________________
અવિવાનું લક્ષણ - પ્રથમ ઉપાધ્યવિષયક છે; અને બ્રહ્મજ્ઞાન પણ ઉપહિત બ્રહ્મવિષયક હોવા છતાં ઉપાધ્યવિષયક છે. આમ અવિદ્યા અને જ્ઞાન બંને સમાનવિષયક હોવાથી અવિદ્યા જ્ઞાન દ્વારા નિવૃત્ત થાય છે.
વાચસ્પતિ મિશ્ર શુદ્ધ બ્રહ્મને વૃત્તિનો વિષય ગણતા નથી. તે વૃન્યુપહિત બ્રહ્મને જવૃત્તિનો વિષય ગણે છે. તેથી તે કહે છે કે ઉપહિતબ્રહ્મવિષયક વૃત્તિરૂપ જ્ઞાન શુદ્ધ બ્રહ્માની આવક અવિદ્યાનું નિવર્તક બની શકે નહિ કારણ કે વૃત્તિજ્ઞાન અને અવિઘાની સમાનવિષયતા નથી. આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકારને કહેવું પડે છે કે જે અર્થમાં વાચસ્પતિ મિએ વૃત્તિનો વિષય ઉપહિત બ્રહ્મ ગણ્યો છે તે અર્થમાં તો તેમણે અવિદ્યાનો વિષય પણ ઉપહિત બ્રહ્મ ગણવો જોઈએ, કારણકે બ્રહ્મમાં અનધ્યસ્ત અવિદ્યા બ્રહ્મની આવક બનતીન હોઈ તે અધ્યાદામાં બ્રહ્મ પણ અવિઘોહિત જ હોય છે. આ રીતે અવિદ્યા અને વૃત્તિજ્ઞાનની સમાનવિષયતા તેમણે સ્વીકારવી જોઈએ. પરિણામે વૃત્તિજ્ઞાન દ્વારા અવિદ્યા દૂર થઈ શકે છે.
અહીં તરંગિણીકાર અદ્વૈતસિદ્ધિકારના મતને અનુલક્ષી એક આપત્તિ ઉઠાવે છે. તે નીચે મુજબ છે. શુદ્ધબ્રાવિષયક વૃત્તિ બ્રહ્મની ઉપાધિ છે. એ ઉપાધિ બ્રહ્મના વૃત્તિજ્ઞાનનો વિષય બનતી નથી. ઉપાધિ સ્વરૂપસતું હોઈ બ્રહ્મને ઉપહિત કરે છે. અહીં એ જિજ્ઞાસા ઉદ્દભવે છે કે સ્વરૂપસતુ ઉપાધિ સ્વપધેય શુદ્ધબ્રહ્મમાં જરા પણ માલિન્ય પેદા કરે છે કે નહિ? જો તે માલિન્ય પેદા કરતી હોય તો ઉપધેય બ્રહ્મની શુદ્ધતા રહે નહિ. વળી, આ અશુદ્ધબ્રહ્મવિષયક વૃત્તિને શુદ્ધબ્રહ્મનું વૃત્તિજ્ઞાન ગણાય જ નહિ. તેથી તે અશુદ્ધબ્રહ્મવિષયક વૃત્તિજ્ઞાન શુદ્ધબ્રહ્મવિષયક અવિદ્યાનું નિવર્તક ન બની શકે. જો અદ્વૈત વેદાન્તી એમ કહે કે વૃત્તિરૂપ ઉપાધિ સ્વપધેય બ્રહ્મમાં જરા પણ માલિન્ય પેદા કરતી નથી, તો બ્રહ્મ શુદ્ધ જ રહે અને શુદ્ધ બ્રહ્મ તો વૃત્તિનો વિષય બની જ શકે નહિ. જો શુદ્ધબ્રહ્મવિષયક વૃત્તિજ્ઞાન જ અસંભવ હોય તો શુદ્ધબ્રહ્મવિષયક અવિદ્યાની નિવૃત્તિ પણ અસંભવ જ બની જાય. જ્ઞાન અને અવિદ્યા સમાનવિષયક ન હોય તો વિરોધી ન હોય.૧૯ * તરંગિણીકારે ઉપાધિરૂપ વૃત્તિ દ્વારા સ્વપધેય બ્રહ્મમાં માલિત્યની રાંકા કરી છે. પરંતુ અવિઘારૂપ ઉપાધિ દ્વારા સ્વપધેયમાં માલિચ આવતું હોવાની રાંકા કોઈ કરતું નથી. ઉપાધિ . દ્વારા ઉપધેય ઉપહિત થાય છે. વૃત્તિરૂપ ઉપાધિ દ્વારા બ્રહ્મ ઉપહિત થાય છે, તેવી જ રીતે અંવિદ્યારૂપ ઉપાધિ દ્વારા પણ બ્રહ્મ ઉપહિત થાય છે. બ્રહ્મમાં અનધ્યસ્ત અવિઘા બ્રહ્મની આવરક નથી. બ્રહ્મમાં અવિઘા અધ્યસ્ત હોય ત્યારે બ્રહ્મ અવિઘોપહિત જ હોય. ઉપાધિ દ્વારા ઉપધેય ઉપહિત હોય છે એટલું જ, એનાથી વિશેષ બીજું કંઈ નહિ, ઉપાધિ બ્રહ્મમાં માલિચ પેદા કરે એ સંભવિત નથી. બ્રહ્મચૈતન્યની જે ઉપાધિ હોય તે બ્રહ્મચૈતન્યમાં અધ્યસ્ત હોય. બહાચેતન્યમાં અનધ્યસ્ત વસ્તુ બ્રહ્મચેતન્યની ઉપાધિ બની શકે નહિ. બ્રહ્મચેતન્યમાં અધ્યસ્ત વૃત્તિજ્ઞાન કે અવિદ્યા વડે બ્રહ્મની શુદ્ધતાને કોઈ હાનિ થતી નથી. શુદ્ધ બ્રહ્મચૈતન્ય વૃત્તિ વ્યાપ્યો કે વૃત્તિનો વિષય નથી એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે એમ કહેવાનો આરાય એ છે કે વૃત્તિ બ્રહ્મચેતન્યમાં અધ્યક્ત થયા વિના બ્રહ્મને વિષય કરી શકે નહિ. આ વાત અદ્વૈતસિદ્ધિમાં દન્દશ્યસંબંધ પ્રસંગે વિશેષરૂપે આલોચિત થઈ છે. જ્ઞાન અને શેયનો આધ્યાસિક સંબંધથી જુદો બીજો કોઈ પણ સંબંધ સંભવતો નથી."
વાચસ્પતિ મિશ્રના મતે પણ જ્ઞાન અને અવિદ્યાનો વિષય સમાન હોવાથી શુદ્ધબ્રહ્મવિષયક વૃત્તિજ્ઞાન દ્વારા શુદ્ધબ્રહ્મવિષયક અવિદ્યાની નિવૃત્તિ થઈ શકે એ અદ્વૈતસિદ્ધિમાં દશ્યત્વહેતુના