________________
(૧૪) શ્રી દંઢણકુમાર કથા ચિંતન કરતો તે ધ્યાનથી ચલિત થયો નહીં. એ પ્રમાણે અઢી દિવસે બહુ પાપનો ક્ષય કરી ચિલતીપુત્ર દેવલોકે ગયો.
આ ઘર્મને ઘન્ય છે કે જેના પ્રભાવથી ચિલાતીપુત્ર જેવો દુષ્ટ માણસ પણ સ્વર્ગના સુખનો ભોગી થયો. કહ્યું છે કે
કુતિપ્રપતિસ્ત્રા–ઘારપદ્ધ વધ્યતે | . संयमादिदशविधः सर्वज्ञोक्तो हि मुक्तये ॥ “દુર્ગતિમાં પડતા પ્રાણીને ઘારણ કરી રાખે–દુર્ગતિમાં પડવા ન દે, તેથી તે ઘર્મ કહેવાય છે. સંયમ આદિ દશ પ્રકારનો સર્વજ્ઞ ભગવાને કહેલો તે ઘર્મ નિશ્ચયપૂર્વક મુક્તિને માટે છે.” માટે બહુ પાપવાળા પ્રાણીઓને ઘર્મ તારતો નથી, એ પ્રકારની મુ9 લોકોની શંકા દૂર કરવા માટે ઘર્મના પ્રભાવ ઉપર ચિલાતીપુત્રનું દ્રષ્ટાંત કહેવામાં આવ્યું છે. જેવી રીતે ચિલાતીપુત્રે પોતાની પ્રતિજ્ઞા પાળી તેવી રીતે અન્ય વિવેકી લોકોએ પ્રવર્તવું. તે વિષે કહે છે–
पुष्फिअफलिए तह पिउघरम्मि तण्हा छुहा समणुबद्धा । ढंटेण तहा विसढा, विसढा जह सफलया जाया ॥३९॥
અર્થ–“પુષ્મિત અને ફલિત એવું તથા પ્રકારનું પ્રસિદ્ધ પિતાનું ઘર છતાં અર્થાત્ સર્વ પ્રકારનાં સુખસંયુક્ત કૃષ્ણ વાસુદેવને ત્યાં જન્મ્યા છતાં ઢંઢણકુમારે તૃષા અને સુઘા નિરંતરપણે એવી સહન કરી કે જે સહન કરેલી સલતાને પામી.” અર્થાત્ ઢંઢણકુમારે અલાભ પરિસહ એવો સહ્યો કે જેના પરિણામે કેવળજ્ઞાનરૂપ ફળ પ્રાપ્ત થયું. તેની કથા આ પ્રમાણે– 1.
શ્રી દંઢણકુમાર કથા - ઢંઢણકુમારનો જીવ પૂર્વ ભવમાં કોઈ રાજાના પાંચસો ખેડૂતોનો અધિકારી હતો. જ્યારે મધ્યાહ્ન વખતે બઘાને માટે ભાત આવતા હતા, ત્યારે તે તેઓની પાસે પોતાના ખેતરમાં એક એક ચાસ હળથી કઢાવતો હતો. આ પ્રમાણે કરવાથી તે દરરોજ પાંચસો ખેડૂત અને એક હજાર બળદોને ભાત પાણીમાં અંતરાય કરતો હતો. તેમ કરવાથી તે ભવમાં તેણે ઘણું અંતરાયકર્મ બાંધ્યું. ત્યાંથી કાળ કરીને ઘણા ભવમાં ભટકીને તે દ્વારિકા નગરીમાં “કૃષ્ણ વાસુદેવને ઘેર ઢંઢણા રાણીની ફિશિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેથી “ઢંઢણકમાર'ના નામથી પ્રસિદ્ધ થયો. યુવાન વય પામતાં તેને પિતાએ પરણાવ્યો. ત્યાર પછી સ્ત્રીસંગમના સુખમાં લીન થઈ તેણે ઘણો કાળ વ્યતીત કર્યો.
અન્યદા ભગવાન શ્રી અરિષ્ટનેમિ અઢાર હજાર સાઘુઓથી પરિવૃત્ત થઈ દ્વારિકા નગરીના મોટા ઉદ્યાનમાં સમવસર્યા. તેમને વાંચવા માટે કૃષ્ણ વાસુદેવ