________________
શાંકર વેદાન્તમાં અવિઘાવિયાર ભાવરૂપ અજ્ઞાનવિષયક સિદ્ધ કરતી યુક્તિ નીચે પ્રમાણે છે. “મારામાં જ્ઞાન નથી’ આ પ્રત્યક્ષરૂપ પ્રતીતિ જ્ઞાનાભાવવિષયક છે અર્થાત્ જ્ઞાન સામાન્યાભાવવિષયક છે એમ ન્યાયામૃતકાર કહે છે. પરંતુ જ્ઞાન સામાન્યાભાવની આ પ્રત્યક્ષપ્રતીતિ વ્યાઘાતદોષથી દૂષિત છે. તેનું કારણ એ કે અભાવનું જ્ઞાન ધર્મિજ્ઞાન અને પ્રતિયોગિજ્ઞાનની અપેક્ષા રાખે છે. કોઈ પણ ધર્મોમાં કોઈપણ વસ્તુનો અભાવ હોઈ શકે છે, જેમકે ભૂતલમાં ઘટનો અભાવ. આ ઘટાભાવનો અનુયોગી યાધર્મી ભૂતલ છે અને પ્રતિયોગી ઘટ છે. ધર્મીનું અને પ્રતીયોગીનું જ્ઞાન ન હોય તો અભાવનું પ્રત્યક્ષ થઈ શકે જ નહિ. તેથી જ્ઞાન સામાન્યાભાવનું પ્રત્યક્ષ કરવું હોય તો જ્ઞાન સામાન્યાભાવના ધર્મીનું અને પ્રતિયોગીનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. પરંતુ જેમને જ્ઞાન સામાન્યાભાવના ધર્મીનું અને પ્રતિયોગીનું જ્ઞાન હોય તેમને જ્ઞાન સામાન્યભાવનું પ્રત્યક્ષ થઈ શકે જ નહિ કારણકે તેમને જ્ઞાન સામાન્યાભાવ જ નથી. કોઈ પણ વિશેષ જ્ઞાન હોય તો જ્ઞાન સામાન્યાભાવ હોઈ શકે જ નહિ. જે પુરુષને કોઈ પણ જ્ઞાન છે તે પુરુષને જ્ઞાન સામાન્યાભાવ નથી. ભૂતલમાં કોઈ પણ ઘટ હોય તો તે ભૂતલમાં ઘટસામાન્યાભાવ હોઈ શકે નહિ. પરિણામે ધર્મીનું અને પ્રતિયોગીનું જ્ઞાન ધરાવનાર પુરુષને જ્ઞાન સામાન્યભાવનું પ્રત્યક્ષ ઘટેજ કેવી રીતે? તેથી જ્ઞાન સામાન્યાભાવની પ્રત્યક્ષ પ્રતીતિ કહેતાં વ્યાઘાતદોષ આવે. એટલે મારામાં જ્ઞાન નથી એ પ્રતીતિ જ્ઞાન સામાન્યાભાવવિષયક હોઈ શકે જ નહિ. એ પ્રતીતિનો વિષય ભાવરૂપ અજ્ઞાન જ હોય. નિષ્કર્ષ એ કે હું અજ્ઞ છું અને મારામાં , જ્ઞાન નથી” એ બંને પ્રતીતિ સમાનવિષયક છે અને સમાન વિષય છે ભાવરૂપ અજ્ઞાન.
મારામાં જ્ઞાન નથી’ એ પ્રતીતિનો વિષય જ્ઞાનાભાવ છે એમ જે સ્વીકારે છે તે આ પ્રતીતિનો વિષય જ્ઞાનાભાવ છે એમ બે પ્રકારે જણાવી શકે છે. પ્રથમ પ્રકારે ઉક્ત પ્રતીતિનો વિષય છે - જેટલાં વિશેષજ્ઞાનો છે તે બધાંના અભાવોથી અતિરિક્ત એવો જ્ઞાનસામાન્યનો અભાવ. અને દ્વિતીય પ્રકારે ઉક્ત પ્રતીતિનો વિષય છે – જ્ઞાનત્વરૂપ સામાન્યધર્મથી અવચ્છિન્ન પ્રતિયોગિતાવાળા જેટલાં વિશેષજ્ઞાનો છે તેમના અભાવો." ઉદાહરણાર્થ, ‘વાયી રૂપ નાતિ (વાયુમાં રૂપ નથી) એ પ્રતીતિનો વિષય રૂપાભાવ નીચે પ્રમાણે રજૂ કરી શકાય – જેટલા રૂપવિશેષો છે તે બધાના અભાવોથી અતિરિક્ત એવો રૂ૫સામાન્યનો અભાવ, અર્થાત્ રૂપત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક રૂપસામાન્યાભાવ. આમ અહીં ઉક્ત પ્રતીતિનો વિષય અભાવ એક જ છે, બહુ અભાવો વિષય નથી. અથવા બીજી રીતે ઉક્ત પ્રતીતિનો વિષય રૂપાભાવનીચે મુજબ રજૂ કરી શકાય - રૂપ–સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતા, બધાં રૂપોના અભાવો. અહીં ઉક્ત પ્રતીતિનો વિષય અભાવ એક નથી પણ બહુ છે, પરંતુ એ બધા અભાવો રૂપ–ધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક હોય છે. તેવી જ રીતે, “મારામાં જ્ઞાન નથી’ એ પ્રતીતિનો વિષય જ્ઞાનાભાવ પણ પ્રદર્શિત બે રીતમાંથી કોઈ પણ રીતે બની શકે છે. જેટલાં વિશેષજ્ઞાનો છે તે બધાંના અભાવોથી અતિરિક્ત એવો જ્ઞાનસામાન્યનો અભાવ ઉક્ત પ્રતીતિનો વિષય છે એવું
સ્વીકારનાર પક્ષમાં તો આ બંને પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. પરંતુ જેઓ જેટલા જ્ઞાનવિરોષો છે તેમના અભાવોથી અતિરિક્ત એવો એક જ્ઞાન સામાન્યાભાવ પણ છે એમ સ્વીકારતા નથી તેમના મતમાં પ્રદર્શિત બે રીતમાંથી બાકી રહેલી એક માત્રરીત સ્વીકારવામાં આવી છે. હવે, પ્રદર્શિત બે રીતમાંથી કોઈ પણ રીતનો સ્વીકાર કરતાં મારામાં જ્ઞાન નથી’ એ પ્રતીતિનો વિયય જ્ઞાનાભાવ બની શકે જ નહિ. ધર્મી અને પ્રતિયોગીનું જ્ઞાન હોતાં ન તો જ્ઞાન–સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતા જ્ઞાન સામાન્યાભાવ હોઈ શકે કે ન તો જ્ઞાન સામાન્યધર્માવચ્છિન્ન, જેટલાં