SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) બાહુબલીનું દૃષ્ટાંત ૪૭ સઘળા ભાઈઓએ તો ચારિત્ર ગ્રહણ કર્યું છે, હવે બાહુ રૂપે મારે એક જ ભાઈ રહેલો છે અને તે પણ અનુજ બન્યુ છે તો તેના ઉપર શું કરાય ?’ સુષેણે કહ્યું કે ‘સ્વામિન્! આ બાબતમાં વિચાર ન કરવો. ગુણહીન ભાઈથી શો લાભ છે ? સોનાની છરી કાંઈ પેટમાં મરાય નહીં. માટે દૂત મોકલીને તેને અહીં બોલાવો; પરંતુ હું ધારું છું કે તે કોઈ પર રીતે અહીં આવશે નહીં.' એવાં સુષેણનાં વચનથી ક્રોધિત થયેલ ભરતે સુવેગ નામના દૂતને બોલાવીને કહ્યું કે ‘તું તક્ષશિલા નગરીમાં મારા નાના ભાઈ બાહુબલી પાસે જા અને તેને અહીં બોલાવી લાવ.' આ પ્રમાણે ભરતચક્રીનાં વચન સાંભળીને પુષ્પની જેમ તેમની આજ્ઞા માથે ચડાવી રથમાં બેસીને પરિવાર સહિત તે ચાલ્યો. માર્ગે જતાં તેને ઘણાં અપશુકનો થયાં; પરંતુ તે અપશુકનોએ વાર્યા છતાં સ્વામીની આજ્ઞા પાળવામાં ઉદ્યુક્ત થયેલો તે અવિચ્છિન્ન ચાલ્યો. કેટલેક દિવસે તે‘બહળીદેશમાં પહોંચ્યો. ત્યાંના લોકોએ તેને પૂછ્યું કે ‘તું કોણ છે? અને ક્યાં જાય છે?' સુવેગના અનુચરોએ કહ્યું કે ‘આ સુવેગ નામનો ભરત રાજાનો દૂત છે અને તે બાહુબલીને બોલાવવા માટે જાય છે.’ ત્યારે લોકોએ ફરીથી કહ્યું કે ‘એ ભરત કોણ છે ?” સુવેગના સેવકોએ કહ્યું કે ‘તે છ ખંડનો ઘણી છે, જગતનો સ્વામી છે; અને તે લોકોમાં પણ પ્રખ્યાત છે.’ ત્યારે તે લોકો બોલ્યા કે ‘આટલા દિવસ સુધી તો અમે તેને સાંભળ્યો નથી કે તે ક્યાં રહે છે? અમારા દેશમાં તો સ્ત્રીઓના સ્તનની કંચુકી ઉપર ભરત હોય છે તેને અમે ભરત તરીકે સાંભળીએ છીએ, પરંતુ ભરત રાજા તો કોઈ સાંભળ્યો નથી. અમારો રાજા ક્યાં ? અને એ ભરત ક્યાં! અમારા સ્વામીના ભુજદંડપ્રહારને સહન કરે તેવો આ દુનિયામાં કોઈ નથી.' આ પ્રમાણે લોકોના મુખથી બાહુબલીના બળનો ઉત્કર્ષ સાંભળીને ચકિત થતો સતો સુવેગ અનુક્રમે તક્ષશિલાએ પહોંચ્યો; નગરીમાં દાખલ થયો અને બાહુબલીના સભામંડપ પાસે આવ્યો. દ્વારપાળે રાજાની આગળ દૂતનું આગમન નિવેદન કર્યું. તેની આજ્ઞાથી દૂત રથમાંથી ઊતરી બાહુબલીની સમીપે જઈ તેને પગે લાગ્યો. બાહુબલીએ દૂતને પોતાના ભાઈના કુશલ સમાચાર આદિ પૂછતાં દૂતે કહ્યું કે “તમારો ભાઈ ભરત કુશલ છે, અયોધ્યા નગરી કુશલ છે અને તેમના સવા કોટી પુત્રો પણ કુશલ છે. જેના ઘરમાં ચૌદ રત્ન અને નવ નિધિ આદિ મોટી ઐશ્વર્યસંપત્તિ છે તેનું અકુશલ કરવાને કોણ શક્તિવાન છે ! જો કે તેણે સર્વ સંપત્તિ પ્રાપ્ત કરી છે તથાપિ તેને સ્વબંધુનાં દર્શનનો લાભ લેવાની ઘણી ઉત્કંઠા છે. માટે તમે ત્યાં આવીને તમારા સમાગમથી ઉત્પન્ન થતી સુખવૃદ્ધિથી તેને અતિ પ્રમુદિત કરો. કદી જો તમે નહીં આવો તો તે તમારા ઉપર કોપિત થઈને તમને ઘણી પીડા
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy