________________
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિચાર પ્રકારીભૂત ધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદક બને છે. અમુક વિશેષજ્ઞાનના અભાવની પ્રતીતિમાં પ્રતિયોગ્યેશનો પ્રકારીભૂત ધર્મ હોય છે તજ્ઞાનત્વ વગેરે વિરોષ ધર્મ અને નહિ કે શુદ્ધ જ્ઞાનત્વ સામાન્યધર્મ. એટલા માટે જ પ્રદર્શિત બે પ્રતીતિઓનો વિષય અભાવ અત્યન્ત ભિન્ન છે – જુદો જુદો છે. સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતા અભાવને સઘળા વિશેષાભાવોની રાશિથી અતિરિક્ત સ્વીકારવાનું કારણ એ છે કે પ્રતિયોગ્યેશનો પ્રકારીભૂત ધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદક બની શકે. પ્રતિયોગ્યેશનો અપ્રકારીભૂત ધર્મ પ્રતિયોગિતાવચ્છેદક બની શક્તો નથી. જેટલા વિરોષાભાવો છે તે બધાના રાશિથી અતિરિક્ત સામાન્યાભાવને ન સ્વીકારીએ તો પ્રતિયોગ્યેશના અપ્રકારીભૂત ધર્મને પ્રતિયોગિતાવચ્છેદક તરીકે સ્વીકારવો પડે. પરંતુ તેમ થઈ શકે નહિ કારણ કે એ. અનુભવવિરુદ્ધ છે. એક બાજુ તે તે વિશેષજ્ઞાનનો અભાવ અને બીજી બાજુ જ્ઞાનનો અભાવીએ બંને અભાવો વિલક્ષણ છે કારણ કે તે બંને અભાવોના પ્રતિયોગિતાવચ્છેદક ધર્મો ભિન્ન છે. અમુક વિરોષાભાવને સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક તરીકે સ્વીકારવામાં આવે તો ? ઘટવભૂતલમાં થતી નિર્ધટં પૂતત એવી પ્રતીતિને પ્રમા માનવાની આપત્તિ આવે કારણે કે ઘટવભૂતલમાં કોઈક ઘટવિશેષનો અભાવ તો છે જ'
યાવદ્વિશેષાભાવોથી અતિરિક્ત સામાન્યાભાવન સ્વીકારવામાં આવે તોયાવદ્વિષાભાવોના રાશિને જ સામાન્યાભાવ તરીકે સ્વીકારવો પડે અને એના પરિણામે પ્રતિયોગ્યેશના અપ્રકારીભૂત ધર્મને પ્રતિયોગિતાવચ્છેદક તરીકે સ્વીકારવો પડે. પરંતુ પ્રતિયોગ્યેશનો અપ્રકારીભૂત ધર્મ પ્રતિયોગિતાવચ્છેદક બની શકે નહિ. એટલે જયાવવિરોષાભાવોના રાશિથી જુદો સામાન્યાભાવ સ્વીકારવો જોઈએ. વિશેષાભાવનો પ્રતિયોગિતાવચ્છેદક તત્તઢિશેષધર્મ છે. વિશેષાભાવની પ્રતીતિમાં પ્રતિયોકૅરાનો તે તે વિશેષ ધર્મ જ પ્રકારરૂપે ભાસે છે. સામાન્યાભાવની પ્રતીતિમાં પ્રતિયોગ્યેશનો સામાન્યધર્મ જ પ્રકારરૂપે ભાસે છે. તેથી, વિશેષાભાવ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક બની શકતો ન હોઈ વિશેષાભાવથી અતિરિક્ત સામાન્યાભાવ સ્વીકારવો જોઈએ. પ્રતિયોગ્યેશનો અપ્રકારીભૂતધર્મ કદીય પ્રતિયોગિતાવચ્છેદક બની શકે નહિ. આજ અદ્વૈતવાદીને કહેવાનું છે.
અહીં તરંગિણીકાર નીચે પ્રમાણે આપત્તિ આપે છે. કમ્મગ્રીવાદિમાન્.નથી' એવી અભાવપ્રતીતિમાં અભાવના પ્રતિયોગીરૂપે કમ્બુગ્રીવાદિમાનું ભાસે છે અને પ્રતિયોગ્યેશના પ્રકારરૂપે ક—ગ્રીવાદિમત્ત્વ ધર્મ ભાસે છે. તેથી શું આ અભાવની પ્રતિયોગિતા કમ્બુગ્રીવાદિમસ્વાવચ્છિન્ન બનશે? પ્રતિયોગ્યેશનો પ્રકારીભૂત ધર્મ જ તો પ્રતિયોગિતાવચ્છેદક હોય છે.
આના ઉત્તરમાં લઘુચન્દ્રિકાકાર નીચે મુજબ જણાવે છે. કબૂરીવાદિમત્ત્વ પ્રતિયોગિતાવચ્છેદક બની શકે નહિ. ઉક્ત પ્રતિયોગિતાના વિચ્છેદકરૂપે ઘટવાદિ ધર્મ જ ભાસે છે. કમ્બુગ્રીવાદિમત્ત્વ ગુરુ ધર્મ હોઈ તે પ્રતિયોગિતાનો અવચ્છેદક બની શકે નહિ. પરંતુ ક—ઝવાદિમત્ત્વનો વ્યાપક લઘુભૂત ધર્મ ઘટવાદિ જ પ્રતિયોગિતાના વિચ્છેદકરૂપે ભાસમાન થઈ શકે. પ્રતિયોગ્યેશનો જે પ્રકારીભૂત ધર્મ હોય તે અથવા ઉક્ત પ્રકારીભૂત ધર્મનો જે વ્યાપક ધર્મ હોય તે જ પ્રતિયોગિતાના વિચ્છેદક રૂપે ભાસમાન થઈ શકે. પ્રતિયોગ્યેશના પ્રકારીભૂત ધર્મનું અવચ્છકત્વ જો સંભવતું ન હોય તો જ ઉક્ત પ્રકારીભૂત ધર્મનો વ્યાપક ધર્મ પ્રતિયોગિતાના અવચ્છેદકરૂપે ભાસમાન થઈ શકે. ‘કબૂચીવાદિમાનું નથી ઇત્યાદિ પ્રતીતિમાં પ્રતિયોગ્યેશનો પ્રકારીભૂત ધર્મ કનુગ્રીવાદિમત્ત્વ અનનુગત ગુરુ ધર્મ હોઈ પ્રતિયોગિતાવચ્છેદક બની શકે નહિ.