SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ () ભરત ચક્રીનું દ્રશ્ચંત હવે આત્મસાક્ષીએ ઘર્મ કરવા વિષે કહે છે– હિં પરંતુનાના–વપાર્દિ વરમMવિવયં સુરક્ષા રૂ રવવવવી, પલવ ય વિકતા ૨૦નો. અર્થ–“હે આત્મા! બીજા લોકોને બહુ જણાવવાથી શું? આત્મસાક્ષિક સુકૃત તે જ શ્રેષ્ઠ છે. અહીં ભરત ચક્રવત અને પ્રસન્નચંદ્રનું દ્રષ્ટાંત જાણવું.” ભાવાર્થ–મેં આ અનુષ્ઠાન કર્યું” એમ બીજાઓને બહુ જણાવવાથી શો લાભ છે? આત્મસાક્ષિક ઘર્મ કરવો તે જ શ્રેષ્ઠ છે. આ વિષય ઉપર ભરત ચક્રવર્તીનું દ્રષ્ટાંત છે કે જેમણે યત્નવડે કરેલા આત્મસાક્ષિક અનુષ્ઠાનથી સિદ્ધિસુખને પ્રાપ્ત કર્યું છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું પણ આ વિષય ઉપર દ્રશ્ચંત છે. તેમાં પ્રથમ ભરતચક્રીનું દ્રષ્ટાંત કહે છે : - ભરતચક્રીનું દ્રષ્ટાંત - અયોધ્યા નગરીમાં ઋષભદેવના પુત્ર “ભારત” નામે રાજા રાજ્ય કરતા હતા. જ્યારે શ્રી ઋષભદેવસ્વામીએ ચારિત્ર ગ્રહણ કર્યું તે વખતે પોતાના સો પુત્રોને પોતપોતાનાં નામવાળા દેશો આપ્યા. “બાહુબલીને બહલિ દેશમાં તક્ષશિલા નગરીનું રાજ્ય આપ્યું અને ભારતને અયોધ્યા નગરીનું રાજ્ય આપ્યું. એક દિવસ ભરતરાજા સભામાં બેઠા હતા, તે વખતે “યમક અને “સમક' નામના બે પુરુષો વિઘામણી દેવા સભાસ્થાનના મુખ્ય દ્વાર પાસે આવ્યા. પ્રતિહારે ભરત રાજાને તેઓનું આગમન નિવેદન કર્યું એટલે ભૂસંજ્ઞાથી દ્વારપાલને આવવા દેવાનો હુકમ આપવાથી યમક અને સમક સભામાં આવ્યા. તે બન્નેએ હાથ જોડી આશીર્વાદપૂર્વક રાજાની સ્તુતિ કરી. પછી તેમાંના ચમકે વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ! પુરિમતાલ પુરના શકટ નામના ઉદ્યાનમાં શ્રી ઋષભસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, એ વઘામણી આપવા માટે હું આવ્યો છું.” પછી સમકે કહ્યું કે “હે દેવ! એક હજાર દેવતાઓથી સેવાયેલું અને કરોડો સૂર્ય જેવો પ્રકાશ આપતું ચક્રરત્ન આયુશાલામાં ઉત્પન્ન થયું છે. આ પ્રમાણે બે માણસના મુખથી બે વઘામણી સાંભળીને ભરત રાજા અતિ હર્ષ પામ્યો. પછી તેમને જીવિત પર્યત દેતાં અને ભોગવતાં ખૂટે નહીં એટલું ઘન આપીને તે બન્નેનું સન્માન કર્યું. હવે ભરત વિચાર કરવા લાગ્યો કે મારે પ્રથમ કોનો ઉત્સવ કરવો ઉચિત છે? કેવળજ્ઞાનનો કે ચક્રનો?” એ પ્રમાણે વિચાર કરતાં પાછું તેણે ચિંતવ્યું કે મને ધિક્કાર છે કે મેં આ શું ચિંતવ્યું? અક્ષય સુખના દાતા પિતા ક્યાં? અને માત્ર સંસારસુખના હેતુભૂત ચક્ર ક્યાં? વળી તાતની પૂજા કરવાથી ચક્રની પૂજા પણ થઈ જ ગઈ.” એવો નિશ્ચય કરી મોટા આડંબરપૂર્વક પુત્રમોહથી વિહલ બનેલા અને
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy