SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અવિલાનું લક્ષણ • પ્રથમ પૂર્વજ્ઞાનમાં લક્ષણની અતિવ્યાપ્તિ આવી પડે. તેવી જ રીતે, અવિદ્યાલક્ષણમાં ભાવત્વ વિરોષણ નહોય તો અર્થ “અનાદિ અને જ્ઞાન દ્વારા સાક્ષાત્ નિવત્યે” એવું અવિદ્યાલક્ષણ કહેવામાં આવે તો જ્ઞાનના પ્રાગભાવમાં લક્ષણની અતિવ્યાપ્તિ થાય. જ્ઞાનપ્રાગભાવ અનાદિ પણ છે અને જ્ઞાન દ્વારા સાક્ષાત્ નિવર્ય પણ છે. તેથી, જ્ઞાનપ્રાગભાવમાં અવિદ્યાલક્ષણની અતિવ્યાપ્તિ અટકાવવા માટે ભાવવિશેષણ મૂક્વામાં આવ્યું છે. પ્રતિયોગી પ્રાગભાવનો સાક્ષાત્ નિવર્તક છે એ સિદ્ધાન્તનું અવલંબન કરીને જ્ઞાનપ્રાગભાવમાં અતિવ્યાપ્તિ અટકાવવા માટે લક્ષણમાં ‘ભાવ’ પદ મૂકવામાં આવ્યું છે.* વળી, જો એમ કહેવામાં આવે કે પ્રતિયોગી પ્રાગભાવનો નિવર્તક નથી પરંતુ તે પોતે જ પ્રાગભાવની નિવૃત્તિસ્વરૂપ છે – અર્થાત્ પ્રતિયોગી પ્રાગભાવની નિવૃત્તિનો જનક નથી પણ પ્રાગભાવની નિવૃત્તિસ્વરૂપ છે - એવો સિદ્ધાન્ત સ્વીકારવામાં આવે તો જ્ઞાન પોતાના પ્રાગભાવનું નિવર્તક બને નહિ. આ સિદ્ધાન્ત અનુસાર પ્રતિયોગી સાક્ષાત્ સ્વપ્રાગભાવનો નિવર્તક બનતો નથી, પરંતુ પ્રતિયોગીની જનક સામગ્રી પ્રાગભાવની સાક્ષાત્ નિવર્તક બને છે. જ્ઞાન વડે જ્ઞાનપ્રાગભાવ નિવર્ય નથી, પરંતુ જ્ઞાન વડે ઈચ્છાનો પ્રાગભાવ નિવાર્ય છે કારણ કે જ્ઞાન જ્ઞાનપ્રાગભાવનિવૃત્તિસ્વરૂપ છે પણ ઇચ્છાનું જનક છે. ઇચ્છાપ્રાગભાવના પ્રતિયોગી ઈચ્છાની જનક સામગ્રી જ્ઞાન ઇચ્છાપ્રાગભાવની નિવર્તક છે. પ્રતિયોગી પ્રાગભાવનો નિર્તક નથી પણ પ્રતિયોગીની જનક સામગ્રી પ્રાગભાવની નિવર્તક છે. ઈચ્છા ઈચ્છાપ્રાગભાવની નિવૃત્તિસ્વરૂપ છે અને ઈચ્છાનું જનક જ્ઞાન ઇચ્છાપ્રાગભાવનું સાક્ષાત્ નિવર્તક છે. તેથી આ દ્વિતીય સિદ્ધાન્ત અનુસાર જ્ઞાનનિવર્ય હોવાને કારણે ઇચ્છાપ્રાગભાવમાં અવિદ્યાલક્ષણની અતિવ્યાપ્તિ થાય છે, એટલે તેને અટકાવવા ભાવવિશેષણ લક્ષણમાં મૂક્વામાં આવ્યું છે.' - અનાદિ, ભાવરૂપ અને સાક્ષાત્ જ્ઞાનેનિવર્ય વસ્તુ જ અવિદ્યા છે. સાક્ષાત્ જ્ઞાનનિવાર્ય કહેવાથી બીજાં વિરોષણ વ્યર્થ થતાં નથી એ દર્શાવવામાં આવ્યું છે. - સાક્ષાત્ જ્ઞાનનિવર્ય કહેવાને બદલે જ્ઞાનત્વરૂપે જ્ઞાનનિવર્ય કહેવામાં આવે અર્થાત્ જ્ઞાનમાં - અવિદ્યાનું જે નિવર્તકત્વ છે તે નિવર્તકત્વનો અવચ્છેદક ધર્મ જ્ઞાનત્વ સ્વીકારવામાં આવે એટલે કે જ્ઞાનત્વરૂપે જ્ઞાન અવિદ્યાનું નિવર્તક છે એમ કહેવામાં આવે તો અનાદિત્ય અને ભાવત્વ બંને વિરોષણની આવશ્યક્તા રહે નહિ. ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનનું નિર્તક બને છે તેમાં ઉત્તરજ્ઞાન જ્ઞાનત્વરૂપે નિવર્તક બનતું નથી પરંતુ વિભુ આત્માના વિશેષગુણત્વરૂપે નિવર્તક બને છે. તેથી તો સંસ્કાર કે ઇચ્છા પણ પોતાના જનક પૂર્વજ્ઞાનના નિવર્તક બને છે. તે બધા પૂર્વજ્ઞાનના નિવર્તક તો વિભુ આત્માનાં વિશેષગુણત્વરૂપે બને છે. તેથી જ્ઞાનસ્વરૂપે જ્ઞાનને અવિદ્યાના નિવર્તક તરીકે સ્વીકારતાં અર્થાત્ અવિદ્યાને જ્ઞાનસ્વરૂપે જ્ઞાનનિવર્ય સ્વીકારતાં ઉત્તરજ્ઞાનનિવર્ય પૂર્વજ્ઞાનમાં અવિદ્યાલક્ષણની અતિવ્યાપ્તિ નહિ થાય. વળી, શાન સ્વપ્રાગભાવનું નિવર્તક બને છે તેમાં જ્ઞાન જ્ઞાનત્વરૂપે નિવર્તક બનતું નથી પણ પ્રતિયોગિત્વરૂપે નિવર્તક બને છે. તેથી પ્રાગભાવમાં અવિઘાના લક્ષણની અતિવ્યાપ્તિ થતી અટકાવવા માટે ભાવત્વવિરોષણની પણ આવશ્યકતા રહેતી નથી. જ્ઞાનત્વેન જ્ઞાનનિવાર્યત્વ' એટલું જ કહેતાં પ્રદર્શિત બંને સ્થળમાં લક્ષણની અતિવ્યાપ્તિ થશે નહિ. તેથી જ્ઞાનસ્વરૂપે જ્ઞાનનિવર્ય એ રૂપે અવિદ્યાનું એક સ્વતંત્ર લક્ષણ આપી શકાય. એક જ લક્ષ્યનાં પાંચ લહાણો હોય તો તેમાં કોઈ દોષ નથી. અનાદિ, ભાવરૂપ, સાક્ષાત્
SR No.005850
Book TitleAvidyavichar
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherSanskrit Sanskriti Granthmala
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy