________________
૬૦
ઉપદેશમાળા
कृशः काणः खञ्जः श्रवणरहितः पुच्छविकलो । व्रणीपूयक्लिन्नः कृमिकुलशतैरावृततनुः ॥ क्षुधाक्रांतो जीर्णः पिठरककपालार्पित गलः । शुनीमन्वेति श्धा हतमपि च हन्त्येव मदनः ।।
“શરીરે દુર્બલ, કાણો, લંગડો, બહેરો, પુચ્છ વિનાનો, જેના અંગપર ચાંદા પડેલા છે, પરુથી ખરડાયેલો છે અને જેનું શરીર હજારો કૃમિથી ઘેરાયેલું છે એવો ક્ષુધાક્રાંત, જીર્ણ અને જેના ગળામાં ઠીબનો કાંઠો વળગેલો છે એવો શ્વાન પણ જો કૂતરીને દેખે છે તો તેની પાછળ જાય છે, તેથી દિલગીરીની વાત છે કે કામદેવ મરેલાને પણ મારે છે.’” કહ્યું છે કે—
उखल करे धबुकडां घरहर करे घरट्ट; जिहां जे अंग सभावडा तिहां ते मरण निकट्ट.
જેમ ખાંડણીઓ ધબકારા કરે છે અને ઘંટી ઘરઘરાટ કરે છે તેમ જે અંગનો એટલે જીવનો જેવો સ્વભાવ પડ્યો હોય તે મરણ પર્યંત તેવો જ રહે છે, પ્રાયે બદલાતો નથી.”
એ પ્રમાણે ઘણા દિવસો જતાં ચાંડાલે તે વાત જાણી, એટલે તે વિચારવા લાગ્યો કે “આ વિષયાંઘને ધિક્કાર છે ! તેના ઉપર કરેલો ઉપકાર પણ એ ભૂલી ગયો છે. આના કરતાં કૂતરો પણ વધારે સારો હોય છે કે જે કરેલ ઉપકારને ભૂલી જતો નથી. કહ્યું છે કે—
अशनमात्रकृतज्ञतया गुरोर्न पिशुनोऽपिशुनो लभते तुलाम् । अपि बहूपकृते सखिता खले, न खलु खेलति खे लतिका यथा ॥
‘ભોજનમાત્રથી કૃતજ્ઞપણા વડે ગુરુ તરીકે માનનાર એવા કૂતરાની પણ બરોબરી પિશુન (દુષ્ટ પુરુષ) કરી શકતો નથી; કેમકે જેની ઉપર ઘણા ઉપકાર કર્યા છે એવા દુષ્ટ સાથેની મિત્રતા પણ, જેમ આકાશમાં લતા ટકી શકતી નથી તેમ (લાંબો વખત) ટકતી નથી.’
,,
મેં પહેલાં જ વિપરીત કાર્ય કર્યું કે આ દુષ્ટનું રક્ષણ કર્યું. આ તો વધ કરવાને જ લાયક છે.” આ પ્રમાણે વિચારીને તેણે તેને મારી નાંખવા માટે ભોંયરામાંથી બહાર કાઢ્યો. તે વખતે ચિત્ર-સંભૂતિએ વિચાર્યું કે ‘આપણા પિતા આપણી નજર આગળ આપણા વિદ્યાગુરુને હણે એ મોટો અનર્થ થાય છે.’ પછી તેના રક્ષણનો ઉપાય મનમાં વિચારીને તેઓએ પોતાના પિતાને કહ્યું કે ‘હે પિતાજી! આ પાપી મહાદુરાચારી છે, એ હણવા લાયક જ છે, રક્ષણ કરવા લાયક નથી. માટે અમને તમે આજ્ઞા આપો કે જેથી અમે તેને સ્મશાનભૂમિમાં લઈ જઈને મારી નાંખીએ.' ચાંડાલે તેમને આજ્ઞા આપી, એટલે તેઓ તેને લઈને રાત્રિના વખતે નીકળ્યા. પછી