________________
(૧૩) ચિલાતીપુત્ર કથા શાસ્ત્રોનો પારગામી હતો. તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે જે મને વાદમાં જીતે તેનો હું શિષ્ય થાઉં. એ પ્રમાણે પ્રતિજ્ઞાને ઘારણ કરનાર યજ્ઞદેવે વાદમાં ઘણા પ્રતિવાદીને જીત્યા. એક દિવસ એક નાના સાઘુએ તેને જીતી લીઘો એટલે સાચી પ્રતિજ્ઞાવાળા યજ્ઞદેવે તે નાના સાધુ પાસે દીક્ષા લીધી અને ભાવસહિત વ્રત પાળવા લાગ્યો. પરંત જાતિગુણને લીધે તે દેહ વસ્ત્ર આદિની મલિનતા રૂપ પરિષહને નિંદે. છે. તે વિચારે છે કે “અરે! આ માર્ગમાં સર્વ સારું છે. પરંતુ સ્નાન આદિનો અભાવ છે તે મોટું જુગુપ્સાસ્થાન છે.” એ પ્રમાણે મલપરિષહને સહન કરવાને અશક્ત છતાં પણ ચારિત્રભંગના ભયથી તે સ્નાન આદિ વડે દેહાદિની શુદ્ધિ કરતો નથી.
એક દિવસે ઉપવાસના પારણે ભિક્ષા માટે ભટકતાં કપોત વૃત્તિના ન્યાયે પોતાની સ્ત્રીને ઘેર ગયો. ત્યાં મોહરૂપી પિશાચથી ગ્રસ્ત થયેલી તે સ્ત્રીએ પૂર્વ સ્નેહના વશથી મુનિપણામાં રહેલા પોતાના પતિ ઉપર કામણ કર્યું. તે કામણથી મુનિ શરીરે અતિ ક્ષીણ થયા. કેટલેક દિવસે તે વિહાર કરવામાં પણ અશક્ત થઈ ગયા. તેથી અનશન ગ્રહણ કરી કાળઘર્મ પામી સ્વર્ગમાં દેવ થયા. - પેલી સ્ત્રીએ મુનિરૂપમાં રહેલા પોતાના પતિની મરણવાર્તા સાંભળી તેથી તે પશ્ચાત્તાપ કરવા લાગી કે “અરે! મને ધિક્કાર છે!પતિને મારવાથી મને મોટું પાપ લાગ્યું. સાધુની હત્યા કરનાર મને નરકમાં પણ સ્થાન નહીં મળે. તેથી અશરણ થયેલી મને તેનો વેષ જ શરણરૂપ છે'. એ પ્રમાણે વૈરાગ્યપરાયણ થઈ તેણે ચારિત્ર ગ્રહણ કર્યું અને અતિ ઉગ્ર તપ કર્યું. પૂર્વકૃત પાપની સારી રીતે આલોચના કરી બહુ કાળ ચારિત્ર પાળીને તે સ્વર્ગે ગઈ. - બીજા ભવમાં યજ્ઞદેવ બ્રાહ્મણનો જીવ દેવલોકથી ચ્યવીને ચારિત્રની જાગુસાથી બાંધેલા નીચ ગોત્રવડે રાજગૃહ નગરમાં ઘનાવશેઠને ઘેર “ચિલાતી નામની દાસીની ફષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ “ચિલાતીપુત્ર” પાડવામાં આવ્યું. તેની સ્ત્રીનો જીવ દેવલોકથી ચ્યવીને તે જ શેઠને ઘેર શેઠની સ્ત્રી ભદ્રાની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થયો. તે કન્યાનું નામ સુસમા પાડ્યું. ચિલાતીપુત્ર તે બાળાને હંમેશાં રમાડતો હતો. તેને તે પ્રાણથી પણ અતિ વહાલી થઈ. એક વખત તે ચિલાતીપુત્રને તેની સાથે કુચેષ્ટા કરતો જોઈને કન્યાના માતાપિતાએ વિચાર્યું કે “આ દાસીપુત્ર વ્યસની, મદ્યપાનમાં લુબ્ધ અને કજિયાખોર હોવાથી ઘરમાં રાખવા યોગ્ય નથી.” એમ વિચારી તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તે ચોરની પલ્લીમાં જઈ ચોરોમાં ભળી ગયો. તેઓએ તેને સાહસિક જાણીને પલ્લીપતિ તરીકે નીમ્યો. તે પાપ કરવામાં અતિ પ્રીતિવાળો હોવાથી જીવોનો વઘ કરવામાં પાછો હઠતો નથી.
એક દિવસે તેણે ચોરોને એકઠા કરી કહ્યું કે “ચાલો, આપણે ઘનાવહ શેઠને ઘેર ચોરી કરવા જઈએ; તેમાં જે ઘન મળે તે બધું તમારું ને સુસમાં કન્યા મારી'.