________________
२४
શાંકર વેદાન્તમાં અવિધાવિયાર ‘ન જ્ઞાનામિ’ એવી પ્રતીતિ સર્વાનુભવસિદ્ધ છે. ‘ન જ્ઞાનામિ' આ પ્રતીતિમાં જ્ઞાનવિરુદ્ધરૂપે જ અજ્ઞાન ભાસે છે. ‘અદમન્નઃ (હું અજ્ઞ છું)’ ‘નૈનાનામિ’ વગેરે સાક્ષિપ્રત્યક્ષ જ અજ્ઞાનરૂપ ધર્મીના સાધક છે. જેના દ્વારા અજ્ઞાનરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે તેના દ્વારા જ જ્ઞાનવિરોધીરૂપે જ અજ્ઞાનની સિદ્ધિ થાય છે. જ્ઞાનવિરોધિત્વરૂપે અજ્ઞાનનું ગ્રાહક સાક્ષિપ્રત્યક્ષ સર્વાનુભવસિદ્ધ છે. આ સર્વાનુભવસિદ્ધ પ્રતીતિ થતી હોવાથી ‘અજ્ઞાન વિરોધિસંસૃષ્ટ હોતું નથી’ એ જાતનું અનુમાન અનુભવવિરુદ્ધ છે અને ધર્મિગ્રાહક અનુમાનવિરુદ્ધ પણ છે. જ્ઞાન જ અજ્ઞાનનું વિરોધી છે. અજ્ઞાન વિરોધિસંસૃષ્ટ ન હોય તો જ્ઞાન ઉત્પન્ન જ ન થઈ શકે. ‘જ્ઞાનેન અજ્ઞાનં નષ્ટમ્’ (જ્ઞાનથી અજ્ઞાન નાશ પામ્યું) એ જાતની પ્રતીતિ સૌને થાય છે. તેથી ‘અજ્ઞાન વિરોધિસંસૃષ્ટ નથી’.એ જાતનું અનુમાન નિતાન્ત અસંગત છે. વધુમાં, ‘અજ્ઞાન’ શબ્દનો અર્થ જ થાય છે ‘જ્ઞાનવિરોધી’. આ શબ્દાર્થ પ્રતિ ધ્યાન આપવામાં આવે તો પણ ‘અજ્ઞાનનો વિરોધી કોઈ નથી કે અજ્ઞાન વિરોધિસંસૃષ્ટ હોતું નથી’ એવું અનુમાન કોઈ ન કરે. જ્ઞાનવિરોધી અભાવવિલક્ષણ વસ્તુ જ અજ્ઞાન છે. જ્ઞાનવિરોધી જ્ઞાનપ્રાગભાવને અજ્ઞાન કહી શકાય નહિ કારણ કે પ્રાગભાવ સર્વથા અસિદ્ધ છે. અસિદ્ધ જ્ઞાનપ્રાગભાવમાં જ્ઞાનવિરોધિત્વ નથી. પ્રાગભાવ સ્વીકારવામાં આવે તો પણ જ્ઞાન જે જ્ઞાનપ્રાગભાવનું વિરોધી છે તે જ્ઞાનપ્રાગભાવના પ્રતિયોગિત્વરૂપે વિરોધી બને પરંતુ જ્ઞાનત્વરૂપે જ્ઞાન જ્ઞાનપ્રાગભાવનું વિરોધી નથી. જ્ઞાનત્વરૂપે જ્ઞાનનું વિરોધિત્વ જ ‘અજ્ઞાન’ પદનો અર્થ છે.,
'૬૯
વળી, ‘જ્ઞાનેન તુ તવજ્ઞાન યેષાં નાશિતમાત્મનઃ' એ ગીતાવાક્ય ધૃ દ્વારા પણ અજ્ઞાન સ્વવિરોધી જ્ઞાન વડે નાશ પામે છે એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. તેથી ‘અજ્ઞાનવિરોધિસંસૃષ્ટ નથી’ એવું અનુમાન ગીતાવાક્ય વિરુદ્ધ છે. ભગવાનના આ વાક્ય દ્વારા ભગવાનના આવા પ્રત્યક્ષનું પણ અનુમાન થાય. એટલે ભાગવાનના વાક્ય ઉપરથી અનુમિત ભગવત્પ્રત્યક્ષ પણ પ્રદર્શિત અનુમાનનું વિરોધી છે. ‘મૂળજ્ઞાન્ત વિશ્વમાય નિવૃત્તિ' ઇત્યાદિ શ્રુતિ દ્વારા પણ અજ્ઞાન જ્ઞાનનાય છે એમ કહી રાકાય. તેથી દ્વૈતવાદીએ આપેલ અનુમાન અસંગત છે. આ અજ્ઞાન ભાવરૂપ છે એ પણ ગીતાવાક્ય દ્વારા પ્રતિપાદિત થયું છે. ‘અજ્ઞાનેનાવૃત જ્ઞાનમ્’°° એ વાક્યથી અજ્ઞાનની ભાવરૂપતા સિદ્ધ થાય છે. પ્રદર્શિત ગીતાવાક્યમાં અજ્ઞાન વડે જ્ઞાન આવૃત થાય છે એમ કહ્યું છે. જ્ઞાનનું આવરક અજ્ઞાન ભાવવસ્તુ જ હોય. અભાવવસ્તુ આવરક બની શકે નહિ. ‘અનાવિમાયયા સુમ’ ઇત્યાદિ શાસ્ત્રમાં માયાને અનાદિ કહી છે. માયા, અવિદ્યા અને અજ્ઞાન એક જ વસ્તુ છે. ‘વિમેનનવેòડજ્ઞાને નાશમાત્યન્તિને તે' ઇત્યાદિ વિષ્ણુપુરાણવાક્યમાં પણ અજ્ઞાનના વિરોધી જ્ઞાન દ્વારા જ અજ્ઞાનની નિવૃત્તિ પ્રતિપાદિત થઈ છે. તેથી ‘અજ્ઞાન વિરોધિસંસૃષ્ટ નથી’ એવું અનુમાન અસંગત છે." અજ્ઞાન (અવિદ્યા) અનાદિ ભાવવસ્તુ છે તેમ જ જ્ઞાનનિવર્ત્ય છે એ અનુમાન વગેરે પ્રમાણો દ્વારા પણ સિદ્ધ છે.
.૭૧
ન્યાયામૃતકાર કહે છે કે જો ભાવવિલક્ષણ અનાદિ વસ્તુમાત્ર નિવર્તનીય હોય તો અત્યન્તાભાવ અને અન્યોન્યાભાવની નિવૃત્તિની આપત્તિ આવે. અભિપ્રાય એ કે ‘અવિદ્યા નિવર્તતે, માવિતમળત્વે મતિ અનાવિત્વાત, પ્રશમાવવત્ (અવિદ્યા દૂર થાય છે, કારણ કે તે ભાવવિલક્ષણ હોવા સાથે અનાદિ પણ છે, જેમ કે પ્રાગભાવ) એવું અનુમાન કરીએ તો પ્રદર્શિત હેતુ અત્યન્તાભાવ અને અન્યોન્યાભાવમાં વ્યભિચારી થઈ પડે. વળી, હેતુમાં અનાદિત્વ વિશેષણ ન દઈએ અને કેવળ ભાવવિલક્ષણત્વ હેતુ દ્વારા અવિદ્યાના વિનાશિત્વનું અનુમાન કરીએ તો ધ્વંસાભાવમાં પણ હેતુ વ્યભિચારી થઈ પડે. વંસાભાવમાં ભાવવિલક્ષણત્વ હેતુ છે પણ