________________
ઉપદેશમાળા धम्मं रक्खइ वेसो, संकइ वेसेण दिक्खिओमि अहं । - ડખો પડંત, રવહરૂ રાયા નાવડલ્ટ રા.
અર્થ–“વેષ ઘર્મનું રક્ષણ કરે છે, વેષે કરીને હું દીક્ષિત છું એમ ઘારીને પાપ કરતા શંકાય છે, અને જેમ રાજા જનપદને, લોકોને રાખે તેમ ઉન્માર્ગે પડતાને વેષ ઘરી રાખે છે.”
ભાવાર્થ–વેષ ચારિત્રઘર્મની રક્ષા કરે છે અને કોઈ પણ પ્રકારનું પાપકાર્ય આચરતા હું અનિવેષ ઘારક છું, દીક્ષિત છું એવા વિચારથી માણસ શંકાય છે, લક્સ પામે છે, પાપ કરી શકતો નથી. વળી જેમ રાજા જનપદની એટલે પોતાના દેશના લોકોની રક્ષા કરે છે અર્થાત્ રાજાના ભયથી જેમ પ્રજાવર્ગ ઉન્માર્ગે ચાલી શક્તો નથી, પ્રવર્યો હોય તોપણ રાજભયથી પાછો નિવર્તે છે; તેમ વેષ પ્રાણીને ઉન્માર્ગે જતાં રોકે છે, ઉન્માર્ગે જઈ શકતો નથી, ગયો હોય તોપણ પાછો ઓસરે છે.
अप्पा जाणइ अप्पा, जहट्टिओ अप्पसक्खिओ धम्मो ।
Mા વકરે તે તદુ, નર સMલુણાવાં હો તારા , અર્થ–“આત્મા જ યથાસ્થિત પોતાના આત્માને જાણે છે, માટે આત્મસાક્ષિક ઘર્મ પ્રમાણ છે. તેથી આત્માએ જે ક્રિયાનુષ્ઠાન આત્માને સુખકારક હોય તે તેવા પ્રકારે જ કરવું કે જે પરભવમાં હિતકારક થાય.” .
ભાવાર્થ–પોતાનો આત્મા શુભ પરિણામમાં વર્તે છે કે અશુભ પરિણામમાં વર્તે છે તેની ખરી ખબર પોતાના આત્માને જ પડે છે, કારણ કે પારકી ચેતોવૃત્તિ છસ્થ જાણી શક્તા નથી; પોતે જ જાણી શકે છે. '
जं जं समयं जीवो, आविसइ जेण जेण भावेण ।
सो तम्मि तम्मि समए, सुहासुहं बंधए कम्मं ॥२४॥
અર્થ–“જીવ જે જે સમયે જેવા જેવા ભાવે વર્તે છે તે તે સમયે તે તેવા પ્રકારના શુભાશુભ કર્મને બાંધે છે.”
ભાવાર્થ-સમય એટલે અતિ સૂક્ષ્મ કાળ. તેમાં જેવા શુભ કે અશુભ પરિણામમાં આત્મા પ્રવર્તતો હોય તેવાં શુભ કે અશુભ કર્મો બાંધે છે, અર્થાત્ શુભ પરિણામે વર્તતાં શુભ કર્મ બાંધે છે, અશુભ પરિણામે વર્તતાં અશુભ કર્મો બાંધે છે, માટે શુભ ભાવ જ કરવો, ગર્વાદિથી દૂષિત ભાવ ન કરવો. તે વિષે કહે છે
धम्मो मएण हुँतो, तो नवि सीउण्हवायविन्झडिओ।
संवच्छरमणसिओ बाहुबली तह किलिस्संतो॥२५॥ અર્થ– “જો અભિમાને કરીને ઘર્મ થતો હોત તો શીત, ઉષ્ણ, વાયુ વગેરેથી