________________
શાંકર વેદાન્તમાં અવિધાવિયાર
અદ્વૈતવેદાન્તમાં મૂલાજ્ઞાન, તુલાજ્ઞાન અને મૂલાજ્ઞાનની અવસ્થા એમ અજ્ઞાનના પ્રકારભેદો જણાવાયા છે. તેમનો સંક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે છે. શુદ્ધ બ્રહ્મનું આવરક અજ્ઞાન જ મૂલાજ્ઞાન છે. આ મૂલાજ્ઞાનમાં આવરણરાક્તિ અને વિક્ષેપશક્તિ એમ બે શક્તિઓ છે. આવરણ અને વિક્ષેપ એ બે શક્તિઓથી યુક્ત તેમ જ બ્રહ્મજ્ઞાનનાય અજ્ઞાન જ મૂલાજ્ઞાન છે. આવરણવિક્ષેપાક્તિયુક્ત, બ્રહ્મજ્ઞાનભિન્નજ્ઞાનનાય તેમ જ મૂલાજ્ઞાનની સાથે તાદાત્મ્ય ન ધરાવતું અજ્ઞાન જ તુલાજ્ઞાન છે. અને મૂલાજ્ઞાનની અવસ્થાવિશેષરૂપ અજ્ઞાન એટલે આવરણવિક્ષેપરાક્તિયુક્ત, બ્રહ્મજ્ઞાનાન્યજ્ઞાનનાય તેમ જ મૂલાજ્ઞાન સાથે તાદાત્મ્ય ધરાવતું અજ્ઞાન. આને અવસ્થાઅજ્ઞાન કહેવામાં આવે છે. આ બધી વાત લઘુચંદ્રિકામાં કરવામાં આવી છે.
૪૪
વિવરણાચાર્ય અજ્ઞાનૈત્થપક્ષનું અવલંબન કરી નીચે પ્રમાણે પ્રતિપાદન કરે છે. શુક્તિકાદિના જ્ઞાન દ્વારા રજતાદિના અધ્યાસનો સ્વકારણમાં અર્થાત્ અજ્ઞાનમાં કેવળ લય થાય છે પણ રજતાદિઅધ્યાસના ઉપાદાનકારણ અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. અજ્ઞાનૈકત્વવાદમાં બ્રહ્મજ્ઞાન સિવાય અન્ય કોઈ પણ જ્ઞાન વડે અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકતી નથી. જેમ મુરાળના પ્રહારથી ઘટના ઉપાદાનમાં ઘટનો લય જ થાય છે પણ મુરાળના પ્રહારથી ઘટના ઉપાદાનનો ઉચ્છેદ થતો નથી તેમ શુક્તિકાદિના જ્ઞાનથી પણ અધ્યાસનો તેના ઉપાદાનભૂત અજ્ઞાનમાં લય થાય છે પણ અધ્યાસના ઉપાદાનભૂત અજ્ઞાનનો ઉચ્છેદ થતો નથી.૧૯
આ રીતે અજ્ઞાનૈત્વવાદનું ઉપપાદન કર્યા પછી વિવરણાચાર્ય અજ્ઞાનબહુત્વપક્ષનું અવલંબન કરી અનેક અવસ્થાઅજ્ઞાનનો સ્વીકાર કરે છે. અવસ્થાઅજ્ઞાનનો સ્વીકાર કરવાનું પ્રયોજન શું છે ? આ પ્રશ્નનો ઉત્તર નીચે પ્રમાણે છે. જ્ઞાનથી અજ્ઞાનની જ નિવૃત્તિ થાય છે. અજ્ઞાનની સાથે જ જ્ઞાનનો સાક્ષાત્ વિરોધ છે. અજ્ઞાનના કાર્ય સાથે જ્ઞાનનો સાક્ષાત્ વિરોધ નથી. આ અનુભવસિદ્ધ હકીકત છે. હવે જો એવું સ્વીકારવામાં આવે કે શુક્તિકાદિના જ્ઞાનથી રજતાદિના અધ્યાસના ઉપાદાનભૂત અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી પરંતુ કેવળ અધ્યાસનો ઉપાદાનભૂત અજ્ઞાનમાં લય જ થાય છે તો ઉપર દર્શાવેલ અનુભવથી ઊલટી વાત સ્વીકારવી પડે, બ્રહ્મસાક્ષાત્કાર દ્વારા બ્રહ્મવિષયક અજ્ઞાનના કાર્યભૂત પ્રપંચની નિવૃત્તિ થાય પણ બ્રહ્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ થાય નહિ એમ સ્વીકારવું પડે - આ પ્રકારની આપત્તિ આવે.
વળી, અદ્વૈતવાદીઓ બ્રહ્મસાક્ષાત્કાર દ્વારા પ્રપંચાધ્યાસ સાથે અજ્ઞાનની પણ નિવૃત્તિ થાય છે એમ સ્વીકારે છે. તેઓ કહે છે કે જ્ઞાન દ્વારા સવિલાસ અજ્ઞાનની નિવૃત્તિ એ તો લોક્દષ્ટ છે. આમ દછાનુસાર જ્ઞાન સવિલાસ અજ્ઞાનનું નિર્તક છે. દષ્ટાનુસાર બ્રહ્મજ્ઞાન સવિલાસ (સપ્રપંચ) અજ્ઞાનનું નિવર્તક છે એ જ અદ્વૈતસિદ્ધાન્ત છે. હવે જો શુક્તિકાઠિજ્ઞાન દ્વારા અજ્ઞાનની નિવૃત્તિ ન થતી હોય પણ કેવળ અધ્યાસની જ નિવૃત્તિ થતી હોય તો બ્રહ્મસાક્ષાત્કાર સવિલાસ અજ્ઞાનનો નિવર્તક છે એ દૃષ્ટાનુસારે કેવી રીતે સંભવિત બને ? શુક્તિકાઠિજ્ઞાન દ્વારા અધ્યાસની નિવૃત્તિ તો લોકદષ્ટ છે. જો શુક્તિકાઠિાન દ્વારા અધ્યાસની નિવૃત્તિની સાથે જ અજ્ઞાનની નિવૃત્તિ પણ લોકદષ્ટ હોય તો જ બ્રહ્મસાક્ષાત્કાર દ્વારા સવિલાસ અજ્ઞાનની નિવૃત્તિ લોકદષ્ટિ અનુસાર સ્વીકારી શકાય. તેથી વિવરણાચાર્યે પ્રદર્શિત અજ્ઞાનૈત્વવાદનું સમર્થન કરવા માટે જ મૂલાજ્ઞાનની અવસ્થાઓરૂપ અવસ્થાઅજ્ઞાનને શુક્તિકાદિજ્ઞાનનિવર્ત્ય તરીકે સ્વીકારેલ છે. મૂલાજ્ઞાનનો શુક્તિકાદિજ્ઞાનનિવર્ત્ય અવસ્થાભેદ મૂલાજ્ઞાનથી અત્યન્ત ભિન્ન નથી. આ મૂલાજ્ઞાનની અવસ્થા જ રજતાદિઅધ્યાસનું ઉપાદાન છે. પરંતુ મૂલાાન પોતે જ રજતાઅિધ્યાસનું