________________
૬૬
ઉપદેશમા
વિશ્વાસ વિના મૃત્યુ પામે તેમ નથી' તેથી તેણે ગુરુ સમીપે જઈને કપટથી ચારિત્ર ગ્રહણ કર્યું. તે આચાર્ય (ગુરુ) ઉદાયી રાજાને ઘણા માન્ય હતા. પેલો સેવક ચારિત્ર ગ્રહણ કરીને આચાર્ય પાસે અઘ્યયન કરવા લાગ્યો અને સાઘુઓનો અત્યંત વિનય કરવા લાગ્યો. અનુક્રમે વિનયગુણથી તેણે આચાર્ય વગેરેનાં ચિત્ત વશ કર્યા.
હવે ઉદાયી રાજા આઠમને દિવસે અને ચૌદશને દિવસે રાત્રિદિવસનો પોસહ કરે છે, ત્યારે આચાર્ય ધર્મદેશના આપવા રાત્રે તેની પૌષધશાલામાં જાય છે. આઠમને દિવસે ત્યાં જવાને ગુરુ પ્રવૃત્ત થયા. તે વખતે પેલા નવદીક્ષિત સાધુએ કહ્યું કે ‘હે સ્વામિન્! આપની આજ્ઞા હોય તો હું સાથે આવું.' ગુરુએ એનું હૃદય નહીં જાણવાથી સાથે લીધો નહીં. એ પ્રમાણે દર વખતે માગણી કરે છે પણ તેને ગુરુ સાથે લેતા નથી. એમ બાર વર્ષ વીતી ગયાં. એક સમયે ચતુર્દશીને દિવસે સાયંકાળે ગુરુ ત્યાં જતા હતા, તે વખતે પેલા કપટી સાધુએ કહ્યું કે ‘હે સ્વામી! હું સાથે આવું?’ ભવિતવ્યતાને જોગે ગુરુએ કહ્યું કે ‘ભલે આવ.’ તેથી તે ગુરુ સાથે ગયો. ગુરુ રાજાની પૌષધશાળામાં આવ્યા, એટલે દર્ભનાં સંથારા ઉપર બેઠેલા ઉદાયી રાજાએ તેમને વાંદ્યા, અને પ્રતિક્રમણ કર્યું. પછી સંથારાપોરિસી ભણાવીને રાજાએ શયન કર્યું.
રાજા નિદ્રાવશ થયા એટલે પેલા દુષ્ટ શિષ્યે ઊઠીને છાની રીતે રાખેલી કંકજાતિના લોઢાની છરી રાજાને ગળે ફેરવી, જેથી તત્કાળ તે મરણ પામ્યો. પછી છરી ત્યાં જ રહેવા દઈને તે નાસી ગયો. બહાર રહેલા રાજસેવકોએ ‘આ સાધુ છે’ એમ જાણીને તેને અટકાવ્યો નહીં. અનુક્રમે રુધિરનો પ્રવાહ ગુરુના સંથારા પાસે આવ્યો. તેના સ્પર્શથી ગુરુ જાગી ઊઠ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ શું? તેણે પાસે શિષ્યને જોયો નહીં એટલે ધાર્યું કે આ કુશિષ્ય રાજાને મારીને ભાગી ગયો જણાય છે. પછી તે વાતની ખાતરી કરીને વિચારવા લાગ્યા કે ‘આ મોટો અનર્થ થયો છે. પ્રાતઃકાળે જૈન શાસનનો મોટી હીલના થશે કે મુનિઓ આવું દુષ્ટ કર્મ આચરે છે.’ તેથી તેમ ન થવા માટે ગુરુ પણ પોતાના ગળા પર છરી ફેરવીને મૃત્યુવશ થયા. બન્ને જણા મરણ પામીને સ્વર્ગે ગયા.
એ પ્રમાણે અભવ્ય જીવો બહુ ઉપદેશથી પણ પ્રતિબોધ પામતા નથી. પેલો દુષ્ટ સેવક સાધુવેષ છોડીને પોતાના રાજાની પાસે ગયો અને સઘળી હકીકત કહી. તે સાંભળીને રાજાએ કહ્યું કે ‘તને ધિક્કાર છે! અરે દુષ્ટ! તેં આ શું કર્યું?” એ પ્રમાણે તિરસ્કાર કરી તેને દેશમાંથી હાંકી કાઢ્યો. માટે જીવોએ કોઈ પણ પ્રકારે ભારેકર્મી ન થવું એવો આ દૃષ્ટાંતનો ઉપનય છે.
गयकन्नचंचलाए, अपरिचत्ताए रायलच्छीए ।
जीवा सकम्मकलिमल - भरियभरा तो पडंति अहे ॥३२॥