________________
અવિધાનું લક્ષણ - પ્રથમ
૫
સાધ્ય વિનાશિત્વ નથી. ધ્વંસાભાવનો પણ વિનાશ સ્વીકારીએ તો પ્રતીયોગીની પુનરુત્પત્તિની આપત્તિ આવે. અદ્વૈતસિદ્ધિમાં ‘ધ્વંસાત્યન્તામાવાન્યોન્યામાનેષુ વ્યમિન્નરઃ' એમ જે કહેવામાં આવ્યું છે તેનો અભિપ્રાય ઉપર દર્શાવ્યા પ્રમાણે સમજવો, અર્થાત્ કેવળ ભાવવિલક્ષણત્વ જ હેતુ હોય તો ધ્વંસ વગેરે ત્રણેમાં વ્યભિચાર થાય. અને જો અનાદિત્યસમાનાધિકરણ (અર્થાત્ અનાદિત્વ વિશેષણથી વિશિષ્ટ) ભાવવિલક્ષણત્વ હેતુ હોય તો અત્યન્નાભાવ અને અન્યોન્યાભાવમાં વ્યભિચાર થાય.
૭૩
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે જો ધ્વંસાભાવ, અત્યન્તાભાવ અને અન્યોન્યાભાવ અધિકરણથી અતિરિક્ત હોય તો તેઓ અવશ્ય નિવર્ત્ય હોય. પરંતુ તેઓ અધિકરણથી અતિરિક્ત નથી. તેથી પ્રદર્શિત હેતુનો વ્યભિચાર થાય નહિ.' પ્રતિયોગીની પુનરુત્પત્તિરૂપ આપત્તિનો પરિહાર પછી કરીશું.
ન્યાયામૃતકાર નીચે પ્રમાણે આપત્તિ આપે છે. પ્રાતિભાસિક વસ્તુ શુક્તિરજત વગેરે પોતાના પ્રતિભાસકાળે અવસ્થિત હોય છે, અર્થાત્ શુક્તિરજતાદિનું જ્ઞાન જેટલો વખત હોય છે તેટલો વખત જ શુક્તિરજતાદિનું અસ્તિત્વ હોય છે. શુક્તિરજતનો સાક્ષાત્કાર (અનુભવ) હોય અને તે વખતે શુક્તિરજત વસ્તુ ન હોય એવું તો બની શકે નહિ. એ જ રીતે, અજ્ઞાનનું સાક્ષી છે અજ્ઞાનનું પ્રત્યક્ષજ્ઞાન. આ સાક્ષિચૈતન્ય અવિનાશી છે. અજ્ઞાનનું પ્રકાશરૂપ સાક્ષી અનન્તકાળ અસ્તિત્વ ધરાવતું હોય અને એવા સાક્ષી વડે ભાસ્ય અજ્ઞાન જ્ઞાન વડે નિવૃત્ત થાય એવું તો બની શકે જ નહિ. અજ્ઞાનનું ભાસક સાક્ષી જો અનિવર્ત્ય હોય તો સાક્ષિભાસ્ય અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકે નહિ. સાક્ષિભાસ્ય વસ્તુની યાવત્સાક્ષિસત્ત્વ અનુવૃત્તિ હોય છે એવો નિયમ છે.પ
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે ન્યાયામૃતકારે આમ કહેવું અસંગત છે. તેમણે જણાવેલો નિયમ અયોગ્ય છે. સુખદુઃખ અને શુક્તિરજતાદિ બંને સાક્ષિભાસ્ય છે. પોતાના ભાસક સાક્ષીની વિદ્યમાન અવસ્થામાં સાક્ષિભાસ્ય સુખદુઃખની નિવૃત્તિ અનુભવસિદ્ધ છે. તેથી ‘સાક્ષિભાસ્ય વસ્તુની યાવત્સાક્ષિસત્ત્વ અનુવૃત્તિ હોય છે’ એ નિયમનો સ્વીકાર કરી શકાય નહિ. વળી, આ નિયમનો સ્વીકાર કરીએ તો પણ અવિદ્યાની નિવૃત્તિ થવામાં કોઈ બાધા આવતી નથી, કારણ કે સુખ, દુઃખ અને શુક્તિરજતાદિનું તેમ જ અવિદ્યાનું સાક્ષી શુદ્ધ ચૈતન્ય નથી પણ સુખાદિવિષયક અવિદ્યાવૃત્તિથી વિશિષ્ટ ચૈતન્ય જ સુખાદિનું સાક્ષી છે. આ અવિદ્યાવૃત્તિ સ્થિર વસ્તુ નથી પરંતુ અસ્થિર છે. આ અસ્થિર અવિદ્યાવૃત્તિથી ઉપહિત સાક્ષી પણ અસ્થિર હોય. તેથી સાક્ષિભાસ્ય વસ્તુનું યાવત્સાક્ષિસત્ત્વ અવસ્થાન સ્વીકારીએ તો પણ સાયિભાસ્ય અવિદ્યાદિ વસ્તુની નિવૃત્તિ ઘટી શકે છે.””
અહીં ન્યાયામૃતકાર આપત્તિ આપે છે કે જો અવિદ્યાનું સાક્ષી અવિઘાવૃત્યુપહિત ચૈતન્ય હોય તો તે વૃત્તિની અસત્ત્વદશામાં શુક્તિરજતાદિની જેમ અવિદ્યાના અસત્ત્વની આપત્તિ આવે. શુક્તિરજતવિષયક અવિદ્યાવૃત્તિની અસત્ત્વદશામાં જેમ શુક્તિરજત હોતી નથી તેમ અવિદ્યાવિષયક અવિદ્યાવૃત્તિની અસત્ત્વદશામાં અવિદ્યા હોતી નથી એમ સ્વીકારવું પડે અને એમ સ્વીકારતાં મોક્ષની આપત્તિ આવે છ
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્દિકાર કહે છે કે શુક્તિરજતાદિ જેવી સાઢિ કલ્પિત વસ્તુ બાબત આવો નિયમ સ્વીકારીએ તો પણ અવિદ્યા જેવી અનાદિ કલ્પિત વસ્તુની બાબતમાં આવો