________________
(૯) ઉદાયી નૃપને મારનારનું દૃષ્ટાંત
પ
પૂછવા લાગ્યો કે ‘અરે! આ સમસ્યા કોણે પૂરી કરી ?” તેણે કહ્યું કે ‘મારા રેંટની પાસે એક મુનિ આવેલા છે તેણે આ ઉત્તરાદ્ધે પૂરું કરેલું છે.’ રાજા મુનિનું આગમન સાંભળી ઘણો જ ખુશી થયો અને સપરિવાર વાંઠવા ગયો. મુનિએ દેશના આપી; તેમાં આ સંસારની અનિત્યતા વર્ણવીને કહ્યું કે
“હે બ્રહ્મદત્ત! વીજળીના ચમકારા જેવું ચંચળ વિષયસુખ તજી દે અને જિનેશ્વર ભગવાને કહેલો ધર્મ સેવ. વિષયમાં અનુરાગનું પરિણામ ઘણું ખરાબ છે. તેં પૂર્વભવમાં નિયાણું કર્યું તે વખતે મેં તને ઘણો વાર્યો હતો, છતાં પણ તેં મોક્ષસુખને આપનારું ચારિત્ર અંશમાત્ર એવા રાજ્ય અને સ્ત્રીના સુખને અર્થે ગુમાવી દીધું છે. હજુ પણ પરિણામે નરક આપનારા રાજ્યથી વિરક્ત થા.’
એ પ્રમાણેના બંધુનાં વચન સાંભળી ચક્રી બોલ્યો કે ‘હૈ બંધુ ! મોક્ષસુખ કોણે જોયું છે ? આ વિષયાદિ સુખ તો પ્રત્યક્ષ છે; માટે હે ભાઈ ! તું પણ મારે ઘેર ચાલ અને સાંસારિક સુખનો અનુભવ લે. આ માથું મૂંડાવાથી શું વિશેષ છે? આપણે પ્રથમ સારી રીતે ભોગ ભોગવ્યા પછી સંયમ ગ્રહણ કરીશું.' એ પ્રમાણેનાં બ્રહ્મદત્તનાં વચન સાંભળીને ચિત્રમુનિએ કહ્યું કે “એવો કોણ મૂઢ હોય કે જે ભસ્મને માટે ચંદન બાળે? એવો કોણ મૂર્ખ હોય કે જે જીવવાની ઇચ્છાથી કાલકૂટ વિષનું ભક્ષણ કરે? એવો કોણ નીચ હોય કે જે લોઢાના ખીલા માટે પ્રવહણને તોડી નાંખે? એવો કોણ મૂર્ખ હોય કે જે દોરાને માટે મોતીનો હાર તોડી નાખે? માટે હે ભાઈ! તું પ્રતિબોધ પામં, પ્રતિબોધ પામ.” એ પ્રમાણે બંધુનાં વચન અનેક વાર સાંભળ્યાં પણ તેને વૈરાગ્ય પ્રાપ્ત થયો નહીં. તેથી આ દુર્બુદ્ધિ છે એમ જાણી ચિત્રમુનિએ ત્યાંથી વિહાર કર્યો. બ્રહ્મદત્ત પણ પોતાને ઘેર આવ્યો, અને અનેક પાપાચરણ કરવા લાગ્યો.
ચિત્રમુનિ લાંબા કાળ સુધી સાધુમાર્ગને સેવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા; અને જેણે પૂર્વભવે નિયાણું કરેલું છે એવો બ્રહ્મદત્ત ધર્મ પામ્યા વિના અનેક પાપકર્મ આચરીને સાતસો વર્ષનું આયુષ્ય ભોગવીને સાતમી નરકે ગયો.
એ પ્રમાણે જે માણસ ભારેકર્મી હોય છે તે પ્રતિબોધ પામતા નથી; માટે સુલભબોધિપણું એ ઘણું દુર્લભ છે એવો આ કથાનો તાત્પર્ય છે.
ઉદાયી નૃપને મારનારનું દૃષ્ટાંત
પાટલીપુત્ર નગરમાં કોણિક રાજાનો પુત્ર ઉદાયી નામે રાજા હતો. તેણે કોઈ રાજાનું રાજ્ય લઈ લીધું. તેથી તે વૈરી રાજાએ પોતાની સભામાં કહ્યું કે જે કોઈ ઉદાયી રાજાને મારી આવે તેને હું માગે તે આપું.' તે ઉપરથી તેના કોઈ સેવકે તે પ્રમાણે કરવાનું કબૂલ કર્યું. તે સેવક પાટલીપુત્ર આવ્યો અને અનેક ઉપાયો ચિંતવ્યા, પરંતુ કોઈ ઉપાય લાગુ પડ્યો નહીં. તેથી તે દુષ્ટ વિચાર્યું કે ‘ઉદાયી રાજા