SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ઉપદેશમાળા તેમની ઋદ્ધિનું સ્વરૂપ કહે છે–ચોરાશી લાખ હાથી, તેટલા જ રથ, તેટલા જ અશ્વ, છસ્ કોટી પાયદળ, બત્રીસ હજાર દેશ, બત્રીસ હજાર મુકુટબંઘ રાજા, અડતાળીસ હજાર પાટણ, બોંતેર હજાર નગર, છજું કોટી ગામ, ચૌદ રત્ન, નવ નિધિ, સાઠ હજાર વંશાવલી કહેનારા ભાટ, સાઠ હજાર પંડિત, દશકોટી ધ્વજા ઘારણ કરનારા, પાંચ લાખ મશાલચી, વીશ હજાર સુવર્ણ આદિ ઘાતુની ખાણો, પચીશ હજાર દેવ જેના સેવક છે, અઢાર કોટી ઘોડેસવાર જેની પાછળ ચાલે છેઆ પ્રમાણેની ઋદ્ધિ પ્રાપ્ત થઈ છતાં તે મનની વિરક્ત રહેતા હતાં. એ પ્રમાણે ઘણા લાખ પૂર્વો વ્યતીત થયા. એકદા ભરત ચક્રી પોતાની શૃંગારશાલામાં શરીર પ્રમાણ આદર્શ (કાચ) માં પોતાનું રૂપ જોતા હતા. તે વખતે એક આંગળીમાંથી વીંટી નીકળી ગઈ તેથી તે અત્યંત શોભારહિત દેખાઈ. તેથી તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે “અહો! આ દેહની અસારતા! પરપુદ્ગલોથી જ શરીર શોભે છે, પોતાના પુદ્ગલોથી શોભતું નથી. અરે! મેં શું કર્યું? આ અસાર દેહની ખાતર મેં ઘણા આરંભો કર્યા. આ અસાર સંસારમાં સઘળું અનિત્ય છે. કોઈ કોઈનું નથી. મારા નાના ભાઈઓને ઘન્ય છે કે તેમણે વીજળીના ચમકારા જેવાં ચંચલ રાજ્યસુખને તજીને સંયમ સ્વીકાર્યું. હું તો અન્ય છું, જેથી આ અનિત્ય એવા સંસારી સુખમાં નિત્યપણાની બુદ્ધિથી મોહ પામેલ્શ છું. આ દેહને ધિક્કાર છે! અને સર્પની ફણા જેવા આ વિષયોને પણ ધિક્કાર છે! હે આત્મા! આ સંસારમાં તું એક્લો જ છે. બીજું કોઈ તારું નથી.” આ પ્રમાણે વિચાર કરતાં તેઓ પરમપદ પર આરોહણ કરવાની નિસરણીરૂપ ક્ષપદ્મણીએ આરૂઢ થયા; અને ચાર ઘનઘાતી કર્મનો ક્ષય કરીને ઉજવલ કેવળજ્ઞાન પામ્યા. તે અવસરે શાસનદેવીએ આવીને મુનિનો વેષ અર્પણ કર્યો. તે સાઘનો વેષ ધારણ કરીને તેમણે કેવલીપણે પૃથ્વી ઉપર વિહાર કર્યો. અને અનુક્રમે મોક્ષસુખ પ્રાપ્ત કર્યું. એટલા માટે આત્મસાક્ષિક અનુષ્ઠાન જ ફળદાયી છે; અન્ય સાક્ષિક અનુષ્ઠાન ફળદાયી નથી. હવે આધ્યાત્મિક અનુષ્ઠાનમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત કહે છે પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત પોતનપુર નગરમાં પ્રસન્નચંદ્ર નામનો રાજા હતો. તે અતિ ઘાર્મિક, સત્યવાદી તથા ન્યાયઘર્મમાં અદ્વિતીય નિપુણ હતો. તે એક દિવસે સંધ્યાકાળે ઝરૂખામાં બેસી નગરનું સ્વરૂપ જોતો હતો. તે સમયે નાના પ્રકારનાં રંગવાળાં વાદળાં થયાં, સંધ્યાનો રંગ ખીલ્યો. તે જોઈ રાજાને અતિ હર્ષ થયો. પછી તે તેના તરફ પુનઃ પુનઃ દ્રષ્ટિ કરવા લાગ્યો. એટલામાં તે સંધ્યાસ્વરૂપ ક્ષણિક હોવાથી જોતજોતામાં જ નાશ પામી ગયું. તે જોઈ રાજા વિચાર કરવા લાગ્યો કે અહો! સંધ્યાના રંગની સુંદરતા
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy