________________
(૫) પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત ક્યાં ગઈ? પુદ્ગલો અનિત્ય છે. સંધ્યાના રંગની પેઠે આ દેહ પણ અનિત્ય છે. સંસારમાં પ્રાણીઓને કંઈ પણ સુખ નથી. કહ્યું છે કે
दुःखं स्त्रीकुक्षिमध्ये प्रथममिहभवे गर्भवासे नराणाम् बालत्वे चापि दुःखं मललुलितवपुः स्त्रीपयःपानमिश्रम् । तारुण्ये चापि दुःखं भवति विरहजं वृद्धभावोप्यसारः
संसारे रे मनुष्या ! वदत यदि सुखं स्वल्पमप्यस्ति किंचित् ॥ “માણસોને આ સંસારમાં પ્રથમ સ્ત્રીની કુક્ષિને વિષે ગર્ભવાસમાં દુઃખ હોય છે, બાલ્યાવસ્થામાં પણ માતાના દૂઘના પાનથી તેમજ મળમૂત્રથી શરીર ખરડાયેલું રહેવાથી દુઃખ છે, યુવાવસ્થામાં પણ વિરહથી ઉત્પન્ન થયેલું દુઃખ છે, અને વૃદ્ધભાવ. તો તદ્દન અસાર જ છે. માટે હે મનુષ્યો! જો આ સંસારમાં સ્વલ્પ પણ કાંઈ સુખ હોય તો કહો.” - એ પ્રમાણે વૈરાગ્યથી જેનું મન રંજિત થયું છે એવો રાજા વિચારે છે કે આ સંસારમાં વૈરાગ્યની બરોબરી કરી શકે તેવું કોઈ પણ સુખ નથી. કહ્યું છે કે
भोगे रोगभयं सुखे क्षयभयं वित्तेऽग्निभूभृद्भयम् दास्ये स्वामिभयं गुणे खलभयं वंशे कुयोषिद्भयम् । माने म्लानिभयं जये रिपुभयं काये कृतांताद् भयम् ।
सर्वं नामभयं भवेऽत्र भविनां वैराग्यमेवाऽभयम् ॥ * “ભોગમાં રોગનો ભય, સુખમાં નાશનો ભય, ઘનમાં અગ્નિ અને રાજાનો ભિય, દાસત્વમાં સ્વામીનો ભય, ગુણમાં ખલપુરુષનો ભય, વંશમાં કુમારીનો ભય, માનમાં તેની હાનિ થવાનો ભય, જયમાં રિપુનો ભય અને દેહમાં યમ રાજાનો ભય હોય છે. એ પ્રમાણે આ સંસારમાં મનુષ્યોને બધેથી ભય હોય છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે, ભયરહિત છે.”
. એ પ્રમાણે વિચારી વૈરાગ્યમાં તત્પર થયેલ રાજાએ પોતાના બાલ્યાવસ્થાવાળો પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પોતે દીક્ષા ગ્રહણ કરી. તત્કાળ જેણે કેશનો લોચ કર્યો છે એવો તે રાજા પૃથ્વી ઉપર વિહાર કરતાં રાજગૃહીના ઉદ્યાનમાં કાયોત્સર્ગ મુદ્રાથી ઊભો રહ્યો. તે અવસરે શ્રીમાન વર્ધમાન સ્વામી એક ગામથી બીજે ગામ વિહાર કરતાં ચૌદ હજાર સાઘુઓથી પરિવૃત્ત થયેલા, દેવતાઓએ નિર્માણ કરેલાં સોનાનાં કમલો ઉપર પોતાના ચરણોને સ્થાપન કરતાં રાજગૃહી નગરના ગુણશીલ નામના ઉદ્યાનમાં પધાર્યા. દેવોએ આવીને ત્યાં સમવસરણ * રચ્યું. વનપાલકે ત્વરાથી શ્રેણિક રાજા પાસે જઈને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામિનું! આપના મનને ઘણા જ વહાલા શ્રી મહાવીર સ્વામી વનમાં સમવસરેલા છે.” એ પ્રમાણે વનપાલકનું બોલવું સાંભળીને રાજાને ઘણો હર્ષ થયો. રાજાએ તેને કોટી