SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવરૂપ અવિદ્યાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ ८७ १२. भावरूपाज्ञानविषयत्वेनाभिमतस्याहमज्ञ इति ज्ञानस्य ज्ञानाभावविषयत्वेनाभिमतात् मयि ज्ञानं नास्तीति ज्ञानादघटं भूतलमिति ज्ञानस्य भूतले घटो नास्तीति ज्ञानादिवत् विशेषणविशेष्यभावव्यत्यासं विना इच्छाद्वेषाभावज्ञानयोरिव विषयभेदाप्रतीतेश्च । न्यायामृत, पृ. ३१० - १३. सत्यम्, धर्मिप्रतियोगिज्ञानाज्ञानाभ्यां ज्ञानसामान्याभावज्ञानस्य व्याहतत्वेन 'मयि ज्ञानं नास्ति' इति अस्यापि भावरूपाज्ञानविषयत्वेन विषयभेदाप्रतीतेर्युक्तत्वात् । अद्वैतसिद्धि, पृ. ५४८ प्रतियोगिज्ञानाज्ञानाभ्यां ज्ञानाभावज्ञानदूषणं तु स्वव्याहतम् । न्यायामृत, पृ. ३१० ૧૪. અહીં ધ્યાનમાં રાખવું જોઈએ કે યાવદ્વિરોષાભાવને આધારે (અર્થાત્ જેટલા વિરોષો છે તે બધા જ વિરોષોના અભાવોને આધારે) સામાન્યાભાવપ્રતીતિ ઘટી શકે નહિ. જેટલાં વિશેષજ્ઞાનો છે તે બધાંના અભાવો જ્ઞાનાભાવપ્રતીતિનો વિષય છે એમ કોઈના પણ મતે કહી શકાય તેમ નથી, કારણ કે અભાવપ્રતીતિમાં પ્રતિયોગી જે રૂપે ભાસે છે તે રૂપ જ પ્રતિયોગિતાવચ્છેદક હોય છે. ઉદાહરણાર્થ, ઘટાભાવપ્રતીતિમાં પ્રતિયોગી ઘટ ઘટત્વરૂપે · ભાસતો હોઈ ઘટત્વ જ પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ છે. પરંતુ ઘટાભાવનો પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ તઘટત્વ હોઈ શકે નહિ કારણ કે તઘટત્વ ધર્મ ઉક્ત અભાવપ્રતીતિમાં પ્રતિયોગ્યો વિરોષણ બની ભાસતો નથી. જો ભાસતો હોત તો ‘તત્કટો નાસ્તિ’ એવી અભાવપ્રતીતિ થાત. પ્રતિયોગિતવિચ્છેદક ધર્મ તઘટત્વ હોય અને અભાવપ્રતીતિ ‘ટો નાસ્તિ’ એવી થાય એ અસંગત છે. જે સ્થળે ઘટસામાન્યાભાવ છે તે સ્થળે વસ્તુતઃ તઘટનો અભાવ હોવા છતાં ઉક્ત અભાવનો પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ તઘટત્વ હોઈ શકે નહિ. તેથી ‘યિ જ્ઞાનં નાસ્તિ' એ પ્રતીતિનો વિષય યાવવિશેષજ્ઞાનોના અભાવો હોવા છતાં પણ ‘તજ્ઞાનત્વ’ ‘તજ્ઞાનત્વ’ વગેરે ધર્મો અભાવના પ્રતિયોગિતાવચ્છેદક ધર્મો નથી. ‘જ્ઞાનં નાસ્તિ’ એ પ્રતીતિનો વિષય જે અભાવ છે તેનો પ્રતિયોગી જ્ઞાન છે; આ પ્રતિયોગી જ્ઞાન શુદ્ધજ્ઞાનરૂપે જ ભાસે છે. આ જ્ઞાનરૂપ પ્રતિયોગીમાં તદ્નાનત્વ વગેરે ધર્મ પ્રકારરૂપે ભાસતા નથી. તેથી જ આયાર્યે ‘જ્ઞાનં નાસ્તિ' એ પ્રતીતિનો વિષય યાવજ્ઞાનોના અભાવો હોવા છતાં તે અભાવોનો પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ શુદ્ધ જ્ઞાનત્વ છે એમ કહ્યું છે, કારણ કે શુદ્ધ જ્ઞાનત્વ જ ‘જ્ઞાન નાસ્તિ’ એ પ્રતીતિમાં અભાવના પ્રતિયોગીના વિરોષણરૂપે ભાસે છે. અને એટલે જ ‘અદ્વૈતસિદ્ધિ’માં ત્રણ પ્રકારો ન દર્શાવતાં બે જ પ્રકારો દર્શાવ્યા છે, અર્થાત્ ‘જ્ઞાન નાસ્તિ’ એ પ્રતીતિનો વિષય અભાવ યાવવિશેષાભાવો હોવા છતાં અભાવનો પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ તો શુદ્ધ જ્ઞાનત્વ જ છે, અને યાવવિશેષાભાવોથી અતિરિક્ત સામાન્યાભાવ સ્વીકાર કરતાં તે અભાવનો પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ પણ શુદ્ધ જ્ઞાનત્વ જ બનશે. એનો અર્થ એ કે તજ્ઞાનત્વ, એતજ્ઞાનત્વ વગેરે ધર્મોથી અવિચ્છિન્નપ્રતિયોગિતાક વિશેષજ્ઞાનાભાવો ‘જ્ઞાન નાસ્તિ’ એ પ્રતીતિનો વિષય બની શકતા નથી. એટલે જ આ પક્ષનો ત્યાગ કરવામાં આવ્યો છે. ૧૫. તથાદિ ‘યિ જ્ઞાનં નાસ્તિ’ કૃતિ પ્રતીતિઃ ‘વાયો રૂપ નાસ્તિ’ કૃતિ પ્રતીતિવત્ યાદ્વિશેષામાવાન્યसामान्याभावविषया, सामान्यावच्छिन्नप्रतियोगिताक्यावद्विशेषाभावविषया वा अभ्युपेया। तथा च तत्कारणीभूतधर्मिप्रतियोगिज्ञानाज्ञानाभ्यां कथं न व्याघातः ? अद्वैतसिद्धि, पृ. ५४८ ૧૬. જ્યારે આપણે નીલઘટ દેખીએ છીએ ત્યારે ઘટનું જે નીલ વિશેષણ છે તે નીલઘટજ્ઞાનનો પ્રકાર બને છે. ઘટજ્ઞાનમાં, ઘટત્વ ઘટનું વિશેષણ છે જ્યારે ઘટજ્ઞાનગત ઘટત્વાકાર કે
SR No.005850
Book TitleAvidyavichar
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherSanskrit Sanskriti Granthmala
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy