________________
(૧૨) શ્રી જંબુસ્વામીનું દૃષ્ટાંત
૩૭
એ પ્રમાણેનો શ્લોક સાંભળીને મહેશ્વરે પૂછ્યું કે હે સ્વામી ! એ કેવી રીતે ?” સાધુએ સર્વ હકીકત કહી. તે મહેશ્વરે માની નહીં, એટલે કૂતરી પાસે ગુસ ખજાનો બતાવીને સાધુએ વિશ્વાસ ઉત્પન્ન કર્યો. તેથી મહેશ્વર શ્રાદ્ધ છોડીને શ્રાવક થયો. કૂતરીને પણ જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થવાથી તેણે મિથ્યાત્વનો ત્યાગ કર્યો અને તે સ્વર્ગે ગઈ. માટે હે પ્રભવ ! પુત્રથી શી કાર્યસિદ્ધિ થાય છે તે કહે.’’
હવે પ્રભવ કહે છે કે ‘હે જંબૂકુમાર ! તું મને આ જીવિતદાન આપે છે તે આ તારું પહેલું પુણ્ય છે. હવે જો આ મારો પરિવાર બંધનથી છૂટો થાય તો હું પણ તારી સાથે ચારિત્ર ગ્રહણ કરીશ.' આ પ્રકારનો તેનો નિશ્ચય સાંભળીને સમુદ્રથી નામની પ્રથમ સ્ત્રી બોલી કે ‘તમારા જેવા દુષ્ટ કર્મ કરનારાઓને તો ચારિત્ર ઘટે છે. દુઃખી પ્રાણીઓ સુખની અપેક્ષાથી ચારિત્ર ગ્રહણ કરે છે, પરંતુ સુખી લોકોને સંયમરૂપી કષ્ટ અનિષ્ટ છે, અને પ્રાયે કરીને લોકો પારકા ઘરને ભાંગનારા જ હોય છે. હે પ્રભવ ! જો આ.જંબૂકુમાર તારા કહેવાથી વ્રત ગ્રહણ કરશે તો એક હાળીની (ખેડૂતની) પેઠે તેને પસ્તાવું પડશે.’ પ્રભવે કહ્યું કે ‘એ હાળી કોણ હતો ?” સમુદ્રશ્રી કહે છે કે સાંભળો–
બગ પામરની કથા
“મરુદેશમાં એક બગ નામનો પામર વસતો હતો. તે ખેતી કરતો હતો અને કોદરા, કાંગ વગેરે ધાન્ય વાવતો હતો. એક દિવસ તે પોતાની દીકરીને સાસરે ગયો. ‘ત્યાં તેણે ગોળ મિશ્રિત માલપુડા જમાડ્યા. ત્યાં શેરડીની અંદરથી ગોળની ઉત્પત્તિ જાણી. તેથી પોતાને ઘેર આવીને તેણે પુષ્પ ને ફળથી ખીલેલા ક્ષેત્રને નિર્મૂલ કરી નાંખીને તેમાં શેરડી વાવી. તેની સ્ત્રીએ તેને ઘણો વાર્યો પણ તે અટક્યો નહીં, આપમતિલો થયો. મરુભૂમિ હોવાથી પાણી વિના શેરડી તો થઈ નહીં અને પૂર્વનું થાન્ય હતું તે પણ ગયું. પછી તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે ‘મિષ્ટ ભોજનની આશાથી મેં પ્રથમનું પાકેલું ઘાન્ય પણ ગુમાવ્યું.' તે પ્રમાણે હે પ્રાણવલ્લભ ! તમે પણ પશ્ચાત્તાપ પામશો, માટે પ્રાપ્ત થયેલ સુખનો ત્યાગ કરી અધિક સુખની વાંછા કરવી નહીં.”
જંબૂકુમારે કહ્યું કે “તું જે કહે છે તે સત્ય છે, પરંતુ જેઓ આ લોકના સુખના અભિલાષી હોય છે તેઓ દુઃખ પામે છે. પણ જ્ઞાનથી ઉત્કૃષ્ટ બીજું ઘન નથી, સમતા જેવું બીજું સુખ નથી. ‘દીર્ઘકાળ જીવો’ એ આશીર્વાદ ઉપરાંત બીજો ઉત્તમ આશીર્વાદ નથી, લોભ જેવું બીજું દુઃખ નથી, આશા જેવું બીજું બંઘન નથી અને સ્ત્રી જેવી બીજી જાળ નથી. તેથી જે સ્ત્રીઓમાં અતિ લુબ્ધ રહે છે તે કાગડાની પેઠે અનર્થ પ્રાપ્ત કરે છે.’” સ્ત્રીએ પૂછ્યું કે ‘એ કાગડો કોણ હતો ?’ જંબૂકુમાર કહે છે—