SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) શ્રી જંબુસ્વામીનું દૃષ્ટાંત કીચડવાળા જળથી તૃપ્તિ ક્યાંથી થાય? અહીં સમુદ્રજળ જેવા દેવના ભોગો છે અને કાદવના જળ જેવા મનુષ્ય શરીરના ભાગો છે એમ જાણવું.” -હવે ત્રીજી પાસેના સ્ત્રીએ કહ્યું કે, “સહસા કાર્ય કરવાથી નૂપુરપંડિતાની પેઠે પશ્ચાત્તાપ થશે. પ્રભવે કહ્યું કે “નૂપુરપંડિતાનું હૃષ્ટાંત કહો.” તેણે તે દ્રષ્ટાંત કહ્યું તેના ઉપર બૂકુમારે વિદ્યુમ્ભાલીનું દ્રષ્ટાંત કહ્યું કે જેણે માતંગીના સંગથી બધી વિદ્યા ગુમાવી હતી. તે દ્રષ્ટાંત આ પ્રમાણે– વિદ્યુમ્માલીનું હૃષ્ટાંત આ ભરતક્ષેત્રમાં કુશવર્ધન ગામમાં વિપ્રના કુળમાં વિદ્યુમ્માલી અને મેઘરથ નામે બે ભાઈઓ ઉત્પન્ન થયા હતા. એક દિવસ તેઓ વનમાં ગયા હતા. ત્યાં તેમને કોઈ વિદ્યારે.માતંગી નામની વિદ્યા આપી અને કહ્યું કે તે માતંગી દેવી ભોગની પ્રાર્થના કરશે, પણ જો તમે મનની સ્થિરતા રાખશો અને ચલિત થશો નહીં તો વિદ્યા સિદ્ધ થશે. પછી બન્ને ભાઈઓ વિદ્યા સાઘવા બેઠા. તેમાં એક વિદ્યુમ્ભાલી વિહલ મનનો હોવાથી ચલિત થયો અને બીજો મેઘરથ ગુરુનું વચન યાદ રાખીને ચલિત થયો નહીં. તેને વિદ્યા સિદ્ધ થઈ અને છ માસમાં પુષ્કળ ઘન પ્રાપ્ત થયું. વિદ્યુમ્માલી દુઃખી થયો. આ દૃષ્ટાંત કહીને જંબૂકુમારે કહ્યું કે માતંગી જેવા મનુષ્ય સ્ત્રીના ભોગો છે, તેથી બહ સુખના અર્થી પુરુષોએ તેનો ત્યાગ કરવો યોગ્ય છે. હવે ચોથી કનકસેના નામની સ્ત્રી બોલી કે “હે સ્વામી! જો અમે માતંગી જેવા હતા તો તમે શા માટે પરણ્યા? હર્વે પાણી પીને ઘર પૂછવું તે ઘટિત નથી. વળી હે સ્વામી! અતિલોભથી તમે પેલા કણબીની પેઠે પશ્ચાત્તાપ પામશો.” કણબીનું દૃષ્ટાંત સુરપુર નગરમાં એક કણબી વસતો હતો. તેણે પોતાના ખેતરમાં ખેડ કરી હતી. તેથી રાત્રિએ પક્ષીઓને ઉડાવવા માટે શંખ વગાડતો હતો. એક દિવસ ચોરો ગાયોનું ઘણ લઈને તે ખેતર પાસે આવ્યા. તેવામાં શંખનો ધ્વનિ સાંભળીને તેઓ ભયાક્રાંત થઈ ગયા. એટલે ગાયોને છોડીને નાસી ગયા. પેલો કણબી તે ગાયો વેચીને સુખી થયો. એ પ્રમાણે ત્રણવાર બન્યું. એક દિવસ તે ચોરોએ કણબીની તમામ હકીકત જાણી, એટલે તેઓએ ત્યાં આવીને કણબીને બાંધ્યો અને મારીને સીઘો કર્યો. એ પ્રમાણે હે સ્વામી! અતિ લોભી પ્રાણીઓ દુઃખ પામે છે. જંબૂકુમાર કહે છે કે “અતિ કામની લાલસાવાળા મનુષ્યો વાનરની પેઠે બંધન પ્રાપ્ત કરે છે. તે વાનરનું હૃષ્ટાંત આ પ્રમાણે વાનરનું દ્રષ્ટાંત એક વાનર ગ્રીષ્મત્ર તુમાં તૃષાતુર થવાથી જળની ભ્રાંતિએ ચીકણા જળ વગરનાં કી માં પડ્યો. જેમ જેમ શરીરની ઉપર કીચડનો સ્પર્શ થતો ગયો તેમ
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy