________________
૫૨
શાંકર વેદાન્તમાં અવિવાવિયાર ભ થયો છે. તેથી જે શુદ્ધ ચૈતન્યમાં અજ્ઞાન અધ્યસ્ત છે તે જ શુદ્ધ ચૈતન્યમાં અન્તઃકરણ પણ , અધ્યસ્ત છે. આમ અજ્ઞાન અને અન્તઃકરણનો આશ્રય શુદ્ધ ચૈતન્ય એક જ છે. અજ્ઞાન અને અન્તઃકરણનું અધિકરણ એક શુદ્ધચૈતન્ય જ છે. એટલે અજ્ઞાનની સાથે અન્તઃકરણનો એકાશ્રય સંબંધ છે. તેથી અન્તઃકરણ અજ્ઞાનનો સાક્ષાત્ આશ્રય ન હોવા છતાં એકાશ્રયતાસંબંધથી અર્થાત્ સામાનાધિકરણ્યસંબંધથી અન્તઃકરણ અજ્ઞાનનો આશ્રય બની શકે છે. સામાનાધિકરણ્યસંબંધ એ પરંપરાસંબંધ છે. જેમ “મસ્તકમાં વેદના એ પ્રતીતિમાં પરંપરાસંબંધથી આત્મસ્થિત વેદનાનો મસ્તકસ્થિત વેદનારૂપે બોધ થાય છે તેમ હું અજ્ઞ છું એ પ્રતીતિમાં પરંપરાસંબંધથી અજ્ઞાન અન્તઃકરણસંસ્કૃષ્ટ રૂપે ભાસે છે. શુદ્ધ ચૈતન્યમાં અન્તઃકરણ અભેદથી અધ્યસ્ત થયું હોઈ ચેતન્યાશ્રિત અવિદ્યા પણ અન્તઃકરણાશ્રિત પ્રતીત થાય છે. શુદ્ધ ચૈતન્યમાં અન્તઃકરણનો અભેદાધ્યાસ જ એવી પ્રતીતિનું કારણ છે. તર્કવિરુદ્ધ હોવાથી જડવસ્તુ સાક્ષાત્ અજ્ઞાનનો આશ્રય બની શકે નહિ. તેથી શુદ્ધચેતન્ય સાથેના એકાશ્રયતાસંબંધથી જડ અન્તઃકરણ” અજ્ઞાનનો આશ્રય બને છે.' | ન્યાયામૃતકારે હું અન્ન છું એ પ્રતીતિ ભાવરૂપ અજ્ઞાનની સાધક નથી એ દેખાડવા નીચે પ્રમાણે કહ્યું છે. અદ્વૈતવેદાન્તીઓ જડ વસ્તુમાં અજ્ઞાનનું આવરણ સ્વીકારતા નથી. તેથી તેમના મતે પણ હું ઘટને જાણતો નથી પ્રતીતિનો વિષય ઘટવિષયક અજ્ઞાન છે એમ કહેવું જોઈએ નહિ પણ ઘટવિષયક જ્ઞાનનો અભાવ છે એમ કહેવું જોઈએ. હું ઘટને જાણતો નથી એ પ્રતીતિનો વિષય ઘટવિષયક જ્ઞાનનો અભાવ છે એમ જો અદ્વૈતવાદી સ્વીકારતા હોય તો તેમણે હું અજ્ઞ છું એ પ્રતીતિનો વિષય પણ જ્ઞાનનો અભાવ છે એમ સ્વીકારવું જોઈએ; એમ સ્વીકારવામાં શો દોષ
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે ન્યાયામૃતકારે આમ કહેવું યોગ્ય નથી કારણ કે હું ઘટને જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય પણ ઘટવિષયક જ્ઞાનનો અભાવ નથી. તેનો વિષય તો છે ઘટાવચ્છિન્ન શુદ્ધ ચૈતૂન્યનું આવરક ભાવરૂપ અજ્ઞાન. આ અજ્ઞાન સાક્ષિભાસ્ય છે. ભાવરૂપ અજ્ઞાન ઘટાવચ્છિન્ન શુદ્ધ ચૈતન્યનું આવરણ કરે છે. પરિણામે, ઘટાધિકાનભૂત શુદ્ધ ચૈતન્ય અભિવ્યક્ત થઈ શક્યું નથી. પ્રમાણવૃત્તિ દ્વારા અજ્ઞાનરૂપ આવરણનો ભંગ થાય છે અને તેથી ઘાધિષ્ઠાનભૂત શુદ્ધચૈતન્ય અભિવ્યકત થાય છે. ઘટાધિષ્ઠાનભૂત શુદ્ધચૈતન્ય અભિવ્યક્ત થતાં તે શુદ્ધ ચૈતન્યમાં અભેથી અધ્યસ્ત ઘટનું પણ સુરણ થાય છે. આમ પ્રમાણવૃત્તિ ઘટને જાણે છે. ઘટવિષયક પ્રમાણવૃત્તિનો અભાવ હોય છે ત્યારે ઘટાવચ્છિન્ન શુદ્ધ ચૈતન્ય અજ્ઞાનાવૃત હોવાથી ઘટાવચ્છિન્ન શુદ્ધ ચૈતન્યનું આવરક અજ્ઞાન સાક્ષીને ભાસે છે, સાક્ષીનાં ભાનનો વિષય બને છે, સાક્ષિભાસ્ય બને છે. આમ રંગ નાના એ પ્રતીતિ પણ ઘટવિષયક જ્ઞાનના અભાવને વિષય કરતી નથી પરંતુ ઘટાવચ્છિન્ન શુદ્ધ ચૈતન્યના આવરક અજ્ઞાનને વિષય કરે છે. હું ઘટને જાણતો નથી’ એવો અજ્ઞાનવિષયક વ્યવહાર સાક્ષી જ કરે છે. અજ્ઞાન સાક્ષિભાસ્ય જ છે. "
અહીંન્યાયામૃતકારનીચે પ્રમાણેશકાકરે છે. અદ્વૈતસિદ્ધિકારે જે કહ્યું કે હુંઘટને જાણતો નથી” એ પ્રતીતિ જ્ઞાનાભાવવિષયક નથી પણ ભાવરૂપ અજ્ઞાનવિષયક છે એ બરાબર નથી, કારણ કે સાક્ષિઘ સુખ-દુઃખ-અજ્ઞાનાદિવિષયક તેમ જ સાક્ષિવેદ્ય પ્રતિભાસિક શક્તિ-રજતાદિવિષયક ભાવરૂપઅજ્ઞાન અદ્વૈતવાદીઓ સ્વીકારતા નથી. સાક્ષિઘ સુખદુઃખાદિની તેમજશુક્તિરજતાદિની અજ્ઞાત સત્તાને તેઓ સ્વીકારતા નથી. તેમ છતાં સાક્ષિવેદ્ય સુખદુઃખાદિનો તેમ જ સાક્ષિવેદ્ય શુક્તિરતાદિનો હું જાણતો નથી' એવો વ્યવહાર થાય છે અર્થાતુ સુખને જાણતો નથી'