહી શકાય નહિ. ઈશ્વરજ્ઞાન જન્ય જ નથી, તેને કારણ જ નથી. વિશેષણતાવચ્છેદકપ્રકારક નિશ્ચયથી જન્ય જ્ઞાન જે આકાર ધરાવે છે તે જ આકાર ‘વિશેષ્ય વિશેષાં તત્રાવિ વિશેષળાન્તરમ્' એ રીત પ્રમાણે થયેલું જ્ઞાન ધરાવે છે. અહીં ધ્યાનમાં રાખવાનું એ છે કે ‘નિય જ્ઞાનં નાસ્તિ' ઈત્યાદિ અજ્ઞાનપ્રત્યક્ષને જેઓ જ્ઞાનાભાવવિષયક માને છે તેમના મતમાં ‘વિશેષ્ય વિશેષાં તત્રાપિ વિશેષળાન્તરમ્' રીત પ્રમાણે અભાવનું પ્રત્યક્ષ થઈ શકે નહિ. બધાં અભાવપ્રત્યક્ષો વિશિષ્ટના વૈશિષ્ટયને ગ્રહણ કરતા હોવાથી તે બધાંને જ વિરોષણતાવચ્છેદકપ્રકારક નિશ્ચયની અપેક્ષા હોય જ.'' અદ્વૈતવેદાન્તીનું કહેવું છે કે ભાવરૂપ અજ્ઞાનના પ્રત્યક્ષમાં વ્યાઘાતદોષ આવતો નથી કારણ કે તે પ્રત્યક્ષમાં વિશિષ્ટવૈરિષ્ટચગ્રાહી બોધ વિરોષણતાવરચ્છેદકપ્રકારક નિશ્ચયની અપેક્ષા વિના જ ‘વિશેષ્યે વિશેષાં તત્રપિ વિશેષળાન્તરમ્' રીત અનુસાર થાય છે, પરંતુ જ્ઞાનાભાવના પ્રત્યક્ષમાં વ્યાઘાતદોષ અવશ્ય આવે છે કારણ કે અભાવપ્રત્યક્ષમાં વિશિષ્ટવૈશિષ્ટ્યગ્રાહી ખોધ નિયતપણે વિશેષણતાવચ્છેદકપ્રકારક નિશ્ચયથી જન્ય જ હોય છે અને ‘વિશેષ્યે વિશેષમાં તત્રાવિ વિશેષળાન્તરમ્' રીત અનુસાર તેનું થયું સંભવતું નથી. આની સામે ન્યાયામૃતકાર એક નવી આપત્તિ આપે છે. તે નીચે પ્રમાણે છે. અદ્વૈતવાદીને બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિ પહેલાં વેદાન્તવાક્યશ્રવણાદિથી સાધ્ય અને મોક્ષના હેતુરૂપ બ્રહ્મજ્ઞાનનો પ્રાગભાવ હોય છે. આ બ્રહ્મજ્ઞાનના પ્રાગભાવનું જ્ઞાન વેદાન્તીએ સ્વીકારવું જોઈએ, કારણ કે બ્રહ્મજ્ઞાનનો પ્રાગભાવનું જ્ઞાન થયા પછી જ બ્રહ્મજ્ઞાનને માટે વેદાન્તવાક્યશ્રવણાદિમાં વેદાન્તી પ્રવૃત થઈ શકે. પરંતુ આ બ્રહ્મજ્ઞાનના પ્રાગભાવનું જ્ઞાન વેદાન્તીને થઈ શકે જ નહિ. જ્ઞાનપ્રાગભાવનું જ્ઞાન વ્યાઘાતદોષાકાન્ત છે. અને બ્રહ્મજ્ઞાનના પ્રાગભાવનું જ્ઞાન ન થાય તો અદ્વૈતવેદાન્તીની વેદાન્તવાક્યશ્રવણાદિમાં પ્રવૃત્તિ જ ન થાય. ૫૭ આના ઉત્તરમાં અદ્વૈતસિપ્રિકાર કહે છે કે અહીં કોઈ વ્યાઘાતદોષ આવતો નથી: બ્રહ્મજ્ઞાનના પ્રાગભાવનો પ્રતિયોગી છે બ્રહ્મજ્ઞાન, આ પ્રતિયોગીનું જ્ઞાન પ્રાગભાવના જ્ઞાનની પહેલાં અપેક્ષિત હોઈ વ્યાઘાતદોષ આવે છે એમ ન્યાયામૃતકારનું કહેવું છે. પરંતુ આમ કહેવું
SR No.005850
Book TitleAvidyavichar
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherSanskrit Sanskriti Granthmala
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy