SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ ભાવરૂપ અવિઘાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ આ બે ધર્મોથી વિશિષ્ટ અજ્ઞાનનું વૈશિષ્ટય ભાસે છે. આ વિશિષ્ટવૈશિષ્યગ્રાહી પ્રતીતિમાં જ્ઞાનવિરોધિત્વ અને સવિષ્યવબંને ધર્મો વિરોષણતાવચ્છેદકરૂપે ભાસવા છતાં એ બે ધર્મોમાંથી એક પણ ધર્મ બીજાના ધર્મિતાવચ્છેદકરૂપે ભાસતો નથી. અર્થાત્ જ્ઞાનવિરોધિત્વવિશિષ્ટ અજ્ઞાનરૂપ ધર્મીમાં સવિષયક્તધર્મ વિરોષણતાવચ્છેદરૂપે ભાસતો નથી, અને સવિષયવૈવિશિષ્ટ અજ્ઞાનરૂપ ધર્મામાં જ્ઞાનવિરોધિત્વધર્મ વિરોષણતાવચ્છેદકરૂપે ભાસતો નથી. પ્રદર્શિત બંને ધર્મોમાંનો એક વિશેષણતાવચ્છેદકરૂપે અને બીજો ધર્મિતાવચ્છેદકરૂપે ભાસતો નથી પરંતુ બંને ધર્મો તુલ્યભાવે પત્ર દ્વયમ્' એ રીતે અથવા તે પોત’ ન્યાયની રીતે એક અજ્ઞાનરૂપ ધર્મામાં વિરોષણતાવચ્છેદકરૂપે ભાસે છે. ઉદાહરણાર્થ ‘થ્વી eતી વાણી ચૈત્ર એ પ્રતીતિમાં ચૈત્રરૂપ ધર્મીમાં દંડ, કુંડલ, વગેરે વિરોષણયુગપતુલ્યભાવે ભાસે છે પણ દંડવિશિષ્ટચૈત્રમાં કુંડલ વિરોષણ ભાસતું નથી. એ જ રીતે જ્ઞાનવિરોધિત્વ અને સવિષયકત્વ બંને ધર્મો અજ્ઞાનરૂપ ધર્મામાં યુગપત્ ભાસે છે પણ એક ધર્મરૂપ વિરોષણથી વિશિષ્ટમાં બીજું ધર્મરૂપ વિશેષણ ભાસતું નથી. એક વિશેષણથી વિશિષ્ટમાં બીજું વિરોષણ ભાસતું હોય તો પહેલાં જે વિરોષણ ભાસ્યું હોય તે દ્વિતીય વિરોષણની વૈશિટ્યપ્રતીતિ વખતે ધર્મિતાવચ્છેદક બનીને ભાસે છે. દાખલા તરીકે લંડવાનું કુંgવનું'. અહીં દેડ ધર્મિતાવચ્છેદક છે અને કુંડલ વિરોષણ છે. જ્ઞાનવિરોધિત્વ અને સવિષયકત્વ બંને ધર્મોમાંથી એક પણ ધર્મ અજ્ઞાનરૂપ ધર્મામાં ધર્મિતાવચ્છેદકરૂપે ભાસતો નથી અને આ બે ધર્મોથી જુદો ત્રીજો કોઈ ધર્મ પણ અજ્ઞાનમાં ધર્મિતાવચ્છેદકરૂપે ભાસતો નથી. વિરોષણતાવચ્છેદક ધર્મની પ્રતીતિમાં, ધર્મીમાં અવશ્ય કોઈ ધર્મ ધર્મિતાવચ્છેદકરૂપે પ્રતીત થવો જોઈએ એવો કોઈ નિયમ નથી. તેથી અજ્ઞાનનું પ્રત્યક્ષ વિશિષ્ટ શિયગ્રાહી હોવા છતાં વિરોષણતાવચ્છેદકપ્રકારક નિશ્ચયની આવશ્યક્તા નથી. - આવું સ્વીકારવામાં ન આવે તો તૈયાયિકોના મનમાં પણ ઈશ્વરનું ભાતિજ્ઞત્વ ઘટી શકે નહિ. ઈશ્વર પોતે ભાન નહોવા છતાં ભાન પુરુષની ભ્રાન્તિને જાણે છે. ભ્રાન્ત પુરુષની ભ્રાન્તિને ઈશ્વર જો ન જાણે તો ઈશ્વરની સર્વજ્ઞતાને હાનિ થાય. તેથી ઈશ્વર ભ્રાન્તિા હોવા છતાં અભ્રાન્ત છે. ભાતિવિષયક જ્ઞાન ઈશ્વરને છે એ સ્વીકારવું જોઈએ અને ભ્રાનિરૂપ જ્ઞાન સવિષયક છે એ પણ સ્વીકારવું જોઈએ. નિર્વિષયક ભ્રાન્તિરૂપ જ્ઞાન હોતું નથી. ઈશ્વરજ્ઞાનનો વિષય છે ભ્રાનિરૂપ જ્ઞાન અને ભ્રાન્તિરૂપ જ્ઞાનનો વિષય છે “તારે'. તેથી વિષયવિશેષિત ભ્રાનિરૂપ શાનથી ઈશ્વરજ્ઞાન વિશેષિત હોય છે. વિષયવિશિષ્ટ ભ્રાનિરૂપ જ્ઞાનનું વૈશિષ્ટટ્ય ઈશ્વરજ્ઞાનમાં ભાસે છે. તેથી ઈશ્વરનું ભાતિવિષયક જ્ઞાન વિશિષ્ટવૈશિશ્ચવિષયક હોય છે. આ વિશિષ્ટવૈશિટ્યગ્રાહી ઈશ્વરજ્ઞાનમાં ભ્રમરૂપ જ્ઞાનનો વિષય વિશેષણતાવચ્છેદક છે. આ વિશેષણતાવચ્છેદક વિષયનું સ્વતંત્રભાવે ઈશ્વરને જ્ઞાન હોય તો ભ્રાન્ત પુરુષની જેમ ઈશ્વર પણ ભ્રાન્ત થઈ પડે. જે વિષયને સ્વતંત્રભાવે જાણવાને કારણે ભ્રાન્ત પુરુષનું જ્ઞાન ભ્રાનિ થયું છે તે વિષયને સ્વતંત્રભાવે ઈશ્વર જાણે તો તેનામાં ભાતપણાની આપત્તિ આવે. જેમ ભ્રમરૂપ જ્ઞાનનો વિષય સ્વતંત્રભાવે ભ્રમરૂપ જ્ઞાનનો વિષય છે તેમ ઈશ્વરજ્ઞાનમાં ભ્રમરૂપજ્ઞાનનો વિષય સ્વતંત્રભાવે ઈશ્વરજ્ઞાનનો વિષય નથી. સ્વતંત્રભાવે ભ્રાનિ જ ઈશ્વરજ્ઞાનનો વિષય હોવાથી ભ્રાન્તિ દ્વારા ભાન્તિનો વિષય પણ પરંપરાથી ઈશ્વરજ્ઞાનનો વિષય હોય છે, સાલાર્ભાવે હોતો નથી; સાક્ષાભાવે વિષય હોય તો ઈશ્વરમાં ભ્રાન્તપણાની આપત્તિ આવે. આવું નૈયાયિકો સ્વીકારે છે. આ જ રીતે અદ્વૈત વેદાન્તી અનુસાર (ભાવરૂ૫) અજ્ઞાનના પ્રત્યક્ષમાં અજ્ઞાનનાં વિરોષણ જ્ઞાનવિરોધિત્વ અને સવિષયકત્વ
SR No.005850
Book TitleAvidyavichar
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherSanskrit Sanskriti Granthmala
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy