________________
0.
ઉપદેશમાળા
ઢંઢણકુમાર સહિત નીકળ્યા. વાંદીને યોગ્ય સ્થાને બેઠા. એટલે પ્રભુએ કુમતરૂપ અંઘકારને દૂર કરનારી, પતિત જનોનો ઉદ્ધાર કરનારી, અમૃતના નિઝરણા જેવી, મોહમલ્લનો નાશ કરનારી, સર્વ જનને આનંદ આપનારી, માલકોશ રાગનો અનુવાદ કરનારી અને સમગ્ર ક્લેશને નષ્ટ કરનારી દેશના આપવી શરૂ કરી. તે સાંભળતા ઢંઢણકુમારનું મન વૈરાગ્યરસથી વ્યાપ્ત થઈ ગયું, તેથી તેણે શ્રી નેમિનાથ સ્વામી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર ગ્રહણ કર્યા પછી તે દ્વારિકાપુરીમાં ભિક્ષાર્થે ફરે છે, પરંતુ કૃષ્ણ વાસુદેવના પુત્ર તરીકે તેમજ શ્રી નેમિનાથ
સ્વામીના શિષ્ય તરીકે પ્રસિદ્ધ છતાં પણ તેને શુદ્ધ ભિક્ષા મળતી નથી અને અશુદ્ધ ભિક્ષા તે ગ્રહણ કરતા નથી.
એકદા શ્રી નેમિનાથ ભગવાને તેને કહ્યું કે હે ઢંઢણ! તે પૂર્વભવમાં બાંધેલું અંતરાય કર્મ ઉદયભાવમાં આવેલું છે, તેથી તેને શુદ્ધ આહાર મળતો નથી, માટે બીજા મુનિએ આણેલો આહાર ગ્રહણ કર. ત્યારે હાથ જોડી તે ઢંઢણકમારે કહ્યું કે હે ત્રિલોકનાથ! જ્યારે મારું અંતરાય કર્મ નાશ પામશે ત્યારે જ મારી પોતાની લબ્ધિથી મળેલો શુદ્ધ આહાર હું ગ્રહણ કરીશ, બીજાએ લાવેલો આહાર ગ્રહણ કરવો મને ઉચિત નથી. આ પ્રમાણે કહીને તેણે તેવો અભિગ્રહ સ્વામીની સાક્ષીએ લીઘો. પછી હંમેશા અવ્યાકુળ મને ભિક્ષાર્થે ફરે છે, પરંતુ તેને શુદ્ધ આહાર મળતો નથી. તેથી તે તૃષા અને સુઘાપરિષહ સહન કરે છે. આ પ્રમાણે કરતાં તેને કેટલોક કાળ વ્યતીત થયો.
એક દિવસે નેમિનાથ ભગવાનને વાંચવા માટે કૃષ્ણ વાસુદેવ આવ્યા. પ્રભુને વાંદીને કૃષ્ણ વાસુદેવે પૂછ્યું કે આપના અઢાર હજાર સાધુઓમાં દુષ્કર કાર્ય કરનાર ક્યો સાથુ છે? ત્યારે ભગવાને કહ્યું કે “દુષ્કર કાર્ય કરનાર તો સર્વ સાઘુઓ છે, પણ તેમાં ઢંઢણ મુનિ વિશેષ છે.” વાસુદેવે કહ્યું કે હે ભગવન્! કયા ગુણથી તે વિશેષ છે?” ત્યારે ભગવાને તેનો વિશિષ્ટ અભિગ્રહ કહ્યો. તે સાંભળી અતિ હર્ષિત થઈ કૃષ્ણ બોલ્યા કે “ઘન્ય એવા તે ઢંઢણ મુનિ ક્યાં છે? તેને વાંદવાની મને તીવ્ર ઇચ્છા થઈ છે. ભગવાને કહ્યું કે તે ભિક્ષાર્થે શહેરમાં ગયેલા છે, તમને સામા જ મળશે. પછી સ્વામીને વાંદીને દ્વારિકાપુરીમાં પાછા આવતાં ગજેન્દ્ર ઉપર આરૂઢ થયેલા કૃષ્ણ ઢંઢણ મુનિને બજારમાં સામે આવતા જોયા; તેથી કૃષ્ણ હાથી ઉપરથી ઊતરી ઢંઢણ મુનિની ત્રણ પ્રદક્ષિણા કરી ઘણા ભાવપૂર્વક તેમને વાંધા અને કહ્યું કે હે મુનિ! તમને ઘન્ય છે! તમે પુણ્યશાલી છો. અતિ ભાગ્ય સિવાય તમારા દર્શન થવા સુલભ નથી.” તે સમયે સોળ હજાર રાજાઓ પણ તે મુનિના ચરણમાં પડ્યાં. તે વખતે બારીમાં બેઠેલા એક વણિકે તે જોઈને ચિંતવ્યું કે “અહો! આ મુનિ મહાનુભાવ દેખાય છે, જેથી મહા સમૃદ્ધિવાન કૃષ્ણ આદિ રાજાઓ પણ