SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવરૂપ અવિઘાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ લક્ષણાનો સ્વીકાર કરવો ઉચિત નથી. નો અર્થ વિરોધી છે અને જ્ઞાધાતુનો અર્થ જ્ઞાન છે. તેથી એ બંને પકમિલિતભાવે ‘જ્ઞાનવિરોધી એવા અર્થના બોધક બને છે. તો પછી નપૂર્વક જ્ઞા ધાતુની લક્ષણા અજ્ઞાનત્વજાતિવિશિષ્ટમાં કેમ સ્વીકારાય? - આનો ઉત્તર નીચે પ્રમાણે છે. અધર્મપદ યોગાર્ય દ્વારા ધર્મવિરોધી વસ્તુનો બોધક થતો નથી પરંતુલક્ષણા દ્વારા પાપત્યજાતિવિશિષ્ટ વસ્તુનો બોધકથાય છે. જેમ અધર્મપદલક્ષ્ય પાપત્યજાતિવિશિષ્ટ વસ્તુ છે તેમનપૂર્વક જ્ઞા ધાતુનો પણ લક્ષણાલભ્ય અર્થ અજ્ઞાનત્વજાતિવિશિષ્ટ વસ્તુ છે. તેથી અદ્વૈતવાદીના મતે અજ્ઞાનનિષ્ઠ વિરોધની નિરૂપક પ્રમાનું જ્ઞાન પણ પ્રમાના અજ્ઞાન પ્રયુક્ત છે. આમ ન્યાયામૃતકાર પ્રદર્શિત વ્યાધાત સર્વથા નિર્મળ છે. અહીં ધ્યાનમાં રાખવું કે અદ્વૈતસિદ્ધિકાર અજ્ઞાનમાં જ્ઞાનવિરોધિત્વનો ઉલ્લેખ સ્વીકારીને વ્યાધાતદોષનો પરિહાર કરે છે જ્યારે ગૌડ બ્રહ્માનંદ અજ્ઞાનમાં જ્ઞાનવિરોધિત્વનો ઉલ્લેખ અહીં સ્વીકારતા જ ન હોઈ તેમના મતમાં પૂર્વપક્ષીએ (ન્યાયામૃતમારે ) દર્શાવેલ વ્યાઘાતદોષની સંભાવના જ નથી.* વસ્તુતઃ તો બ્રહાનંદ પણ અજ્ઞાનાનુભવમાં પ્રમાવિરોધિત્વના ઉલ્લેખનો અસ્વીકાર કરતી નથી. તે કહે છે કે – “ભજિ ત્યારોપ્રવિરોષળતયાઝમાત્વાગિનન’ ત્યાતો મજ્ઞાનविशेषणतया प्रमाविरोधस्यापि भानसम्भवात् । अविद्यमानत्वं च प्रमायामिव प्रमात्वघटकाज्ञातत्वेऽपि સમિતિ ભાવ: ' (લઘુચદ્રિકા, પૃ.૫૫૦). આનો અભિપ્રાય સમજાવીએ છીએ. અમાની ઉત્પત્તિદશામાં શિ’ એવું સાક્ષિપ્રત્યક્ષ થાય છે. આ સાક્ષિપ્રત્યક્ષમાં પ્રમાવિષયરૂપે ભાસે છે તેમ જ પ્રમાનો પ્રમાત્વ ધર્મ પ્રમાના વિશેષણરૂપે ભાસે છે. આ પ્રમાત્વ ધર્મ જાતિ કે અખંડોપાધિ નથી પરંતુ અજ્ઞાતાર્થવિષયકત્વરૂપ સખંડોપાધિ છે. અજ્ઞાતાર્થ એટલે અજ્ઞાનવિષયીભૂત અર્થ. પ્રમાનો ગ્રાહક સાક્ષી (સાક્ષિપ્રત્યક્ષ) પ્રમાને પ્રકાશિત કરવાની સાથે સાથે પ્રમાના વિરોષણ પ્રમાત્વને પણ પ્રકાશિત કરે છે. આ પ્રમાત્વ બીજું કંઈ નહિ પણ અજ્ઞાતાર્થવિષયત્વે જ છે. તેથી પ્રમાત્વને પ્રકાશિત કરતાં પ્રમાત્વના ઘટક અજ્ઞાનને પણ તે પ્રકાશિત કરે છે. પ્રમાની વિધમાન દશામાં સાક્ષી પ્રમાત્વના ઘટક જે અજ્ઞાનને પ્રકાશિત કરે છે તે અજ્ઞાન પ્રમા વડે દૂર થયેલું અજ્ઞાન છે. તે અજ્ઞાન વિદ્યમાન નથી પરંતુ પ્રમાવડે નિવૃત્ત થયેલું છે, તેથી તે અતીત છે. આમ પ્રમાનો ગ્રાહક સાક્ષી પ્રમાને પ્રકાશિત કરવાની સાથે સાથે પ્રમાનિવૃત્ત અતીત અજ્ઞાનને પ્રકાશિત કરે છે. તેવી જ રીતે, ‘હું જાણતો નથી એ સાક્ષિપ્રત્યક્ષ પણ અાનને પ્રકાશિત કરવાની સાથે સાથે અજ્ઞાનારામાં વિશેષણરૂપે રહેલ પ્રમાવિરોધિત્વને પણ પ્રકાશિત કરે છે, અર્થાતુ અજ્ઞાનનો ગ્રાહક સાક્ષી અજ્ઞાનના વિરોષણભૂત પ્રમાવિરોધિત્વને પ્રકાશિત કરે છે. આ પ્રમાવિરોધિત્વની ઘટક પ્રમા વિદ્યમાન નથી પરંતુ ભવિષ્યકાલીન છે - અનાગત છે. ભવિષ્યકાલીન પ્રમાના વિરોધિત્વરૂપે અજ્ઞાન સાક્ષી દ્વારા પ્રકાશિત થાય છે. જેમ માત્વ અજ્ઞાતાર્થવિષયસ્વરૂપ સખંડોપાધિ છે તેમ અજ્ઞાનત્વ પણ પ્રમાવિરોધિત્વરૂપ સખંડોપાધિ છે. ‘મિ”િ એ સાક્ષિપ્રત્યક્ષમાં પ્રમાત્વઘટક અતીત અજ્ઞાન સાક્ષિભાસ્ય બને છે. અર્થાતુ, જયારે સાક્ષિપ્રત્યક્ષ પ્રમાને પ્રકાશિત કરે છે ત્યારે સાથે સાથે પ્રમાત્વના ઘટક અતીત અજ્ઞાનને પણ પ્રકાશિત કરે છે – જે અજ્ઞાન પ્રમા સાથે સમાનવિષયક છે. આમાં કોઈ વિરોધ કે વ્યાધાત નથી. તેવી જ રીતે, જ્યારે સાક્ષિપ્રત્યક્ષ અજ્ઞાનને પ્રકાશિત કરે છે ત્યારે સાથે સાથે અન્નાનારાના " વિશેષણભૂત ભવિષ્યકાલીન પ્રમાવિરોધિત્વને પણ પ્રકાશિત કરે છે – આમાં પણ કોઈ વિરોધ * વ્યાઘાત નથી. જેમ પ્રમાના સાક્ષિપ્રત્યક્ષમાં પ્રમાનો પ્રકાશ અને સાથે સાથે પ્રમાસમાનવિષયક
SR No.005850
Book TitleAvidyavichar
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherSanskrit Sanskriti Granthmala
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy