SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા नित्यमित्रसमो देहः स्वजनाः पर्वसन्निभाः । - जुहारमित्रसमो ज्ञेयो धर्मः परमबांधवः ।। નિત્યમિત્ર સમાન દેહ છે, પર્વમિત્રો સમાન સગાંવહાલાં છે, અને પ્રણામમિત્ર જેવો પરમબંદુ ઘર્મ છે. તે ઘર્મ પ્રાણીને અંતસમયે પણ સહાય કરે છે અને જે કોઈ તેનું શરણ કરે તેને કુશળક્ષેમે સ્વસ્થાને પહોંચાડે છે.” હવે આઠમી સ્ત્રી જયશ્રી જે ઘનાવહ શેઠની પુત્રી હતી તે જંબૂકુમારને કહેવા લાગી કે “હે સ્વામી! આ વચનવિવાદ શો? અમને નવી પરણેલીઓને આપની સાથે વિવાદ કરવો યુક્ત નથી, પરંતુ તમે આવી કલ્પિત વાર્તાઓ કહેવા વડે અમને શા માટે ઠગો છો? આપે જે જે કથાઓ કહી છે તે તમામ કલ્પિત છે; અને જેવી રીતે એક બ્રાહ્મણની પુત્રીએ કલ્પિત વાર્તાઓથી રાજાનું મન રંજિત કર્યું હતું, તેવી રીતે તમે પણ કલ્પિત વાર્તાઓથી અમારું મન રંજન કરો છો.” તે સમયે બધી સ્ત્રીઓએ કહ્યું કે હે જયશ્રી! તે કથા કહે કે જે સાંભળીને આપણો પ્રિયતમ ઘરમાં રહે.” જયશ્રી કહે છે કે સાવઘાન થઈને સાંભળો : બ્રાહ્યાણપુત્રી કથા, ભરતક્ષેત્રમાં લક્ષ્મીપુર નગરમાં નયસાર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજા ગીત, કથા, નાટક, પ્રહેલિકા, અંતર્લીપિકા વગેરેમાં ઘણો જ નિપુણ હતો, અને નવીન કથા સાંભળવાનો ઘણો રસિક હતો. તે દરરોજ માણસો પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળતો હતો. એક દિવસ તે રાજાએ નગરમાં ઢંઢેરો પિટાવ્યો કે સર્વ લોકોએ વારા પ્રમાણે રાજા પાસે આવીને નવીન નવીન વાર્તા કહેવી.” એ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી જે માણસનો વારો આવે છે, તે રાજા પાસે જઈને વાર્તા કહે છે. એમ કરતાં એક દિવસ એક બ્રાહ્મણનો વારો આવ્યો. તે બ્રાહ્મણ અતિ મૂર્ખ હોવાથી તેને વાર્તા કહેતાં આવડતી નહોતી. તેને એક કન્યા હતી, તે ઘણી ચતુર હતી. તેણે પોતાના પિતાને કહ્યું કે “આપ નિશ્ચિત રહો, હું રાજા પાસે જઈને નવીન વાર્તા કહીશ.' પછી તે રાજા સમીપે ગઈ. રાજાએ તે બાળાને કહ્યું કે જે વાર્તાથી મારું મન રંજન થાય એવી વાર્તા કહે.” બ્રાહ્મણપુત્રીએ કહ્યું કે હે રાજ! હું મારી અનુભવેલી જ વાર્તા કહું છું તે સાવઘાન થઈને સાંભળો. હું પિતાના ઘરમાં નવયૌવનવતી થઈ, ત્યારે મારા પિતાએ યોગ્ય કુલમાં ઉત્પન્ન થયેલા એક બ્રાહ્મણપુત્ર સાથે મારો વિવાહ કર્યો. જેની સાથે મારો વિવાહ કર્યો, તે ભર્તા મારું રૂપ જોવા માટે મારે ઘેર આવ્યા. તે વખતે મારાં માતાપિતા ખેતરમાં ગયા હતાં. હું ઘરે એકલી હતી. મેં સારી રીતે સ્નાન-ભોજન આદિથી તેને સંતુષ્ટ કર્યો. પરંતુ મારું અદ્ભુત રૂપ જોઈને તે કામજવરથી અતિ પીડિત થયો. તે પલંગ ઉપર બેઠો સતો પોતાનું અંગ મરડે છે,
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy