SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ઉપદેશમાળા પછી તેમણે જંબૂકુમારને ગૃહવાસમાં રાખવા માટે બહુ ઉપાયો કર્યા, પણ જંબૂકુમારે મનમાં ધારણ કર્યા નહીં. પછી સવારમાં મોટા ઉત્સાહ પૂર્વક સાતે ક્ષેત્રમાં પુષ્કળ દ્રવ્ય વાપરી, કોણિક રાજાએ કર્યો છે દીક્ષામહોત્સવ જેમનો એવા જંબૂકુમારે પ્રભવ આદિ પાંચસો ચોર, પોતાનાં માતાપિતા, આઠે સ્ત્રીઓ અને તેઓનાં માતાપિતા સહિત શ્રી સુધર્મા સ્વામી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું; અનુક્રમે ? દ્વાદશાંગીનું અધ્યયન કરી, ચૌદ પૂર્વઘારી થઈ, ચાર જ્ઞાન પ્રાપ્ત કરી શ્રી સુધર્મા સ્વામીની પાટના ભૂષણરૂપ થયા. ત્યાર પછી ઘાતીકર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન મેળવી મોક્ષપદને પામ્યા. धन्योऽयं सुरराजराजिमहितः श्रीजंबूनामामुनि तारुण्येऽपि पवित्ररूपकलिते यो निर्जिगाय स्मरम् । त्यक्त्वा मोहनिबंधनं निजवधूसंबंधमत्यादरान् मुक्तिस्त्रीवरसंगमोद् भवसुखं लेभे मुदा शाश्वतम् ॥ “અનેક ઇન્દ્રોથી પૂજાયેલ શ્રી જંબૂ નામના મુનિને ધન્ય છે; કારણ કે તેમણે પવિત્ર રૂપવાળી યુવાવસ્થામાં પણ કામદેવને જીત્યો અને મોહના મૂળ કારણભૂત એવા નિજ વઘૂના સંબંધને પણ છોડી દઈ અતિ આદરથી મુક્તિરૂપી સ્ત્રીના શ્રેષ્ઠ સંગમથી ઉત્પન્ન થયેલા શાશ્વત સુખને (મોક્ષને) હર્ષપૂર્વક મેળવ્યું.” એ પ્રમાણે જંબૂકુમાર જેવા પુરુષો ક્ષણભંગુર વિષયસુખોને છોડી દઈ શાશ્વત સુખમાં રમણ કરે છે અને તેમની પ્રતીતિથી પ્રભવ જેવા સુલભબોથી જીવો પણ સંસારસાગર તરવાને શક્તિવાન થાય છે.એ પ્રમાણે સાડત્રીશમી ગાથાનો સંબંધ જાણવો. 11 કૃતિ બંદૂત્વામી જ્યા ॥ दीसंति परमघोरा वि, पवरधम्मप्पभावपडिबुद्धा । जह सो चिलाइपुत्तो, पडिबुद्धो सुसुमाणाएं ॥ ३८ ॥ અર્થ—“પરમ ઘોર, અતિ રૌદ્રધ્યાનયુક્ત એવા પણ ઘણા પ્રાણીઓ પ્રવરવિશિષ્ટ એવો જે ધર્મનો પ્રભાવ તેથી પ્રતિબોધ પામેલા દેખાય છે. જેમ સુસમાના દૃષ્ટાંતમાં તે ચિલાતીપુત્ર પ્રતિબોધ પામ્યો તેમ.’’ અર્હદર્શનના માહાત્મ્યથી મિથ્યાત્વરૂપી નિદ્રા દૂર થવાને લીધે ધનાવહ શેઠની દાસીનો પુત્ર, અતિરૌદ્ર કર્મ કરનારો એવો ચિલાતીપુત્ર પ્રતિબોઘ પામ્યો. ચિલાતીપુત્ર કથા પ્રથમ થોડું ચિલાતીપુત્રના પૂર્વભવનું સ્વરૂપ કહે છે— ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં ‘યજ્ઞદેવ' નામે બ્રાહ્મણ વસતો હતો. તે વ્યાકરણ, કાવ્ય, તર્ક અને મીમાંસાદિ શાસ્ત્રોના વિચારમાં ઘણો ચતુર હતો અને અનેક
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy