SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) બાહુબલીનું દૃષ્ટાંત તેને કોણે બોલાવ્યો હતો? તે અત્રે શા માટે આવ્યો છે? અતૃપ્ત એવા તેને લm નથી. તે સર્વે બંધુઓનાં રાજ્યો ગ્રહણ કરીને હવે મારું રાજ્ય લેવા આવ્યો છે; પરંતુ તે જાણતો નથી કે બધા જ દરોની અંદર કાંઈ ઉંદરો હોતા નથી; માટે હું પાછો હઠનાર નથી; કારણકે માનહાનિ કરતાં પ્રાણહાનિ વઘારે સારી છે. કહ્યું છે– अधमा धनमिच्छंति, धनमानौ च मध्यमाः । उत्तमा मानमिच्छंति, मानो हि महतां धनम् ॥ અઘમ લોકો ઘનને ઇચ્છે છે, મધ્યમ લોકો માન અને ઘનને ઇચ્છે છે, ઉત્તમ લોકો માનને જ ઇચ્છે છે, કારણ કે માન એ જ મોટાઓનું ઘન છે. વળી– વરું પ્રાણપરિત્યા, મા માનપરિફંડનમ્ | मृत्युर्तत्क्षणिका पीडा, मानखण्डो दिने दिने । પ્રાણનો ત્યાગ કરવો એ વઘારે સારો છે, પણ માનખંડન સારું નથી. કારણ કે મૃત્યુ તે જ ક્ષણે પીડા આપે છે, પણ માનખંડ તો દરરોજ પીડા કરે છે.” એ પ્રમાણે બાહુબલીનું નિશ્ચયવાળું વચન સાંભળીને ઇંદ્રે કહ્યું કે “જો એવો જ નિશ્ચય હોય તો તમારે બન્ને ભાઈઓએ જ યુદ્ધ કરવું. આ લોકસંહાર શા માટે કરો છો?” બાહુબલીએ તે વાત કબૂલ કરી. પછી ઇદ્ર પાંચ પ્રકારનાં યુદ્ધો સ્થાપિત ક્ય–વૃયુિદ્ધ, વાક્યુદ્ધ, બાહુયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ. ભરતે પણ એ પ્રમાણે કબૂલ કર્યું. પછી બન્ને ભાઈઓ સૈન્યને યુદ્ધ કરતું બંઘ કરીને સામસામા આવ્યા. પ્રથમ દ્રષ્ટિયુદ્ધ શરૂ થયું. પરસ્પર દૃષ્ટિ સાથે દ્રષ્ટિ મળતાં પ્રથમ ભરત ચટ્ટીના નેત્રમાં અશ્રુ આવી ગયાં. તેથી સાક્ષીભૂત દેવતાઓએ કહ્યું કે ચક્રી હાર્યા અને બાહુબલી જીત્યા. એમ પાંચે યુદ્ધોમાં બાહુબલી જીત્યા એટલે વિલખા થયેલ ચક્રીએ મર્યાદા મૂકી ચક્ર છોડ્યું. ત્યારે બાહુબલીએ કહ્યું કે “એ પ્રમાણે ન કરો, સસુરુષોએ મર્યાદાનો ત્યાગ કરવો યોગ્ય નથી. છતાં પણ તેણે બાહુબલી ઉપર ચક્ર મૂકયું એટલે બાહુબલીએ મુષ્ટિ ઉગામીને વિચાર કર્યો કે “આ મુષ્ટિવડે ચક્ર સહિત ભરતને ચૂર્ણ કરી નાંખું.” એટલામાં ચક્ર તો બાહુબલી પાસે આવી ત્રણ - પ્રદક્ષિણા કરીને પાછું વળ્યું, કારણ કે એક જ ગોત્રમાં જન્મેલા પર ચક્ર ચાલતું નથી. પછી બાહુબલીએ ચિંતવ્યું કે આ વજ જેવી મુષ્ટિ વડે માટીના વાસણની જેમ ભરતને ચૂર્ણ કરી નાખ્યું. ત્યાં જ તેનો વિચાર બદલાયો કે “અહો! મેં અંશમાત્ર સુખને અર્થે આ બાંઘવનો નાશ શા માટે ચિંતવ્યો? જેને અંતે નરક પ્રાપ્ત થાય છે એવા રાજ્યને ધિક્કાર છે! વિષયોને ધિક્કાર છે! મારા નાના ભાઈઓને ઘન્ય છે કે જેઓએ અનર્થહેતુક રાજ્યને તજી દઈને સંયમ ગ્રહણ કર્યું છે. આ પ્રમાણે જેના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એવા બાહુબલીએ ઉગામેલી મૂઠી પોતાના માથા ઉપર પાછી વાળીને પંચમુષ્ટિ લોન્ચ કર્યો. તે વખતે દેવતાઓએ રજોહરણ વગેરે
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy