SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શાંકર વેદાન્તમાં અવિવાવિયાર વચ્છિન્નપ્રતિયોગિતાકત્વધર્મ અવ્યાસવૃત્તિ અને તત્તદ્દરૂપાભાવમાં જ વિશ્રાન્ત થઈ રહેતો હોવાને કારણે તત્તરૂપાભાવમાં વિશ્રાનતત્તકૂપત્રાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વધર્મથી અતિરિક્ત વ્યાસજ્યવૃત્તિવાળા શુદ્ધરૂપત્નાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ ધર્મની કલ્પના કરવી પડે. આવી કલ્પના કરવાની અપેક્ષાએ રૂપસ્વાવચ્છિન્નપ્રતિયોગિતા એક અતિરિક્ત સામાન્યાભાવની કલ્પના કરવી વધુ સારી. એમાં જ લાઘવ છે. અતિરિક્ત સામાન્યાભાવમાં માનનારના મતમાં એક સામાન્યાભાવરૂપ ધર્મો અને તે જ ધર્મીમાં રહેતો રૂપત્નાવચ્છિન્દ્રતિયોગિતાકત્વધર્મ - એ બે જ વસ્તુની કલ્પના કરવામાં આવે છે. જો અતિરિક્ત સામાન્યાભાવનો સ્વીકાર ન કરવામાં આવે તો રૂપવાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વધર્મની અને તે ધર્મ વ્યાસ જ્યવૃત્તિ હેવાથી બહુસંખ્યક તત્તકૂપાભાવવ્યક્તિઓમાંની પ્રત્યેક વ્યક્તિમાં એ ધર્મના સંબંધની – અર્થાત્ બહુ વ્યક્તિઓમાં તે ધર્મના બહુ સંબંધોની કલ્પના કરવી પડે. આમ એક ધર્મ અને તે ધર્મના બહુ સંબંધોની કલ્પના કરવાની અપેક્ષાએ એક અતિરિક્ત સામાન્યાભાવ અને તે એકમાં જ રહેતા રૂપત્નાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ ધર્મ એ બેની જ કલ્પના કરવી વધુ સારી. બહુ કલ્પના કરવાની અપેક્ષાએ અલ્પ કલ્પના કરવી ઉચિત છે. ધર્મીની કલ્પના કરવાની અપેક્ષાએ ધર્મની કલ્પના કરવામાં લાઘવ છે એ નિયમ અનુસાર અતિરિક્ત સામાન્યાભાવરૂપ ધર્માની કલ્પના ગુરુ છે એમ મનમાં થાય પરંતુ વસ્તુતઃ એવું નથી. પ્રદર્શિત નિયમનો એ અભિપ્રાય નથી કે, ધર્મીની કલ્પના કરવામાં જ ગૌરવ છે અને ધર્મની કલ્પના કરવામાં જ લાઘવ છે પરંતુ એ અભિપ્રાય છે કે ધર્મીની કલ્પનામાં કલ્પનીય વસ્તુ અધિક છે તેથી અર્થાત્ ધર્મ અને ધર્મી બેની કલ્પના કરાતી હોવાથી ધર્મીની કલ્પના ગુરુ છે જ્યારે ધર્મની કલ્પનામાં કલ્પનીય વસ્તુ અલ્પ હોવાથી અર્થાત્ કેવળ ધર્મની જ કલ્ચના કરવામાં આવતી હોવાથી અને ધર્મીની કલ્પના કરવામાં ન આવતી હોવાથી ધર્મની કલ્પના લઘુ છે. પરંતુ જે સ્થળે ધર્મીની કલ્પનામાં કલ્પનીય વસ્તુ અલ્પ હોય અને ધર્મની કલ્પનામાં કલ્પનીય વસ્તુ અધિક હોય તે સ્થળે ધર્મીની કલ્પના જ લઘુ છે. કલ્પનીય વસ્તુઓના આધિક્ય કે અલ્પતાને લક્ષમાં રાખીને ગૌરવ અને લાઘવનો નિર્ણય કરવાનો છે.“ઉપરાંત, ઘટન્દ્રયમાં યાવરૂપવિશેષાભાવો હોવા છતાં ઘટદયમાં રૂપસામાન્યાભાવની બુદ્ધિ થતી નથી કારણ કે ઘટદ્રયમાં યાવરૂપવિશેષાભાવો હોવા છતાં તે બેમાંના પ્રત્યેકમાં યાવરૂપવિશેષાભાવો નથી. જો પ્રત્યેકમાં યાવરૂપવિશેષાભાવો હોય તો જ રૂપસામાન્યાભાવની બુદ્ધિ થાય કારણ કે તો જ યાવરૂપવિશેષાભાવો રૂપ–સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક બની શકે. અધિકરણદ્વયમાં યાવરૂપવિરોષાભાવો હોવા છતાં પ્રત્યેક અધિકરણમાં યાવરૂપવિશેષાભાવો ન હોવાથી રૂપસામાન્યાભાવની બુદ્ધિ થતી નથી. તેથી અતિરિક્ત સામાન્યાભાવ ન સ્વીકારી જેઓ યાવદૂરૂપવિશેષાભાવોને જ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતા ગણે છે તેમણે તેયાવદ્રપવિરોષાભાવોનું પ્રત્યેકાધિકરણવૃત્તિત્વરૂપ વિશેષણ પણ સ્વીકારવું જોઈએ અને પ્રત્યેકાધિકરણવૃત્તિત્વવિશિષ્ટ યાવદ્રરૂપવિશેષાભાવો જ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક છે એમ કહેવું જોઈએ. જો એમ ન કહે અને માત્ર યાવદૂરૂપવિશેષાભાવોને જ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક કહે તો ઘટદ્ધમાં યાવરૂપવિશેષાભાવો હોતાં અને તેયાવરૂપવિરોષાભાવો સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક હોતાં ઘટદ્વયમાં નીરૂપત્ની આપત્તિ આવે. વળી, રૂપ–સામાન્યાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ ધર્મને યાવરૂપવિશેષાભાવોમાં વ્યાસજ્યવૃત્તિ માનતાં તે ધર્મનું પ્રત્યક્ષ કરવા માટે પહેલાં તે
SR No.005850
Book TitleAvidyavichar
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherSanskrit Sanskriti Granthmala
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy