________________
ભાવરૂપ અવિઘાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
૫૩ ‘હું શુક્તિરજતને જાણતો નથી એવો વ્યવહાર થાય છે. આ પ્રદર્શિત હું જાણતો નથી’ વ્યવહાર ભાવરૂપ અજ્ઞાન વડે પ્રયુક્ત છે એમ અદ્વૈતવાદીઓ કહી શકે નહિ. પ્રદર્શિત સ્થળે ભાવરૂપઅજ્ઞાન જતેઓ સ્વીકારતા નથી. તેથી પ્રદર્શિત સ્થળે હું જાણતો નથી એવો વ્યવહારજ્ઞાનાભાવપ્રયુક્તજ બનશે. વળી, જો કોઈ સ્થળેજ્ઞાનાભાવ પ્રયુક્ત હું જાણતોનથી’ એવો વ્યવહારઅદ્વૈતવાદીઓ સ્વીકારે તો સર્વત્ર જ્ઞાનાભાવપ્રયુક્ત જ “હું જાણતો નથી એવા વ્યવહારની ઉપપત્તિ થઈ શકે. ઉપરાંત, જ્ઞાનાભાવથી અલગ ભાવરૂપ અજ્ઞાન માનવાની આવશ્યક્તા શી છે?
અદ્વૈતસિદ્ધિકારનું સમાધાન નીચે પ્રમાણે છે. ન્યાયામૃતકારે આપેલી આ આપત્તિ સંગત નથી. સાક્ષિઘ સુખદુઃખાદિની બાબતમાં હું જાણતો નથી’ એવો વ્યવહાર ક્યારે થાય છે? જયારે સુખદુઃખાદિ પુરુષમાં વિદ્યમાન હોય છે ત્યારે શું તે પુરુષને પોતાનામાં વિદ્યમાન સુખદુઃખાદિવિષયક “જાણતો નથી” એવો વ્યવહાર થાય છે ? પોતાનામાં વિદ્યમાન સુખદુઃખાદિવિષયક “જાણતો નથી એવો વ્યવહાર જ અપ્રસિદ્ધ છે. એ જ રીતે, જેને ભ્રમ થયો છે તે પુરુષનો ભ્રમકાળે શુક્તિરતાદિવિષયક હું જાણતો નથી એવો વ્યવહાર પણ અપ્રસિદ્ધ છે. જયારે કોઈને મુક્તિરજતનો ભ્રમ થાય ત્યારે તે કદી પણ શુક્તિરજતને હું જાણતો નથી’ એવો વ્યવહાર કરી શકે જ નહિ. સ્વકીય સુખદુઃખાદિમાં પરપુરુષને હું જાણતો નથી” એવો વ્યવહાર થઈ શકે. આવો વ્યવહાર થવાનું કારણ છે હું જાણતો નથી એવા વ્યવહારના કર્તા જે પરપુરુષરૂપ પ્રમાતાં છે તેમનામાં રહેલું અજ્ઞાન. પરપુરુષરૂપ પ્રમાતામાં રહેલું અજ્ઞાન પરોક્ષજ્ઞાન દ્વારા નિવૃત્ત થાય છે. પરપુરુષરૂપ પ્રમાતામાં રહેલું અજ્ઞાન પરોક્ષજ્ઞાનનિવર્ય હોવાથી પરકીય સુખાદિને વિશે પરપુરુષને હું જાણતો નથી એવો વ્યવહાર થાય છે. જો પરકીય સુખાદિવિષયક અનુમિત્યાદિરૂપ પરોક્ષજ્ઞાન પરપુરુષરૂપ પ્રમાતાને થાય નહિ તો તે પરપુરુષરૂપ
પ્રમાતામાં રહેલું પરકીય સુખદુઃખાદિવિષયક અજ્ઞાન દૂર થાય નહિ. આમ આ પરપુરુષરૂપ : પ્રમાતામાં રહેલા અજ્ઞાનપ્રયુક્ત જ “ નાનામિ’ એવો વ્યવહાર પ્રદર્શિત સ્થળે થાય છે.
પરોક્ષજ્ઞાન ઉત્પન્ન થતાં જ પરપુરુષરૂપ પ્રમાતામાં રહેલું અજ્ઞાન દૂર થઈ જાય છે. જે વિષયનું પરોક્ષજ્ઞાન ઉત્પન્ન થાય તે વિષયને વિશે હું જાણતો નથી એવો વ્યવહાર કદી પણ થઈ શકે નહિ. તેથી પરપુરુષીય સુખદુઃખાદિવિષયક અજ્ઞાન પરપુરુષને હોય તો તે પરપુરુષ સુખદુઃખાદિવિષયક ને નાના” એવો વ્યવહાર કરે તેમાં કોઈ પણ આપત્તિ નથી.
અહીંન્યાયામૃતકાર નીચે મુજબ આપત્તિ કરે છે. પરકીય સુખાદિવિષયક અનુમિત્કાદિરૂપ પરોક્ષજ્ઞાન દ્વારા પરપુરુષરૂપ પ્રમાતામાં રહેલું અજ્ઞાન નષ્ટ થતાં જ પરપુરુષીય સુખાદિવિષયમાં રહેલું અજ્ઞાન નષ્ટ થાય નહિ; પ્રત્યક્ષ પ્રમા દ્વારા જ સુખાદિવિષયમાં રહેલું અજ્ઞાન નષ્ટ થઈ શકે. પરપુરુષીય સુખાદિવિષયક પ્રત્યક્ષપ્રમા પરપુરુષને તો થઈ શકે જ નહિ. તેથી તે પરોક્ષપ્રમાદ્વારા પ્રમાતૃગત અજ્ઞાનની નિવૃત્તિ થવા છતાં વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકે જ નહિ. વિષયગત અજ્ઞાન, તે વિષયનું પરોક્ષજ્ઞાન થવા છતાં, જો રહી જ જતું હોય તો, તે વિષયનું પરોક્ષજ્ઞાન થવા છતાં તે વિષયને વિશે હું જાણતો નથી’ એવા વ્યવહારની આપત્તિ આવશે જ. ‘અભિપ્રાય એકે પરોક્ષપ્રમા દ્વારા પ્રમાતૃગત અજ્ઞાનની નિવૃત્તિ થવા છતાં વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ થઈ ન હોવાથી વિષયગત અજ્ઞાન દ્વારા હું જાણતો નથી’ એવા વ્યવહારની આપત્તિ આવરો. અદ્વૈતવેદાન્તી અજ્ઞાનને બે ભાગમાં વિભક્ત કરે છે – પ્રમાતુગત અને વિષયગત, અર્થાત્ પ્રમાતૃચૈતન્યસ્થિત અજ્ઞાન અને વિષયાવચ્છિન્નચેતન્યસ્થિત અજ્ઞાન. પરોક્ષપ્રમા વડે માત્ર