SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) શ્રી જંબુસ્વામીનું દૃષ્ટાંત ૭૫ એક બિંદુનો સ્વાદ લઈને આવું છું.’ તે સાંભળી વિદ્યાઘર ચાલ્યો ગયો અને તે મૂર્ખ દુઃખ પામ્યો.’’ માટે હે પ્રભવ ! આ વિષયનો વિપાક મધુબિંદુ જેવો છે. આનો ઉપનય એવો છે કે ‘આ સંસારરૂપી મોટું જંગલ છે, તેમાં જીવરૂપી વિખૂટો પડી ગયેલો ટૂંક મુસાફર છે, જન્મ, જરા અને મરણરૂપી કૂવો છે, તે વિષયરૂપી જળથી ભરેલો છે. નરકગતિ અને તિર્યંચગતિરૂપી બે અજગરો છે, કષાયરૂપી ચાર સર્પો છે, આયુષ્યરૂપી વડની શાખા છે, શુક્લ અને કૃષ્ણ પક્ષરૂપી બે ઉંદરો છે, મૃત્યુરૂપી હાથી છે, અને વિષયરૂપી મધપૂડો છે. તેમાં આસક્ત થઈ આ જીવ રોગ, શોક, વિયોગ આદિ અનેક ઉપદ્રવોને સહન કરે છે. માટે ધર્મ એ જ મોટું સુખ છે, તેવા સુખને આપનાર ગુરુ તે વિદ્યાધરની જગ્યાએ છે.’ આ પ્રમાણે મધુબિંદુનું દૃષ્ટાંત જાણવું. પ્રભવે ફરીથી કહ્યું કે ‘ભરયૌવનમાં પુત્ર સ્ત્રી વગેરે સઘળા પરિવારનો ત્યાગ કરવો ઉચિત નથી.' જંબૂકુમારે કહ્યું કે ‘એક એક જીવને પરસ્પર અનંતીવાર દરેક સંબંધ થયેલા છે. જેમકે એક ભવમાં થયેલા અઢાર નાતરાનો સંબંધ છે.' પ્રભવે કહ્યું કે ‘તે અઢાર નાતરાના સંબંધનું સ્વરૂપ કેવું છે તે મને કહો.' જંબૂકુમારે કહ્યું– અઢાર નાતરાનો સંબંધ તે “મથુરાપુરીમાં કુબેરસેના નામે વેશ્યા હતી. તેની કુક્ષિથી છોકરા ને છોકરીનું યુગલ ઉત્પન્ન થયું. છોકરાનું નામ કુબેરદત્ત રાખ્યું અને છોકરીનું નામ કુબેરદત્તા ‘રાખ્યું. તે યુગલને તેમનાં નામથી અંકિત મુદ્રા પહેરાવી વસ્ત્રમાં વીંટી પેટીમાં નાખીને તે પેટી યમુના નદીના પ્રવાહમાં વહેતી કરી. પ્રાતઃકાળે તે પેટી શૌરીપુર નામનાં નગર પાસે પહોંચી. ત્યાંના બે શ્રેષ્ઠીઓએ તે પેટી બહાર કાઢી. એક શેઠે પુત્ર ગ્રહણ કર્યો અને બીજાએ પુત્રી ગ્રહણ કરી. તેઓ યુવાન થતાં કર્મયોગે લગ્નની ગાંઠથી પરસ્પર જોડાયાં. એકદાં સોગઠાબાજી રમતાં કુબેરદત્તાએ પોતાના પતિના હાથમાં પેલી મુદ્રા જોઈ. તેથી ‘આ મારો ભાઈ છે' એમ જાણી તે વિરક્ત થઈ. તેણે સંયમ ગ્રહણ કર્યું. અનુક્રમે તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. એવે સમયે કુબેરદત્ત કોઈ કાર્ય પ્રસંગે મથુરા ગયો, ત્યાં કુંબેરસેના વેશ્યા જે તેની માતા હતી તેની સાથે લપટાયો. તેથી તેમને પુત્રપ્રાપ્તિ થઈ. કુબેરદત્તા સાધ્વીએ અવધિજ્ઞાનથી જાણ્યું કે ‘આ મોટો અનર્થ થાય છે.' તેથી તેમને પ્રતિબોધ પમાડવા માટે તે ત્યાં આવ્યા અને તે કુબેરસેનાના ઘરે જ રહ્યા. ત્યાં રુદન કરતા પેલા બાળક પાસે આવીને તે કહેવા લાગ્યા કે ‘હે બાળક ! તું કેમ રુવે છે ? મૌન ગ્રહણ કર. તું મને વહાલો છે. તારી સાથે મારે છ સંબંઘ છે. (૧) તું મારો પુત્ર છે, (૨) તું મારા ભાઈનો પુત્ર છે, (૩) તું મારો ભાઈ છે, (૪) તું મારો દીઅર છે, (૫) તું મારો કાકો છે, અને (૬) તું મારો
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy