________________
શાંકર વેકાનમાં અવિઘાવિચાર વિષયવૈલાય કોઈને પણ અનુભવસિદ્ધ નથી. હવે જો હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય પણ જ્ઞાનાભાવ જ છે એમ માનવામાં આવે તો આ વિષયલક્ષણ્યનો દોષ ન આવે.'
આના ઉત્તરમાં લઘુચન્દ્રિકાકાર કહે છે કે “૬ મુમ્’ ‘તિ નપુર:' આ બે પ્રતીતિના વિષયલક્ષણ્યની જેમ ઉક્ત બે પ્રતીતિનું વિષયલક્ષણ્ય દોષાવહ નથી. ‘મસુ' એ પ્રતીતિનો વિષય છે ‘સૂકૂચ' જ્યારે ‘મહુર:’ એ પ્રતીતિનો વિષય છે ‘સૂરવિરોધી' ૨૭
‘મારામાં જ્ઞાન નથી’ એ પ્રતીતિનો વિષય જ્ઞાનાભાવ માનતાં વ્યાઘાતદોષ આવે છે, એટલે અદ્વૈતવાદી એ પ્રતીતિનો વિષય ભાવરૂપ અજ્ઞાન છે એમ સ્વીકારે છે. પરંતુ ન્યાયામૃતકાર જણાવે છે કે પ્રસ્તુત પ્રતીતિનો વિષય ભાવરૂપ અજ્ઞાન છે એમ માનતાં પણ વ્યાઘાતદોષ આવે છે જ. કેવી રીતે વ્યાઘાતદોષ આવે છે? આનો ઉત્તર આપતાં ન્યાયામૃતકાર નીચે મુજબ કહે છે. ‘હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય ભાવરૂપ અજ્ઞાન હોય તો પણ એ ભાવરૂપ અજ્ઞાન કે અભાવવિલક્ષણ અજ્ઞાન જ્ઞાનવિરોધીરૂપે જ પ્રતીત થઈ શકે. હું જાણતો નથી’ એ પ્રતીતિમાં નમૂવિરુદ્ધાર્થનો બોધક છે. નાનામ' પદ અન્તર્ગત જ્ઞા ધાતુનો અર્થ જ્ઞાન છે. તેથી નાના એ વાક્ય જ ને નાનામિ ' એ પ્રતીતિનું અભિલાપવાક્ય છે. આ અભિશાપવાક્યરત નમ્ વિરુદ્ધાર્થક છે અને જ્ઞા ધાતુ જ્ઞાનાર્થક છે. તેથી નાનામ' એ વાક્ય દ્વારા “ હું જ્ઞાનવિરુદ્ધવાનું છું’ એવી પ્રતીતિ થાય.
આની સામે અદ્વૈત વેદાન્તી નીચે પ્રમાણે દલીલ કરે છે. આ ભાવરૂપ અજ્ઞાન કે અભાવવિલક્ષણ અજ્ઞાન ને નાનામિ ’ એ પ્રતીતિનો વિષય બને છે ત્યારે ઉક્ત પ્રતીતિના અભિલાપવાક્યમાં નમૂનો ઉલ્લેખ હોવાથી જ્ઞાનવિરોધીરૂપે અજ્ઞાનની પ્રતીતિ થાય એ સાચું, પરંતુ એ ભાવરૂપ અજ્ઞાન કેવળ હું જાણતો નથી’ એ પ્રતીતિનો જ વિષય છે એવું તો નથી. એ ભાવરૂપ અજ્ઞાન “ મૂઢ છું’ એ પ્રતીતિનો પણ વિષય બને છે. આ પ્રતીતિના અભિલાપવાક્યમાં નમૂનો ઉલ્લેખ નથી. તેથી આ અજ્ઞાન જ્ઞાનવિરોધીરૂપે જ પ્રતીત થાય છે એમ કેમ કહી શકાય? “ઘોડ’િ એ પ્રતીતિમાં મોહવાનું અર્થાત્ અજ્ઞાનવાનું છું એમ જ સમજાય છે. હું મૂઢ છું ' એ પ્રતીતિમાં જ્ઞાનવિરોધીત્વ પ્રતીત થતું નથી કારણ કે ' મૂઢ છું’ એ પ્રતીતિના અભિલાપવાક્યમાં નમ્ પદ નથી.
ન્યાયામૃતકાર આ દલીલના વિરોધમાં નીચે મુજબ રજૂઆત કરે છે. અદ્વૈત વેદાન્તીની ઉપર્યુક્ત દલીલ યોગ્ય નથી, કારણકે પ્રલય’ શબ્દમાં નમૂનો ઉલ્લેખ ન હોવા છતાં પ્રલય’ શબ્દ દ્વારા ધ્વંસરૂપ અભાવ જ અવગત થાય છે. તેવી જ રીતે, “મોહ’ પદમાં નમૂનો ઉલ્લેખન હોવા છતાં ‘મોહ’ પદ દ્વારા પ્રતીયમાન વસ્તુ જ્ઞાનવિરોધીરૂપે જ પ્રતીત થાય. અદ્વૈતવાદી વિવરણાચાર્ય પણ અજ્ઞાનની જ્ઞાનવિરોધિતા સ્વીકારે છે. તે અજ્ઞાનની જ્ઞાનવિરોધિતા દેખાડવા માટે કહે છે કે આશ્રયસાપેકા તેમ જ વિષયસાપેક્ષા જ્ઞાનના વિરોધી રૂપે જ અજ્ઞાન “અજ્ઞાન’ પદથી અભિહિત થાય છે. વિવરણાચાર્ય ભાવરૂપ અજ્ઞાન સિદ્ધ કરીને એ અજ્ઞાનનો આશ્રય અને વિષય શુદ્ધ ચૈતન્ય જ છે એમ જણાવે છે. અજ્ઞાનનો જે આશ્રય છે તે જ અજ્ઞાનનો વિષય પણ છે,
અજ્ઞાનનો આશ્રય અને વિષય ભિન્ન હોઈ શકે જ નહિ, એમ વિવરણાચાર્યે કહ્યું છે. પરંતુ ' વિવરણાચાર્યની આ વાત અયોગ્ય છે તેમ જ અનુભવવિરુદ્ધ છે, કારણકે. આ પુરુષને આ વિષયનું અજ્ઞાન છે' એમ અજ્ઞાનનો આશ્રય અને વિષય ભિન્નરૂપે અનુભવાય છે. આનો પ્રતિવાદ કરતાં વિવરણાચાર્ય કહે છે કે જ્ઞાનના વિરોધરૂપે જ અજ્ઞાન પ્રતીત થાય છે અને જ્ઞાનનો આશ્રય