________________
ઉપદેશમાળા
૪૬
નથી. આ રાજ્યલીલાનો વિલાસ સ્વપ્ન તુલ્ય છે. કહ્યું છે કે
स्वप्ने यथायं पुरुषः प्रयाति, ददाति गृह्णाति करोति वक्ति । निद्राक्षये तच्च न किंचिदस्ति सर्वं तथेदं हि विचार्यमाणम् ॥ ‘આ પુરુષ (જીવ) જેમ સ્વપ્નમાં પ્રયાણ કરે છે, આપે છે, ગ્રહણ કરે છે, કાંઈ કાર્ય કરે છે અથવા બોલે છે, પણ નિદ્રાનો ક્ષય થતાં જેમ તેમાંનું કાંઈ હોતું નથી તેમ વિચાર કરતાં આ સઘળું (સંસારી પદાર્થ માત્ર) તેવું જ છે.’ વળી–
संपदो जलतरंगविलोला, यौवनं त्रिचतुराणि दिनानि । शारदाभ्रमिव चंचलमायुः, किं धनैः कुरुत धर्ममनिंद्यम् ॥ સંપત્તિઓ જલનાં તરંગ જેવી ચપળ છે, યૌવન ત્રણ-ચાર દિવસનું જ છે અને આયુષ્ય શરદ ઋતુના મેઘની પેઠે ચંચલ છે, તો ઘનથી શું વિશેષ છે ? ત્ય એવો ધર્મ જ કરો.’
માટે હે પુત્રો! તમારે આટલો બધો મોહવિલાસ શો? કોના પુત્રો? કોનું રાજ્ય ? કોની સ્ત્રી ? કોઈ પણ સાથે આવવાનું નથી. કહ્યું છે કે—
द्रव्याणि तिष्ठंति गृहेषु नार्यो विश्रामभूमौ स्वजनाः स्मशाने । देहश्चितायां परलोकमार्गे, कर्मानुगो याति स एव जीवः ॥
.
‘દ્રવ્ય તો ઘરમાં જ પડ્યું રહે છે, નારી વિશ્રામભૂમિ સુથી આવે છે, સ્વજનો સ્મશાન સુધી આવે છે, અને છેવટ દેહ ચિતામાં રહે છે. પછી પરલોકમાર્ગે તો કર્મ સહિત જીવ જ એકલો જાય છે.’
માટે તમે આ વિનાશી રાજ્ય ત્યજી દો અને અક્ષય એવું મોક્ષરાજ્ય મેળવો.’’
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને બધાએ દીક્ષા લીધી અને નિર્દોષ ચારિત્ર પાળવા લાગ્યા. દૂતોએ આવીને ભરતને એ હકીકત નિવેદન કરી. એટલે ભરતચક્રીએ તે ભાઈઓના પુત્રોને બોલાવીને સૌ-સૌનું રાજ્ય આપ્યું.
હવે ભરત રાજા અયોધ્યા નગરીમાં આવ્યા છતાં ચક્ર આયુધશાળામાં પ્રવેશ કરતું નથી, તેથી સુષેણ સેનાપતિએ તેમની સમીપે આવીને જણાવ્યું કે હે સ્વામી! ચક્ર આયુધશાલામાં પ્રવેશ કરતું નથી.' ભરતચક્રીએ પૂછ્યું કે ‘તેનું શું કારણ છે?’ સુષેણ સેનાપતિએ કહ્યું કે ‘સ્વામિન્! હજુ પણ કોઈ શત્રુ રહ્યો હોય તેમ જણાય છે.’ ચક્રીએ કહ્યું કે ‘આ છ ખંડમાં તો મારા માથા ઉપર કોઈ શત્રુ નથી.' ત્યારે સુષેણે કહ્યું કે “આપનો નાનો ભાઈ બાહુબલી આપની આજ્ઞા માનતો નથી. નાનો ભાઈ છતાં પણ જો મોટા ભાઈની આજ્ઞા માને નહીં તો તેને શત્રુ જ સમજવો. જેની આજ્ઞા પોતાના ઘરમાં પણ ચાલતી નથી તે સ્વામી શેનો ? તેથી તેને આજ્ઞાવર્તી કરવો જોઈએ.' ભરત રાજાએ વિચાર્યું કે ‘મારા ભયથી મારા