SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ ઉપદેશમાળા પમાડશે. જેની બત્રીસ હજાર રાજાઓ સેવા કરે છે તેની ચરણસેવાથી તમારો કોઈ પણ રીતે ઉપહાસ (મશ્કરી) નથી, પાંચ માણસની સાથે દુઃખ ભોગવવું તે દુઃખ નથી, એવી લોકોક્તિ છે; તેથી માન ત્યજીને ત્યાં ચાલો.” એવાં દૂતનાં વચન સાંભળીને બાહુબલી અતિ ક્રોઘાયમાન થઈ લલાટમાં ત્રિવલિ ચડાવી ભજાસ્ફોટ કરીને બોલ્યા કે “અરે દૂત!ભરત કોણ માત્ર છે? તેનાં ચૌદ રત્નો શું માત્ર છે? અને તેના સેવકો પણ કોણ માત્ર છે? મેં બાલ્યાવસ્થામાં ભરતને ગંગાકાંઠે દડાની જેમ આકાશમાં ઉછાળ્યો હતો અને પછી ગગનમાંથી પડતાં મેં જ તેને મારા હાથમાં ઝીલી લીઘો હતો, તે શું ભરત ભૂલી ગયો? મારું તે બલ તેને વિસ્મૃત થયું હોય તેમ જણાય છે, જેથી તને અહીં મોકલ્યો છે. આટલા દિવસ સુધી તો મેં પિતા તુલ્ય ગણીને મોટા ભાઈની આરાઘના કરી છે, પણ હવે તો હું તેની ઉપેક્ષા કરું છું કેમકે ગુણહીન અને લોભી એવા મોટા ભાઈથી પણ શું? તેણે અઠ્ઠાણું નાના ભાઈઓનાં રાજ્યો લઈ લીઘાં અને તેઓએ તો બીકણપણાને લીધે લોકાપવાદથી ડરી રાજ્ય ત્યજીને સંયમ ગ્રહણ કર્યું, પરંતુ હું તો તેને સહન નહીં કરું. મારો ભુજપ્રહાર કેવળ ભરત જ સહન કરશે, પણ તે સહન કરવા માટે અન્ય કોઈ આવશે નહીં, માટે તું જા. દૂત હોવાથી તું અવધ્ય છે, તેથી મારી દ્રષ્ટિથી તત્કાળ દૂર થા.” આ પ્રમાણે ક્રોથથી લાલચોળ નેત્રવાળું સૂર્યમંડળ જેવું ઉદીત થયેલું તેનું મુખ જોઈને સુવેગ ભય પામી ઘીમે ઘીમે ત્યાંથી બહાર નીકળ્યો અને પાછો વળી માનભંગ થઈ રથમાં બેસી અયોધ્યા તરફ ચાલ્યો. માર્ગમાં બદલી દેશને નિહાળતાં તેણે આ પ્રમાણે લોકોનાં વાક્યો સાંભળ્યાં–“અરે! ભરત કોણ છે કે જે અમારા સ્વામીની સાથે યુદ્ધ કરવા ઇચ્છે છે? પરંતુ તેના જેવો કોઈ મૂર્ખ જણાતો નથી કે જેણે સૂતેલા સિંહને જગાડ્યો છે?” આ પ્રમાણે લોકોનાં વાક્યો સાંભળી સવેગ વિસ્મિત થઈને વિચારવા લાગ્યો કે “અહો! આ દેશના લોકો પણ આટલું બધું શૌર્ય ઘરાવે છે? પરંતુ તે તેમના સ્વામીનો જ પ્રભાવ છે, તેઓનો પ્રભાવ નથી. પણ ભરતે આ શું કર્યું? તેણે ઠીક ન કર્યું, અયોગ્ય કર્યું.” એ પ્રમાણે વિચાર કરતો અને લોકોને ભય પમાડતો સુવેગ કેટલેક દિવસે અયોધ્યા નગરીએ પહોંચ્યો. તેણે સભામાં જઈને સર્વ હકીકત ભરત ચક્રીને નિવેદન કરી. છેવટે તેણે કહ્યું કે “એ તમારો નાનો ભાઈ તમને તૃણવત્ ગણે છે. વઘારે શું કહ્યું?” એવા દૂતના શબ્દો સાંભળીને સૈન્ય સહિત ભરત ચક્રીએ તે તરફ પ્રયાણ કર્યું. ભારતની મોટી સેના ચાલી, તેથી દિમંડલ પણ ધ્રુજવા લાગ્યું. તેના સૈન્યનું સ્વરૂપ નીચે પ્રમાણે– दिग्चक्रं चलितं भयाजलनिधिर्जातो महाव्याकुलो । पाताले चकितो भुजंगमपतिः क्षोणिधराः कंपिताः ॥
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy