SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવરૂપ અવિદ્યાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ ૬૧ પહેલાં અનુપસ્થિત હોય છે તેમ પ્રતિયોગીમાં તેનું પ્રતિયોગીપણું (પ્રતિયોગિતા ધર્મ) પણ અભાવપ્રતીતિ પહેલાં અનુપસ્થિત હોય છે. જેમ ઘટપ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વમાં પ્રતિયોગિતાવછેઠકત્વધર્મ અભાવપ્રતીતિ પહેલાં અનુપસ્થિત હોય છે તેમ પ્રતિયોગી ઘટમાં પ્રતિયોગિતાધર્મ પણ અભાવપ્રતીતિ પહેલાં અનુપસ્થિત હોય છે. પરંતુ અભાવપ્રતીતિમાં અવચ્છેદકત્વ ધર્મ અને પ્રતિયોગિતાધર્મ ભાસમાન તો થાય છે. પ્રતીતિની પહેલાં અનુપસ્થિત ધર્મ પ્રતીતિમાં વિશેષણરૂપે ભાસમાન થઈ શકે નહિ. વિશિષ્ટબુદ્ધિમાં જે વિશેષણરૂપે ભાસે છે તેનું વિશિષ્ટબુદ્ધિની પહેલાં જ્ઞાન હોવું જરૂરી છે, સપ્રયોજન છે. આમ વિશિષ્ટબુદ્ધિની પહેલાં વિરોષણની ઉપસ્થિતિ આવશ્યક છે. તેથી વિશિષ્ટબુદ્ધિરૂપ અભાવપ્રતીતિ પહેલાં અનુપસ્થિત અવચ્છેદત્ત્વધર્મ, પ્રતિયોગિતાધર્મ આદિ અભાવપ્રતીતિમાં વિશેષણરૂપે ભાસી શકે નહિ. આ કારણે અવચ્છેદત્વધર્મ આદિ અભાવપ્રતીતિમાં વિશેષણરૂપે નહિ પણ સંસર્ગરૂપે ભાસમાન થાય છે એમ સ્વીકારવું જોઈએ. વિશિષ્ટબુદ્ધિમાં જે સંસર્ગ ભાસે છે તેની વિશિષ્ટબુદ્ધિ પૂર્વે ઉપસ્થિતિ આવશ્યક નથી, અપેક્ષિત નથી. તેથી અવચ્છેદત્વધર્મ, પ્રતિયોગિતાધર્મ વગેરે અભાવપ્રતીતિની પહેલાં અનુપસ્થિત હોઈ અભાવપ્રતીતિમાં સંસર્ગરૂપે ભાસમાન થાય છે, વિરોષણરૂપે ભાસમાન થઈ શક્તા નથી. ઘટાદિ પ્રતિયોગીરૂપ અંશના વિશેષણરૂપે ઘટત્વાદિને ગ્રહણ કરવાની જે સામગ્રીં છે તે જ સામગ્રી અવચ્છેદત્ત્વને ગ્રહણ કરવાની છે. ઘટત્યાદિનિષ્ઠ અવચ્છેદત્વ ધર્મનું જ્ઞાન કંરવા માટે અન્ય કોઈપણ સામગ્રી નથી. આ અવચ્છેદકત્વધર્મ સ્વરૂપસંબંધવિરોષ છે. ઘટત્વાદિનિષ્ઠ અવચ્છેદકત્વ અતિરિક્ત પદાર્થ નથી. જેમાં અવચ્છેદકત્વ હોય તેનું સ્વરૂપ જ અવચ્છેદકત્વ છે. અને એ કારણે તત્તદ્વિશેષાભાવ તત્તદ્વિરોષધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક બને છે, જેમકે તઘટાભાવ તઘટત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક બને છે, એતદ્ઘાભાવ એતદ્ઘત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક બને છે, એ જ રીતે તજ્ઞાનવ્યક્તિનો અભાવ તજ્ઞાનત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક બને છે અને એતજ્જ્ઞાનવ્યક્તિનો અભાવ એતજ્જ્ઞાનત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક બને છે. કોઈપણ વિશેષવ્યક્તિનો અભાવ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક બની શકે નહિ, બનવા માટે કોઈ સામગ્રી જ નથી. કોઈ પણ વિરોષવ્યક્તિનો અભાવ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક બની શકતો ન હોઈ જેટલા વિરોષાભાવો છે તે બધાની સમગ્ર રાશિમાં સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાત્વધર્મ વ્યાસજ્યવૃત્તિથી છે એમ સ્વીકારી શકાય. સામાન્યધર્મ દ્વારા અવચ્છિન્ન જે પ્રતિયોગિતા તે પ્રતિયોગિતાનું નિરૂપત્વ જ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ છે. ‘સામાન્યધર્માવત્રિા પ્રતિયોળિતા યસ્ય' આમ બહુવ્રીહિ · સમાસ કરીને ‘સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક' પદ નિષ્પન્ન થયું છે. સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતા અભાવગત સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકત્વધર્મ આ કે તે અમુક અભાવિશેષમાં હોતો નથી પરંતુ યાવદ્વિશેષાભાવરાશિમાં વ્યાસજ્યવૃત્તિથી હોય છે. પ્રત્યેક આશ્રયમાં પરિસમાસ ધર્મને અભ્યાસજ્યવૃત્તિથી રહેતો ધર્મ કહેવામાં આવે છે, જ્યારે પ્રત્યેક આશ્રયમાં પરિસમાપ્ત ન હોતાં યાવદાશ્રયોના સમગ્ર રાશિમાં પરિસમાપ્ત ધર્મને વ્યાસજ્યવૃત્તિથી રહેતો ધર્મ કહેવામાં આવે છે જેમ કે ઉભયત્વ આદિ ધર્મ. ઉભયત્વ પ્રત્યેકમાં નથી પરંતુ ઉભયમાં વ્યાસજ્યવૃત્તિથી છે. એ જ રીતે દ્વિત્વ, ત્રિત્વ સંખ્યા પણ વ્યાસજ્યવૃત્તિથી જ રહે છે. જેટલા વિરોષાભાવો છે તે બધાના સમગ્ર એક રાશિથી અતિરિક્ત એક સામાન્યાભાવને જેઓ સ્વીકારે છે તેમના મતમાં સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાત્વધર્મ સામાન્યાભાવરૂપ એક ધર્મીમાં
SR No.005850
Book TitleAvidyavichar
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherSanskrit Sanskriti Granthmala
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy