________________
પક
ઉપદેશમાળા અવીને મહાવિદેહમાં મનુષ્ય થઈ સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. ' હવે આયુષ્યની અનિત્યતા દર્શાવે છે–
जइ ता लवसत्तमसुर-विमाणवासी वि परिवडंति सुरा।
चिंतिजं तं सेसं, संसारे सासयं कयरं ॥२९॥ અર્થ- “જો તે અનુત્તર વિમાનવાસી દેવતાઓ પણ આયુક્ષયે ત્યાંથી પડે છે, આવે છે તો વિચારી જો કે બાકી સંસારમાં શું શાશ્વત-સ્થિર છે? અર્થાત્ કાંઈ પણ શાશ્વત-નિત્ય નથી.”
ભાવાર્થઅનુત્તર વિમાનવાસી દેવો લવસત્તરમીઆ દેવતા કહેવાય છે. તેવા સર્વ જીવથી અઘિક આયુષ્યવાળા દેવતાઓનું ૩૩ સાગરોપમ જેટલું આયુષ્ય પણ પૂર્ણ થઈ જાય છે અને તે ત્યાંથી અવે છે તો તેની અપેક્ષાએ હીન સ્થિતિવાળા આ સંસારમાં બીજું શું શાશ્વત છે? કાંઈ નથી. માત્ર એક ઘર્મ જ નિત્ય છે. __कह तं भन्नइ सोक्खं, सुचिरेण वि जस्स दुक्खमल्लियइ।
जं च मरणावसाणे, भवसंसाराणुबंधिं च ॥३०॥ અર્થ–“ઘણા કાળે પણ જેના પરિણામે દુઃખ વેઠવું પડે તેને સુખ કેમ કહેવાય? ન કહેવાય. કારણ કે મરણ પછી નરકાદિ ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવું પડે અથવા ગર્ભવાસાદિ દુઃખ સહેવું પડે તે સુખ જ ન કહેવાય.” | ભાવાર્થ–પલ્યોપમ સાગરોપમના સુખને અંતે પણ દુઃખનું આસ્વાદન કરવું પડે તો તે સુખ દુખ જ છે. ચાર ગતિરૂપ સંસારનો અનુબંઘ જેથી થયા કરે તે સુખ જ નથી. સંસારનો છેદ થાય તે જ વાસ્તવિક સુખ છે. ' ગુરુનો કહેલો ઉપદેશ પણ ભારેકર્મને લાગતો નથી, તે કહે છે– *
उवएस सहस्सेहि वि, बोहिअंतो न बुज्झइ कोइ ।
जह बंभदत्तराया, उदाइ निवमारओ चेव ॥३१॥ અર્થ-“કોઈ (ભારેકર્મી જીવ) હજારો ઉપદેશ વડે બોઘ પમાડ્યો તો પણ બૂઝતો નથી. દૃાંત તરીકે, બ્રહ્મદત્ત ચકી બોઘ પામ્યો નહીં અને ઉદાયી નૃપને મારનાર બાર વર્ષ પર્યત તપ તણો, મુનિપણે રહ્યો તો પણ ભવ્યત્વ પામ્યો નહીં.”
બ્રહ્મદત્ત ચક્રીને તેના પૂર્વભવના ભાઈમુનિએ ઘણી રીતે ઉપદેશ આપ્યો પણ કિંચિત્ માત્ર બોઘ લાગ્યો નહીં તેનું તથા ઉદાયી નૃપમારકનું દ્રષ્ટાંત અહીં જાણવું.
બ્રહાદત્ત ચક્રીની કથા પ્રથમ બ્રહ્મદત્તના ભવના કારણભૂત ચિત્ર અને સંભૂતિ મુનિનું (બ્રહ્મદત્તના પૂર્વભવનું) સ્વરૂપ કહીએ છીએ