SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મદત્ત ચક્રીની કથા ૬૩ તે અવસરે સંભૂતિ મનિનું સઘળું ચરિત્ર ચિત્ર મુનિએ જાણ્યું એટલે તે ત્યાં આવ્યા અને સંભૂતિમુનિને ઘણાં શાંત વચનો કહ્યાં—શાંત વચનરૂપી અમૃતની ધારાથી તેમણે સંભૂતિ મુનિનું મન શાંત કર્યું. તેથી સંભૂતિ મુનિ ક્રોધથી નિવૃત્ત થયા અને શાંતિભાવને પામ્યા. નમુચિનું ચરિત્ર જાણીને સનકુમારે તત્કાલ તેને બાંઘી મંગાવી મુનિને પગે લગાડ્યો અને પૂછ્યું કે ‘હે મુનિ ! આપ આજ્ઞા કરો કે આ નમુચિને હું શી શિક્ષા કરું?” બન્ને મુનિઓએ કહ્યું કે ‘અમારે કોઈની સાથે વૈરભાવ નથી.’ પછી સનત્કુમારે નમુચિને દેશનિકાલ કર્યો. પછી બન્ને મુનિઓએ વિચાર કર્યો—“અહો! ક્રોઘાંઘ પુરુષો કાંઈ પણ જાણતા નથી. આ ક્રોથ મહા અનર્થકારી છે. કહ્યું છે કે નં અગ્નિવં ચરિત્ત, તેભૂખાળ્યું ખુબજોડી !, तंपि अ कसायमित्तो, हारेइ नरो मुहुत्तेण ॥१॥ દેશે ઊણા ક્રોડ-પૂર્વ પર્યંત જે ચારિત્ર પાળ્યું હોય તેને કષાયમાત્રવર્ડ કરીને પ્રાણી એક મુહૂર્તમાં હારી જાય છે, અર્થાત્ એક મુહૂર્ત માત્ર કરેલ કષાય ક્રોડ પૂર્વના ચારિત્રનો પણ નાશ કરી શકે છે.’ વળી– कोहं पइट्ठो देहघरि तिन्नि विकार करेह । आपो 'तावें पर तवें, परनेह हाणि करेह ||२|| દેહરૂપી ઘરમાં ક્રોધ પેઠો હોય તો તે ત્રણ વિકાર કરે—૧. પોતે તપે ૨. બીજાને તપાવે અને ૩. બીજાની સાથેના સ્નેહની હાનિ કરે.' માટે ક્રોથના આશ્રયભૂત આ દેહને જ તજી દેવો જોઈએ. અવગુણોના નિવાસસ્થાન એવા આ દેહને ધારણ કરવાથી શો લાભ છે ?’’ આ પ્રમાણે વિચાર કરીને ચિત્ર અને સંભૂતિ બન્ને મુનિઓએ વનમાં જઈને અનશન ગ્રહણ કર્યું. લોકો ધન્ય! ધન્ય!” એમ કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. ઘણા લોકો તેમને વાંદવા ગયા, એટલે સનકુમાર ચક્રી પણ પોતાના પરિવાર સહિત તેમને વાંદવા ગયો. તે વાંદી પ્રશંસા કરી પાછો આવ્યો. પછી ચક્રવર્તીની પટ્ટરાણી સ્ત્રીરત્ન સુનંદા ઘણી સ્ત્રીઓથી પરિવૃત્ત થઈને વાંદવા ગઈ, અને ભક્તિથી બન્ને હાથ જોડી ચિત્ર મુનિના ચરણને વાંદીને પછી તે સંભૂતિ મુનિના ચરણમાં પડી. તે સમયે કાજલ જેવો શ્યામ તેનો કેશપાશ સંભૂતિ મુનિના ચરણમાં અથડાયો. તેના સ્પર્શથી જેને અત્યંત રાગ ઉત્પન્ન થયો છે એવા સંભૂતિ મુનિએ નિયાણું કર્યું કે જો મારા તપનું ફળ હોય તો આવું સ્ત્રીરત્ન મને પરભવમાં પ્રાપ્ત થાઓ. આ પ્રમાણે નિકાચિત નિયાણું કર્યું. તે વખતે ચિત્ર મુનિએ કહ્યું કે ‘હે બંધુ! તમે આ શું કરો છો? આ દુષ્ટ પરિણામવાળા વિષયો આ જીવે અનંતીવાર ભોગવ્યા છે થાપિ તે તૃપ્તિ પામ્યો નથી, માટે આવું નિયાણું ન કરો.' સંભૂતિ
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy