SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા વિરુદ્ધ આચરેલું છે.' આ પ્રમાણે આર્યા ચંદનાનાં વચન સાંભળીને નેત્રમાંથી અશ્રુ સારતી અને સંતાપ કરતી તે પશ્ચાત્તાપ કરવા લાગી કે મેં આ ગુણવતી સાધ્વીને સંતાપ ઉત્પન્ન કર્યો.’ એ પ્રમાણે પોતાના આત્માને નિંદતી તે હાથ જોડી કહેવા લાગી કે ‘હે ભગવતી! મારો આ એક અપરાધ ક્ષમા કરો, હું મંદભાગી પ્રમાદવશે હું રાત્રિનું સ્વરૂપ જાણી શકી નહીં, હું ફરીથી આવું કરીશ નહીં.' એ પ્રમાણે વારંવાર ખમાવીને તેમના ચરણમાં પડી તેમની વૈયાવચ્ચ કરવા લાગી. છું; 90 આર્યા ચંદના તો સંથારામાં સૂઈ ગયા, પણ મૃગાવતી તો પોતાના આત્માની નિંદા કરે છે. એમ કરતાં કરતાં મૃગાવતીને શુક્લધ્યાનરૂપી અગ્નિ વૃદ્ધિ પામ્યો અને કઠિન કર્મરૂપી ઇંધનસમૂહ બળી ગયો; તેથી મૃગાવતીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. એવામાં કોઈ એક સર્પ આર્યા ચંદનાના સંથારા પાસે આવતો હતો તે મૃગાવતીએ કેવલજ્ઞાનથી જોયો, એટલે સંથારાની બહાર રહેલો આર્યા ચંદનાનો હાથ .તેણે સંથારામાં મૂક્યો. તેથી આર્યા ચંદના જાગી ગયા અને પૂછ્યું કે ‘મારો હાથ કોણે હલાવ્યો ?” ત્યારે મૃગાવતીએ કહ્યું કે ‘સ્વામિની! મારો અપરાધ ક્ષમા કરો, મેં તમારો હાથ હલાવ્યો છે.' તે સાંભળી ચંદનાએ ‘કેમ હલાવ્યો?” એમ પૂછતાં મૃગાવતીએ કહ્યું કે ‘સર્પ આવે છે તેથી.’ ચંદનાએ પૂછ્યું કે ‘આવા અંધકારમાં તેં કેમ જાણ્યું?” મૃગાવતી બોલી કે ‘અતિશયથી.’ આર્યા ચંદનાએ પૂછ્યું કે ‘આ અતિશય કેવા પ્રકારનો ?” મૃગાવતીએ કહ્યું કે ‘કેવલજ્ઞાનરૂપી અતિશય.’ તે સાંભળી આર્યા ચંદના કેવલજ્ઞાનીની આશાતના થયેલી જાણી પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને મૃગાવતીના ચરણમાં પડ્યા. એ પ્રમાણે આત્મનિંદામાં તત્પર થયેલા આર્યા ચંદનાને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. જેવી રીતે મૃગાવતીએ કષાય ન કર્યો તેવી રીતે બીજાઓએ પણ કષાય કરવો નહી, એવો આ દૃષ્ટાંતના ઉપનયથી ઉપદેશ આપેલો છે. किं सक्का वुत्तुं जे, सरागधम्मंमि कोइ अकसाओ । जो पुण धरिज धणियं, दुव्वयणुञ्जालिए स मुणी ॥ ३५ ॥ અર્થ—“શું એમ કહી શકાય કે આધુનિક સરાગ ઘર્મમાં—રાગદ્વેષ સહિત ચારિત્રમાં (કોઈ મુનિ) અકષાયી—સર્વથા કષાયરહિત હોય? આ વાત સંભવિત નથી. કારણકે સર્વથા કષાયરહિતપણું હાલ ક્યાંથી હોય? પરંતુ જે દુર્વચનરૂપ કાખવડે અત્યંત પ્રજ્વલિત કરેલ એવા કષાયરૂપ અગ્નિને ઘરી રાખે, ઉદય આવેલાને પણ પ્રગટ ન થવા દે તે જ મુનિ, તે જ મહાપુરુષ છે. કારણ કે સર્વથા કષાય ત્યાગ તો બહુ દુર્લભ છે. સર્વથા કષાયરહિતપણું તો આ કાળમાં સંભવતું જ નથી, પરંતુ જેઓ કોઈના કહેલાં દુર્વચનોથી ઉદયમાં આવવાને તૈયાર થયેલા કષાયને પણ રોકી રાખે તેને ઘન્ય છે, તે મહાપુરુષ છે.”
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy